Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બીજો ઉદ્દેશ
ફ્રી વિનયને મહિમા કહેવા માટે ખીજા ઉદ્દેશાના પ્રારંભ કરે છેઃ— “તૂટ્ટા” ઇત્યાદિ
જેમ વૃક્ષના મૂળવડે સ્કન્ધની ઉત્પત્તિ થાય છે. ધથી શાખાઓ, શાખાએથી પ્રશાખાઓ, તથા પ્રશાખાએથી પત્તા-પાંદડા ઉત્પન્ન થાય છે. તે પછી એ વૃક્ષમાં ફૂલફ્ળ અને ફળમાં રસ આવે છે. (૧)
દૃષ્ટાન્ત કહીને હવે દાબૅન્તિક ચેાજના કહે છે: “ ધર્મસ ઇત્યાદિ—ચાર ગતિએામાં પ્રમણ કરવા રૂપ કલેશને ઉત્પન્ન કરવા વાળા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મને જે દૂર કરે છે, તેને વિનય કહે છે. ગુરુજન આવતાં ઉભા થઈ જવું વંદના કરવી, તેમની આજ્ઞાનું પાલન કરવું, તથા તેમની ઇચ્છાને અનુકૂળ આચરણુ કરવું, તેમની આરાધના કરવી, આ સ` વિનય તે ધર્મોનું મૂલ છે વિનયનું સર્વાંત્કૃષ્ટ ફેલ મેાક્ષ છે. ધર્મોના મૂળરૂપ એ વિનયથી સાધુ-મુનિઓને કીર્તિ તથા સમસ્ત દ્વાદશાંગની સમ્યક્ પ્રાપ્તિ થાય છે. આશય એ છે કેઃ—જેવી રીતે વૃક્ષનું મૂલ-વૃક્ષનાં સ્કન્ધથી લઇને રસ સુધીનું કારણુ હાય છે. તે પ્રમાણે વિનય કીર્તિથી આરભીને મોક્ષ સુધીનું કારણ છે.
,,
અથવા—પહેલી ગાથામાં વૃક્ષના આઠ અંગો સહિત દૃષ્ટાંત બતાવ્યુ છે. પૂની ગાથાના અનુરોધથી—કન્ધ, શાખા, પ્રશાખા, એ ત્રણ દૃષ્ટાન્તાના ત્રણ દાષ્યન્તિક આ ગાથામાં સમજી લેવું જોઇએ.’ આ પ્રમાણે વિનયની સાથે ક્રમથી કાર્ય –કારણુ ભાવ હાવાથી જ્ઞાન, મહાવ્રત, અને સમિતિ આદિના પણ અધ્યાહાર કરવા જોઈએ, તેના વિના સચમ આનિી સિદ્ધિ થઈ શકતી નથી. દૃષ્ટાન્ત આ પ્રમાણે ઘટાવવું — (૧) વૃક્ષના મૂળ પ્રમાણે વિનય, ધર્માંનું મૂળ છે. (ર) જેવી રીતે વૃક્ષના મૂળથી સ્કન્ધ થાય છે, તેવી રીતે વિનયથી પ્રશસ્ત ભાવ થાય છે. (૩) સ્કન્ધના સમાન પ્રશસ્ત ભાવથી શાખાની સમાન મહાવ્રત થાય છે. (૪) મહાવ્રતથી પ્રશાખાઓની સમાન સમિતિ-ગુપ્તિ થાય છે, (૫) સમિતિગુપ્તિથી પત્ર-પાંદડાની સમાન કીર્તિના કારણ રૂપ ઇન્દ્રિયનિગ્રહ આદિ ઉત્પન્ન થાય છે. (૬) તેનાંથી પુષ્પાના સમાન પાંચ પ્રકારના સ્વાધ્યાય તથા સ્વાધ્યાયથી ઉત્પન્ન ક્ષમા, ધ્યાન તથા તપની પ્રાપ્તિ થાય છે. (૭) તેનાંથી વૃક્ષના ફૂલ સમાન સ કર્યાંનુ સ થા છૂટી જવા રૂપ મેક્ષ પ્રાપ્ત થાય છે. (૮) મોક્ષ પ્રાપ્ત હાવાથી ફૂલના રસ સમાન અનન્ત અભ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વૃક્ષના મૂલ આર્દિ અંગાના દૃષ્ટાંત, ધર્મોના વિનય આદિ આઠે અગામાં ક્રમથી જોડવામાં આવે છે. (૨)
“નેય ઇત્યાદિ—જે મનુષ્ય ક્રેાધી અને અવિવેકી હાય છે તથા ભયનુ કારણુ ઉભું થતાં પ્રવચનથી વ્યુત થઇ જાય છે, અભિમાની, કઠોર ભાષણ કરનાર, કપટી અને
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨
૪૮