Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વો ઈત્યાદિ. ભિક્ષુ જ્યારે ભિક્ષાને માટે જાય છે. ત્યારે નાના પ્રકારની વાત સાંભળવામાં આવે છે, તરેહ તરેહની વસ્તુઓ આંખથી જોવામાં આવે છે; એ બધી સાંભળેલી વાતે અને જેએલી વસ્તુઓ કઈ પૂછે તે પણ કહેવી ન જોઈએ (૨૦)
gવંતા ઇત્યાદિ. કાનથી સાંભળેલી અને આંખથી જેએલી વાત કેઈને પીડા પહોંચાડનારી હોય, તે પૂછવા છતાં પણ ન કહેવી. તાત્પર્ય એ છે કે જેએલી સાંભળેલી બધી વાત કહેવાથી સંયમને ઉપઘાત થાય છે તેથી પૂછવામાં આવ્યા છતાં પણ એટલી જ વાત કહેવી જોઈએ કે જે પિતાને તથા પરને હિતકારક તથા પ્રિય હોય. કેઈપણ કારણે મૃડસ્થ સંબંધી અર્થાત ગૃહસ્થની આમતેમ વાતે કરવી, બાળકને લાડ લડાવવાં કે આરંભ સમારંભ આદિ ક્રિયાઓ ન કરવી (૨૧)
નિદાdi૦ ઈત્યાદિ. “આજ આપને કે આહાર મળે છે?” એવું કઈ પૂછે યા ન પૂછે તો પણ સાધુ એમ ન કહે કે સરસ મળે છે. અથવા નીરસ મને છે. “આજ આપને ભિક્ષા મળી કે નહીં? એવું કઈ પૂછે યા ન પૂછે તે પણ સાધુ એમ ન કહે કે–આજ ભિક્ષા મળી છે કે નથી મળી અર્થાત્ એમ ન કહે કે મળી છે અને એમ પણ ન કહે કે-મળી નથી, કારણ કે એવું ભાષણ કરવાથી સાધુમાં અસંતેષ, લોલુપતા, પ્રવચનની લઘુતા આદિ દેષ આવે છે. એટલે કેવળ એમ જ કહે કે- સાધુઓને તે સદૈવ આનંદ જ આનંદ છે” એવી સાધુ સમાચારી છે. (૨૨)
નામે મિ. ઈત્યાદિ–જાણીતાં–અજાણ્યા અથવા ધનવાન નિર્ધન કુળમાં નિરવદ્યતા–સાવદ્યતન સંશય નિવારવા સિવાય બીજું કાંઈ ન બેલતાં ભિક્ષા માટે સાધુ ગમન કરે. ભકત–પાનમાં લેલુપી ન થાય, અર્થાત્ સરસ ભેજન પાનની ઈચ્છાથી સંપત્તિશાલીકુળોમાંજ ભિક્ષાને માટે ન જાય. તથા સચિત્ત-મિશ્ર આદિ અમાસુક, ક્રીત, ઓશિક, અને અભ્યાહત આહાર જે અસાવધાનીને કારણે ગૃહીત થઈ જાય તે પણ તેને ઉપભોગ ન કરે. કીત આદિનું સ્વરૂપ પહેલાં કહેવામાં આવી ગયું છે. (૨૩)
સંનિહિં. ઈત્યાદિ. શરીરને પુષ્ટ કરવાના પ્રજનથી રહિત નિરવદ્ય ભિક્ષા ગ્રહણ કરનારા રાગદ્વેષના ત્યાગી સાધુઓએ અણુમાત્ર પણ અર્થાત્ ચેડા પણ આહાર આદિની સંનિધિ (રાત્રિમાં સંચય) રાખવી નહીં. એમ કરનારા સાધુઓ રાસ-સ્થાવરરૂપ જગતનું પાલન કરનારા બને છે. માથામાં અંદાઝીલી શબ્દથી એ
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
૩૪