Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૩૦
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
આત્મા અણગાર ધર્મ ધારણ કરે છે. આ રીતે બોધ ત્રણ પ્રકારનો થાય છે.
પલ્યોપમ સાગરોપમ કાલનું પ્રમાણ :
८ दुविहे अद्धोवमिए पण्णत्ते तं जहा- पलिओवमे चेव, सागरोवमे સેવ । તે જિ તે પત્તિઓવમે ? તિોવમે
जं जोयणविच्छिण्णं, पल्लं एगाहियप्परूढाणं । होज्ज णिरंतरणिचियं, भरियं वालग्गकोडीणं ॥ १ ॥ वाससए वाससए, एक्केक्के अवहडंम्मि जो कालो । सो कालो बोद्धव्वो, उवमा एगस्स पल्लस्स ॥ २ ॥
सिं पल्लाणं, कोडाकोडी हवेज्ज दस गुणिया । તેં સાગરોવમલ્સ ૩, ર્ાસ્સ મને રિમાળ॥ રૂ ॥
ભાવાર્થ :- ઔપમિક અદ્ઘાકાલ બે પ્રકારે કહ્યો છે. પલ્યોપમ અને સાગરોપમ. પલ્યોપમ કોને કહે છે ? તેનું સ્વરૂપ આ પ્રમાણે છે—
ગાથાર્થ :– એક યોજન વિસ્તૃત (લાંબો-પહોળો અને ઊંડો) ખાડાને માથાનું મુંડન કરાવ્યા પછી એક દિવસથી લઈ સાત દિવસમાં ઉગેલા વાળના ટુકડાથી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે, ત્યાર પછી
સો સો વર્ષે તે વાલાગ્ન ખંડને કાઢવામાં આવે અને ખાડો ખાલી થતા જેટલો સમય થાય તેટલા કાળને પલ્યોપમ કહે છે. દશ ક્રોડા ક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઔપમિક કાળનું વર્ણન છે. જે કાળ ઉપમા દ્વારા જાણી શકાય તેને ઔપમિક કાળ
કહે છે.
પલ્યોપમ– જેને પલ્ય-ખાડો અથવા ધાન્ય માપવાની પવાલીની ઉપમાથી ઉપમિત કરવામાં આવે તે પલ્યોપમ. સાગરોપમ– જેને સાગરની ઉપમાથી ઉપમિત કરવામાં આવે તે. તે બંનેનું પ્રમાણ સૂત્રથી સ્પષ્ટ છે.
સ્વ-પર પ્રતિષ્ઠિત પાપસ્થાન :
૬. તુવિષે જોહે પળત્તે, તે નહા- આયપટ્ટિય્ ચેવ, પરપદ્ગિદ્ સેવ । વં जाव मिच्छादंसणसल्ले । एवं णेरइयाणं जाव वेमाणियाणं ।