________________
૧૦/૪/૪૬
૧૪૩
અશ્વિની નક્ષત્ર પશ્ચિમ ભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી બીજા દિવસે કરે. એ રીતે અશ્વિની નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે. પછી યોગને અનુપરિવર્તે છે. પછી સાંજે ચંદ્રને ભરણી નક્ષત્રને સમર્પે છે.
ભરણી નક્ષત્ર રાત્રિંગત, પાદ્ધ ક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. બીજા દિવસે યોગ ન કરે, એમ ભરણી નક્ષત્ર એક રાત્રિ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવર્તે છે. પછી પ્રાતઃકાળે ચંદ્ર કૃતિકાને સોંપે છે.
કૃતિકા નક્ષત્ર પૂર્વભાગ સમક્ષેત્ર ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપરિવર્તિત કરે છે, કરીને પ્રાતઃકાળે ચંદ્ર
રોહિણી નક્ષત્રને સોંપે છે.
રોહિણી-ઉત્તર ભાદ્રપદ માફક, મૃગશી-ધનિષ્ઠા માફક, આદ્ર-શતભિષા માફક, પુનર્વસુ - ઉત્તરાભાદ્રપદ માફક, પુષ્ય-ધનિષ્ઠા માફક, આશ્લેષા - શતભિષા માફક, મઘા-પૂર્વા ફાલ્ગુની, પૂર્વા ફાલ્ગુની - પૂર્વા ભાદ્રપદવત્, ઉત્તરા ફાલ્ગુની - ઉત્તરા ભાદ્રપદવત્, હસ્ત અને ચિત્રા-ધનિષ્ઠાવત્, સ્વાતી-શતભિષાવત્, વિશાખાઉત્તરાભાદ્રપદવત્, અનુરાધા-ધનિષ્ઠા વત્, શતભિષા મૂળ અને પૂર્વાષાઢા - પૂર્વભાદ્રપદવત્ અને ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદ માફક જાણવું.
-
• વિવેચન-૪૬ :
ભગવન્ ! આપે કઈ રીતે યોગની આદિ કહેલ છે ? અહીં નિશ્ચયનય મતથી ચંદ્રયોગની આદિ છે, બધાં જ નક્ષત્રોનું અપ્રતિનિયત કાળ પ્રમાણ છે, તેથી તે કરણવશથી જાણવું અને તે કરણને જ્યોતિપ્ કરંડકમાં યુક્તિપૂર્વક ભાવિત કરેલ છે, તેથી તે ત્યાંથી અવધારવું. અહીં તે વ્યવહારનયને આશ્રીને બહુલતાથી જે નક્ષત્રની જ્યારે ચંદ્રયોગની આદિ થાય છે, તે જણાવે છે .
અભિજિત, શ્રવણ નામક બે નક્ષત્ર પશ્ચાત્ ભાગ, સમક્ષેત્ર છે. અહીં અભિજિત નક્ષત્ર સમક્ષેત્ર નથી, અપાર્છ ક્ષેત્ર નથી કે યુદ્ધક્ષેત્ર પણ નથી. કેવળ શ્રવણ નક્ષત્ર સાથે સંબદ્ધ જોડવો, આ અભેદ ઉપચારથી છે. તો પણ સમક્ષેત્રને કલ્પીને સમક્ષેત્ર એમ કહ્યું. સાતિરેક ૩૯ મુહૂર્ત પ્રમાણ છે. તેથી કહે છે – સાતિરેક નવ મુહૂર્ત. અભિજિત ૩૦ મુહૂર્ત છે, શ્રવણના એમ ઉભય મીલનથી યશોક્ત મુહૂર્ત પરિમાણ
થાય છે.
તેથી ચંદ્રયોગના, પહેલા સંધ્યાકાળે, આ દિવસના કેટલામાં ચરમ ભાગથી આરંભીને રાત્રિના કેટલા ભાગ સુધી, હજી સુધી પણ પરિસ્ક્રૂટ નક્ષત્રમંડલ આલોક જેટલો કાળ વિશેષ, સંધ્યાકાળે વિવક્ષિત જાણવો. તેમાં સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગ જોડે છે. અહીં અભિજિત નક્ષત્ર જોડે યુગની આદિમાં પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગને જોડે છે, તો પણ શ્રવણ સાથે સંબદ્ધ અહીં તેમ વિવક્ષા કરી છે, શ્રવણનક્ષત્ર મધ્યાહ્ન થકી ઉંચે જાય છે, દિવસમાં ચંદ્ર સાથે યોગ પામરે છે. પછી તેના સાહચર્યથી
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
તે પણ સંધ્યા સમયે ચંદ્ર સાથે યુજ્યમાન વિવક્ષિત કરીને સામાન્યથી સંધ્યા ચંદ્ર સાથે યોગ જોડે છે તેમ કહ્યું. અથવા યુગની આદિ અતિરિચ્ય અન્યદા બહુલતાને આશ્રીને આ કહ્યું, તેથી કોઈ દોષ નથી. પછી આગળ બીજા અન્ય સાતિરેક દિવસ સુધી. આ જ ઉપસંહારથી કહે છે -
૧૪૪
એમ ઉક્ત પ્રકારથી નિશ્ચયે અભિજિત અને શ્રવણ બે નક્ષત્ર સાંજના સમયથી આરંભીને એક રાત્રિ અને એક સાતિરેક દિવસ ચંદ્રની સાથે સાદ્ધ યોગ યોજે છે. આટલો કાળ યોગ જોડીને ત્યાપછી યોગને અનુપરિવર્તે છે, અર્થાત્ પોતે રાવે છે. યોગને અનુપરિવર્તીને સાંજે દિવસના કેટલામાં પશ્ચાદ્ ભાગમાં ચંદ્રને ધનિષ્ઠામાં સમર્પે છે. એ પ્રમાણે અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા સંધ્યા સમયમાં ચંદ્ર સાથે પહેલાથી યોગને જોડે છે. તેના વડે આ ત્રણે પણ પશ્ચાદ્ ભાગવાળા જાણવા.
