Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુત્ર મરી જશે” આવી દુ:ખ ઉત્પન્ન કરાવનારી ભાષા બોલતા નથી તે જ પૂજનીય થાય છે. તાત્પર્ય એ છે કે -નિરવ ભાષા બોલવાવાળા જ સંસારમાં પૂજનીય થાય છે. (૯)
બસ્ટ્રણ ઇત્યાદિ–સરસ આહાર આદિમાં લુપતા નહિ કરવાવાળા ઈન્દ્રજાલ આદિ ક્રિયાઓના ત્યાગી, નિષ્કપટ, ચાડી નહિ ખાનારા, અર્થાત્ એકની વાત બીજાને અવળી સમજાવી કેને કલેશ નહિ પહોંચાડવાવાળા અને શિક્ષાને લાભ ન મળે તે પણ દીનતા નહિ ધારણ કરવાવાળા હોય છે બીજા પાસે પિતાની પ્રશંશા કરાવતા નથી તેમજ પિતે પણ પિતાની પ્રશંસા કરતા નથી; તથા નાટક વગેરે ખેલ જોવાની ઉત્કંઠા રાખતા નથી. તે પૂજનીય થાય છે.
ગસુઇ પદથી રસના ઈન્દ્રિયને વિજય “ગઈ પદથી ધૂત ઠગાઈ નહી કરવી તે. અમારું પદથી સ્ફટિકના પ્રમાણે અન્તકરણની સ્વચ્છતા. “gિછે” પદથી સમતા, “વળવિત્તી પદથી સંતોષ અને પ્રવચનના મહિમાનું જ્ઞાન “ગો પદથી કર્મરૂપી નાટકને વિચાર કરીને લૌકિક નાટક જોવાની ઇરછાને પરિત્યાગ સૂચવ્યું છે. (૧૦)
Tોર્દિ ઇત્યાદિ–વિનય આદિ સર્ગુણોથી સાધુ થવાય છે; અને અવિનય આદિ દુર્ગણેથી અસાધુ ( સાધુપણાથી રહિત) થઈ જાય છે એ માટે હે શિષ્ય વિનય આદિ ગુણેને ગ્રહણ કરે, અને અસાધુ બનાવવા વાળા અવિનય આદિ દુર્ગણોનો ત્યાગ કરે. અથવા વિનિયાદી ગુણેના ગ્રહણથી અને શબ્દાદિ કામ ગુણોના વર્જનથી સાધુ કહેવાય છે માટે હે મુનિ ! તમે વિનયાદિ ગ્રહણ કરે અને કામાદિ ગુણને મૂકે. તીર્થકર અને ગણધર ભગવાનને એ ઉપદેશ સાંભળીને જે સાધુ પિતાને વિનય આદિ ગુણોથી સંપન્ન બનાવી લે છે અને રાગ-દ્વેષ થવાનું કઈ કારણ ઉભું થાયતે પણ સમતા ભાવ રાખે છે. તે સંસારમાં પૂજનીય થાય છે. આશય એ છે કે-ગુરુ અદિને વિનય કરવાથી રાગ-દેવ પર વિન્ય પ્રાપ્ત કરી શકાય છે. (૧૧)
તવ' ઇત્યાદિ જે સાધુ નાના–મોટા, સ્ત્રી, પુરુષ. સંયત, અસંયત, એ સર્વ પૈકી કેઈની પણ અવહેલના–તિરસ્કાર કરતા નથી, કેઈને કોધિત કરતા નથી, અહંકાર અને ક્રોધને ત્યાગ કરે છે તે પૂજનીય હોય છે. (૧૨)
જે “મારા ઈત્યાદિ– શિષ્ય, જે આચાર્ય આદિ મોટાને વિનય-સત્કાર કરે છે, તે આચાર્ય આદિ, શિષ્યનું સન્માન કરે છે. અર્થાતેને સદ્દગુણનું શિક્ષણ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૫૬