Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આવશ્યક સૂત્ર
(૩) સામાયિક પ્રતિમા ઃ- સમ્યક્દર્શન અને વ્રતોની આરાધના કરનારા સાધક સામાયિક પ્રતિમા સ્વીકારીને હંમેશાં ત્રણ સામાયિક કરે છે. આ પડિમામાં સામાયિક અને દેશાવગાસિક વ્રતનું સમ્યકરૂપે પાલન કરે છે, પરંતુ આઠમ, ચૌદશ તથા પૂનમ વગેરે વિશિષ્ટ દિવસોમાં પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે આરાધન કરી શકતા નથી. તન્મયતા અને જાગૃતિ સાથે સામાયિક વ્રતની ઉપાસના કરવી તે જ આ પ્રતિમાનો મૂળ હેતુ છે. આ આરાધનાની અવિધ પૂર્વોક્ત પ્રતિમાના સમય સહિત ત્રણ મહિનાની છે. (૪) પૌષધ પ્રતિમા ઃ- પહેલી, બીજી અને ત્રીજી પડિમાથી આગળ વધતાં આરાધક પૌષધ પિંડમા સ્વીકારીને આઠમ, ચૌદશ વગેરે છ પર્વતિથિઓના દિવસે પૌષધવ્રતનું પૂર્ણરૂપે પાલન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય પૂર્વોક્ત ત્રણ પ્રતિમાઓના સમય સહિત ચાર મહિનાનો છે.
८८
(૫) કાયોત્સર્ગ પ્રતિમા ઃ– કાર્યોત્સર્ગનો અર્થ કાય અથવા શરીરનો ત્યાગ છે. શરીર તો જીવનપર્યંત સાથે જ રહે છે. તેનો ત્યાગ અર્થાત્ તેની આસક્તિ અથવા મમતાનો ત્યાગ કરવો. કાયોત્સર્ગ પ્રતિમામાં શ્રાવકે શરીર, વસ્ત્ર વગેરેના મમત્વને છોડીને પોતાના આત્મચિંતનમાં લીન બની જાય છે. આઠમ અને ચૌદશે એક અહોરાત્રિ કાઉસગ્ગ અથવા ધ્યાનની આરાધના કરે છે. આ પડિમાનો સમય એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિનાનો હોય છે.
(૬) બ્રહ્મચર્ય પ્રતિમા :– આ પ્રતિમામાં પૂર્ણરૂપથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. સ્ત્રીઓને કારણ વિના મળવું, વાતચીત કરવી, તેના શણગારની ચેષ્ટાઓને જોવી વગેરે ક્રિયાઓ તેમાં વર્જિત છે. શ્રાવક સ્વયં પણ શણગાર, વેશભૂષા વગેરે ઉપક્રમથી દૂર રહે છે, સ્નાન કરતા નથી. ધોતીની પાટલી બાંધીને રાખતા નથી, તેમજ રાત્રિભોજન કરતાં નથી. આ પ્રતિમધારી શ્રાવક સચિત્ત આહારનો ત્યાગ કરતા નથી. કારણવશ તે સચિત્ત પદાર્થનું સેવન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસ તથા ઉત્કૃષ્ટ છ મહિનાનો છે.
(૭) સચિત્તાહારવર્જન પ્રતિમા ઃ- પૂર્વોક્ત નિયમોનું પાલન કરતા, પરિપૂર્ણ બ્રહ્મચર્યનું અનુસરણ કરતા, શ્રાવક આ પ્રતિમામાં સચિત્ત આહારનો સર્વથા ત્યાગ કરે છે. પણ તે આરંભનો ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ કાળ સાત મહિનાનો છે. (૮) સ્વયં આરંભવર્જન પ્રતિમા – પૂર્વોક્ત સર્વ નિયમોનું પાલન કરતા આ પ્રતિમામાં શ્રાવક સ્વયં કોઈ પ્રકારનો આરંભ અથવા હિંસા કરતા નથી અર્થાત્ આરંભ કરવાનો પૂર્ણ ત્યાગ કરે છે, પરંતુ બીજા પાસે આરંભ કરાવવાનો તેને ત્યાગ હોતો નથી. આ પ્રતિમાની આરાધનાનો કાળ જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ આઠ મહિનાનો છે.
(૯) પ્રેષ્ટત્યાગ પ્રતિમા ઃ- પૂર્વવર્તી પ્રતિમાઓના સર્વ નિયમોનું પાલન કરતા શ્રાવક આ પ્રતિમામાં આરંભનો ત્યાગ કરે છે. એટલે સ્વયં આરંભ કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી પરંતુ પોતાના ઉદ્દેશથી બનાવેલા ભોજનનો તે ત્યાગ કરતા નથી, તેને લઈ શકે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ નવ મહિનાનો છે.
(૧૦) ઉદ્દિષ્ટ ભક્ત વર્જન પ્રતિમા :– પૂર્વોકત નિયમોનું પાલન કરતા શ્રાવક આ પ્રતિમામાં ઉદ્દિષ્ટપોતાને માટે તૈયાર કરેલા ભોજન વગેરેનો ત્યાગ કરે છે. તે લૌકિક કાર્યોથી પ્રાયઃ દૂર રહે છે. લૌકિક કાર્યના વિષયમાં આદેશ આપતા નથી, તત્સંબંધી પોતાનો વિચાર પણ દર્શાવતા નથી. અમુક વિષયમાં 'જાણું છું અથવા જાણતો નથી' આટલો જ જવાબ આપે છે. આ પ્રતિમાના આરાધક ક્ષુરમુંડન કરાવે