Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેલનું અને શબ્દથી અન્ય સાબુ આદિ સ્નાને પગી દ્રવ્યનું સેવન કદાપિ કરતા નથી. (૬૪)
હવે અઢારમું સ્થાન કહે છે-નાઇરસઈત્યાદિ. વસ્ત્ર વિષયક મૂછ રહિત (ગચ્છવાસ) સ્થવિરકલ્પી, અથવા ગચ્છનિર્ગત જિનકલ્પી દ્રવ્યથી હુંચિત કેશવાળા તથા ભાવથી વિષયેના ત્યાગી સુંડિત. જેના કેશ તથા નખ આદિ વધેલા છે એવા, મૈથુનથી ઉપરત સાધુઓને શરીરની વિભૂષાનું શું પ્રજન છે ? અર્થાતુ કશું પ્રયોજન નથી.
અહીં “દીર્ધકૈશનખવાળા” એ વિશેષણ જિનકલ્પી સાધુની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે કારણ કે સ્થવિર કલ્પી સાધુ પ્રમાણોપેત કેશ અને નખ ૨ખે છે. (૧૫)
નિપ્રયજન કહીને નિષેધ કરેલા વિભૂષાકરણને કદાચિત્ કેઈ નિર્દોષ સમજીને આચરણ કરવા લાગે, તેથી હવે એના દેષ બતાવે છે: વિભૂત્તિ ઈત્યાદિ.
જે ક્રિયાથી જીવ જન્મમરણનાં દુઃખથી વ્યાકુળ દુસ્તર સંસારસાગરમાં પડે છે, એવી શરીરવિભૂષાથી ઉત્પન્ન થનારા જ્ઞાનાવરણીય આદિ ચીકણું કર્મોને સાધુ બાંધે છે. અર્થાત્ શરીરની વિભૂષાથી ચીકણાં કર્મોને બંધ ઉત્પન્ન થાય છે. (૬૬).
બાહ્ય વિભૂષાના દેશે બતાવીને હવે વિભૂષાના સંકલ્પના દેશે બતાવે છેવિત્તિયં, ઈત્યાદિ.
જે ચિત્તમાં શરીરની વિભૂષાની અભિલાષા હોય છે, તે ચિત્તને પણ તીર્થકર ભગવાન એવું જ અર્થાત્ અપાર સંસાર સાગરમાં પાડનારૂં તથા બાહ્ય વિભૂષા કરનારની સમાન ચીકણાં કર્મબંધનું કારણ માન્યું છે, અર્થાત વિભૂષાનું અનુચિંતન (અભિલાષા) કરવાથી પણ પાપોની ઉત્પત્તિ થાય છે. એવી વિભૂષાના સંકલ્પનું સ્વપર રક્ષા (હિત) ચાહનારા મહાપુરૂષોએ સેવન કર્યું નથી. (૬૭)
ઉત્તર ગુણેના કથનના પ્રસંગમાં શરીરની શેભાના પરિત્યાગરૂપ અઢારમું સ્થાન કહેવાથી અઢારે કથનનું કથન થઈ ગયું. હવે તેનું યથાવિધિ આરાધના કરવાનું બતાવતાં ઉપસંહાર કરે છે. પતિ ઈત્યાદિ.
સત્તર પ્રકારના સંયમમાં, સરળતા (નિષ્કપટત) રૂપ ગુણમાં તથા ચતુર્થ ભકત આદિ તપમાં તત્પર અથવા ગુણ એટલે કે પંચ મહાવ્રતરૂપ મૂળ ગુણ તથા નાના પ્રકારના અભિગ્રહ આદિરૂપ ઉત્તર ગુણોમાં અનુરક્ત, આચાર–ગોચરના વિવેકી, અથવા મોક્ષના નિશ્ચયના સાધક સમ્યગજ્ઞાન દિ રત્નત્રયને જ મોક્ષ ફળદાતા
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૧૫