Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૪
૪૯૩.
सेयंसे णाममेगे पावंसेइ मण्णइ, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ શ્રેષ્ઠ હોય છે અને પોતે પોતાને કે અન્ય તેને શ્રેષ્ઠ માને છે. (૨) કોઈ પુરુષ શ્રેષ્ઠ હોય પરંતુ પોતે પોતાને કે અન્ય તેને નિકૃષ્ટ માને છે. (૩) કોઈ પુરુષ નિકૃષ્ટ હોય છે પરંતુ પોતે પોતાને કે અન્ય તેને શ્રેષ્ઠ માને છે. (૪) કોઈ પુરુષ નિકૃષ્ટ હોય અને પોતે પોતાને કે અન્ય તેને નિકૃષ્ટ માને છે. १८ चत्तारि पुरिसजाया पण्णता, तं जहा- सेयंसे णाममेगे सेयंसेत्तिसालिसए मण्णइ, सेयंसे णाममेगे पावंसेत्तिसालिसए मण्णइ । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ ભાવથી શ્રેષ્ઠ હોય અને વ્યવહારથી અન્ય તેને શ્રેષ્ઠ પુરુષ જેવા માને. (૨) કોઈ પુરુષ ભાવથી શ્રેષ્ઠ હોય અને વ્યવહારથી અન્ય તેને નિકષ્ટ પુરુષ જેવા માને. (૩) કોઈ પુરુષ ભાવથી નિકૃષ્ટ હોય અને વ્યવહારથી અન્ય તેને શ્રેષ્ઠ પુરુષ જેવા માને. (૪) કોઈ પુરુષ ભાવથી નિકૃષ્ટ હોય અને વ્યવહારથી અન્ય તેને નિકૃષ્ટ પુરુષ સમાન માને. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રેષ્ઠ અને નિકૃષ્ટ ભાવોની અપેક્ષાએ વ્યક્તિના વ્યક્તિત્ત્વનું વર્ણન છે. તેય(શ્રેયાન) – સમ્યકત્વ, જ્ઞાન, સમ્બોધ, સદાચરણ સજ્ઞાનના કારણે જે પ્રશંસ્ય હોય, શ્રેષ્ઠ હોય, સુંદર હોય તે. પાવ(પાપીયાન) - મિથ્યાત્વ, અજ્ઞાન દુરાચરણના કારણે જે અપ્રશંસ્ય-નીંદનીય હોય, નિકૃષ્ટ, અસુંદર હોય તે. મU૬:- સ્વયં પોતાને માને કે અન્ય તેને માને, આ રીતે મUા શબ્દથી બંને અર્થ થાય છે. કારણ કે HUM શબ્દના અન્યતે અથવા મને ગત બે રૂપ થાય છે. Rયત્તિ સરિતા - વ્યવહારથી (દ્રવ્યથી) અન્યને શ્રેષ્ઠ પુરુષની સદેશ જાણવા. સેયર સરિસા મUણ – સ્વયં પોતાને અથવા અન્ય તેને શ્રેષ્ઠ પુરુષની જેમ માને. ચારે ચૌભંગીઓ ભાવાર્થથી સ્પષ્ટ થઈ જાય છે. વક્તાની ચૌભંગીઓ - |१९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आघवइत्ता णाममेगे णो पविभावइत्ता, पविभावइत्ता णाममेगे णो आघवइत्ता, एगे आघवइत्ता वि