Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 601
________________ | સ્થાન–૪: ઉદ્દેશક-૪ . ૫૩૭ વિવેચન : તીર્થકર ભગવંતોને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પછી તેઓ પ્રથમ સમવસરણમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચાર તીર્થની સ્થાપના કરે છે. તે ચતુર્વિધ સંઘ તરીકે ઓળખાય છે. તે ચારે મળીને સંઘ કહેવાય છે અથવા તે પ્રત્યેકને પૃથક પૃથક રીતે પણ સંઘ રૂપે કહી શકાય છે. મતિ-બુદ્ધિના ચાર-ચાર પ્રકાર :९६ चउव्विहा बुद्धी पण्णत्ता,तंजहा- उप्पइया, वेणइया, कम्मिया, पारिणामिया। ભાવાર્થ :- મતિ ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઔત્પાતિકા, (૨) વૈનાયિકા, (૩) કાર્મિકા, (૪) પારિણામિકા. ९७ चउव्विहा मई पण्णत्ता, तं जहा- उग्गहमई, ईहामई, अवायमई, धारणामई। __ अहवा चउव्विहा मई पण्णत्ता, तं जहा- अरंजरोदगसमाणा, वियरोदगसमाणा, सरोदगसमाणा, सागरोदगसमाणा । ભાવાર્થ -મતિ ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) અવગ્રહ મતિ (૨) ઈહામતિ (૩) અવાય મતિ (૪) ધારણા મતિ. અથવા ચાર પ્રકારની મતિ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઘડાના પાણી સમ, (૨) ખાડાના પાણી સમ, (૩) સરોવરના પાણી સમ, (૪) સમુદ્રના પાણી સમ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં મતિજ્ઞાનના મૃતનિશ્રુત અને અતનિશ્રિત આ બે ભેદોનું તેના ચાર–ચાર ભેદ સાથે સ્વરૂપ દર્શાવ્યું છે. પાંચ ઈદ્રિય અને મનથી શ્રુતના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે અને શ્રુતના આધાર વિના જ ચાર પ્રકારની બુદ્ધિથી જે જ્ઞાન થાય તેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહે છે. અશ્રુત નિશ્રિત- પહેલાં સાંભળ્યું કે જોયું ન હોય તેમાં બુદ્ધિ ઉત્પન્ન થાય તે અશ્રુતનિશ્રિત કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં તેના ચાર પ્રકાર કહ્યા છે. (૧) ૩પ્પા :-ઔત્પત્તિકી બુદ્ધિ. પૂર્વ અદષ્ટ, અશ્રુત અને અજ્ઞાત તત્ત્વને તત્કાલ જાણનારી, પ્રત્યુપન્ન અથવા અતિશાયિની પ્રતિભા સંપન્ન બુદ્ધિ. (૨) વેળા - વૈનાયિકી બુદ્ધિ. ગુરુજનોનો વિનય અથવા સેવા, સુશ્રુષા કરવાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે.

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639