Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રસિદ્ધ છે. ચૂર્ણિ સાહિત્યમાં જિનદાસ ગણિ મહત્તરનું નામ અગ્રસ્થાને છે. તેમણે સાત ચૂર્ણિઓની રચના કરી છે. તેમાં આવશ્યક-ચૂર્ણિ તેમની મહત્વપૂર્ણ રચના છે. તેમાં આવશ્યકનિયુક્તિમાં સમાવિષ્ટ સર્વવિષયો પર વિસ્તૃત વિવેચન છે, તેમજ પ્રસંગોપાત પૌરાણિક, ઐતિહાસિક મહાપુરુષોના જીવનનો ઉલ્લેખ છે, તેથી ઐતિહાસિક દષ્ટિએ તેનું મહત્વ વધી જાય છે. ટીકા-નિર્યુક્તિમાં આગમોના શબ્દોની વ્યુત્પત્તિ અને વ્યાખ્યા છે. ભાષ્યમાં તે ભાવોનું વિસ્તૃત વિવેચન છે. ચૂર્ણિ સાહિત્યમાં તે ભાવોને લોકકથાના આધારે સમજાવ્યા છે. ટીકાસાહિત્યમાં આગમ સાહિત્યનું દાર્શનિક દષ્ટિકોણથી વિશ્લેષણ છે. ટીકાકારોમાં સર્વપ્રથમ ટીકાકાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. તેમણે પોતાના વિશેષાવશ્યક ભાષ્ય પર સ્વોપજ્ઞવૃત્તિ લખવાનો પ્રારંભ કર્યો પરંતુ તેઓ પોતાના જીવનકાલમાં તે પૂર્ણ કરી શક્યા નહીં, તેમની અધૂરી ટીકા કોટયાચાર્યે પૂર્ણ કરી છે.
આચાર્ય હરિભદ્રસૂરિએ આવશ્યક સૂત્ર પર બે ટીકાની રચના કરી છે. તેમાંથી એક ટીકા વર્તમાને ઉપલબ્ધ નથી. હારિભદ્રીયવૃત્તિ વર્તમાને ઉપલબ્ધ છે. કોટટ્યાચાર્યે વિશેષાવશ્યકભાષ્યની જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની અધૂરી વૃત્તિ પૂર્ણ કરી અને તે ઉપરાંત એક સ્વતંત્ર વૃત્તિની રચના કરી છે. આચાર્ય શ્રી મલયગિરિએ આવશ્યકવૃતિની મહત્વપૂર્ણ રચના કરી છે. તેમજ અન્ય અનેક વિદ્વાનોએ આવશ્યક સૂત્ર પર વૃતિની રચના કરી છે. તેમાં આચાર્ય મલધારી હેમચંદ્ર સૂરિની વિશેષાવશ્યક ભાષ્ય પરની શિષ્યહિતાવૃત્તિ છે. છેલ્લે સં. ૧૯૫૮માં પૂ.શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબે આવશ્યક સૂત્ર પર મુનિતોષિણી નામની વૃત્તિની રચના કરી છે. ટબ્બા :- ટીકાયુગ સમાપ્ત થયા પછી જનસાધારણને માટે આગમોના શબ્દાર્થને
સ્પષ્ટ કરતાં સંક્ષિપ્ત વિવેચનનો પ્રારંભ થયો. તે ટબ્બાના નામથી પ્રસિદ્ધ છે. શ્રી ધર્મસિંહજી મુનિએ ૧૮ મી શતાબ્દીમાં ૨૭ આગમગ્રંથો પર બાલાવબોધ ટબ્બાની રચના કરી છે. તેમાં આવશ્યક સૂત્ર પરનો ટબ્બો પણ ઉપલબ્ધ છે. તે મૂળપાઠના અર્થને સ્પષ્ટ કરે છે. અનુવાદ :- ટબ્ધા પછી અનુવાદ યુગનો પ્રારંભ થયો પંડિત સુખલાલજી સિંઘવી, ઉપાધ્યાય શ્રી અમરમુનિ મ.સા. વગેરે વિદ્વાનોએ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાગ્રંથોના આધારે હિન્દી અને ગુજરાતી ભાષામાં આવશ્યક સૂત્રનો વિવેચન સહિત અનુવાદ તૈયાર કર્યો છે. તે આવશ્યકસૂત્રમાં ભાવોને પૂર્ણતઃ પ્રકાશિત કરે છે.
આ રીતે આવશ્યક સૂત્રના વિશાળ વ્યાખ્યાસાહિત્યના આધારે આવશ્યક સૂત્રની મહત્તા તથા લોકોપયોગિતા સહજ રીતે સ્પષ્ટ થાય છે. પ્રસ્તુત સંસ્કરણ – પૂર્વાચાર્યોના ઉપલબ્ધ સાહિત્યને આધારભૂત બનાવીને સાધનના પ્રાણ સમ આવશ્યકસૂત્રનો મૂળપાઠ, શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન તથા વિવિધ પરિશિષ્ટો
-
53