પછી સર્મપણ પછી ધનિષ્ઠા નક્ષત્ર પશ્ચાદ્ભાગ છે. સાંજ સમયમાં તે પ્રથમથી ચંદ્ર સાથે પુજ્યમાન હોવાથી એમ કહ્યું સમક્ષેત્ર ૩૦ મુહૂર્ત તેને પ્રથમથી સંધ્યા સમયમાં ચંદ્ર સાથે યોગ કરે છે. ચંદ્ર સાથે યોગ જોડીને પછી સંધ્યા સમયથી આગળ, પછી રાત્રિ અને બીજા દિવસ સુધી યોગને જોડે છે. આ જ વાત ઉપરાંહાર થકી કહે છે. તે સુગમ છે. યોગને અનુપરિવર્તાવીને સાંજ સમયમાં ચંદ્ર શતભિષજને સમર્પે છે . ૪ -
આ નક્ષત્ર રાત્રિગત જાણવું. તથા કહે છે – તેના સમર્પણ પછી શતભિષજ્ નક્ષત્ર રાત્રિગત, અપાર્છ ક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે, તે પહેલાથી ચંદ્રની સાથે યોગ જોડે છે અને તે તથાયુક્ત હોવાથી બીજે દિવસે પ્રાપ્ત થતું નથી. કેમકે ૧૫-મુહૂર્ત પ્રમાણ છે. પરંતુ રાત્રિ પછી યોગને આશ્રીને પરિસમાપ્તિ પામે છે. - x - યોગને અનુપરિવર્તિને સવારે ચંદ્ર પૂર્વ પ્રૌષ્ઠપદ - પૂર્વાભાદ્રપદને સોંપે છે.
આ પૂર્વપોષ્ઠપદા નક્ષત્રનો પ્રાતઃકાળે ચંદ્રની સાથે પહેલાથી યોગ પ્રવૃત્ત છે, તેથી તે પૂર્વભાગ કહેવાય છે. સમર્પણ પછી પૂર્વપોષ્ઠપદા નક્ષત્ર નિશ્ચે પૂર્વભાગ સમક્ષેત્ર ૩૦ મુહૂર્ત છે. તેથી પહેલા પ્રાતઃકાળે ચંદ્રની સાથે યોગ કરે છે અને તે તે પ્રમાણે હોવાથી પ્રાતઃસમયથી આગળ તે સર્વ દિવસ અને બીજી રાત્રિ સુધી વર્તે છે. - x - યોગને અનુપરિવર્તાવીને સવારે ચંદ્રને ઉત્તર પ્રોષ્ઠપદ નક્ષત્રને સમર્પે છે.
આ ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ઉક્ત પ્રકારથી સવારે ચંદ્ર સાથે યોગને પામે છે.
માત્ર પહેલું ૧૫-મુહૂર્ત અધિક દૂર કરીને સમક્ષેત્રને કલ્પીને જ્યારે યોગને વિચારે છે, ત્યારે રાત્રે પણ ચોગ થાય છે, એ રીતે ઉભય ભાગને જાણવું. પછી સમર્પણ અનંતર ઉત્તર પ્રૌષ્ઠપદા નક્ષત્ર નિશ્ચે ઉભયભાગ, હ્રાદ્ધક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલાં સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. તે તથા પ્રકારે હોવાથી તે આખો દિવસ અને બીજી રાત્રિ, પછીનો બીજા દિવસ સુધી વર્તે છે. - ૪ - યોગને પવિર્તિત કરીને સંધ્યા સમયે ચંદ્રને રેવતી નક્ષત્રને સમર્પે છે.
તે રેવતી નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે. તેથી તે પશ્ચાદ્ ભાગ જાણવું. - ૪ - ૪ - આ ચંદ્ર સાથે યુક્ત થઈને સંધ્યા સમયથી આગળ આખી રાત્રિ