Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
| ૪૦૧ |
ઘટિત ન થાય તેવા પણ હોય છે. વર્તમાનમાં પણ મનુષ્યોના નામનો અર્થ પ્રાય: ઘટિત થતો નથી. જેમ કેપ્રકાશચંદ્ર. તે નામવાળો પુરુષ કોઈપણ સ્થાને પ્રકાશ કરતો નથી. તે જ રીતે અંતરદ્વીપના યુગલિક મનુષ્યોના નામ માટે પણ સમજવું. દા.ત. અકર્ણદ્વીપમાં અકર્ણ નામના મનુષ્યને કાન હોય જ છે, ગોમુખ યુગલિક ગાય જેવા મોઢાવાળા હોતા નથી અર્થાત્ તે યુગલિકોની આકૃતિ પશુ જેવી હોય, તેમ ન સમજવું. મહાપાતાલ કળશ અને આવાસ પર્વત :११० जंबुद्दीवस्स णं दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ चउदिसिं लवणसमुदं पंचाणउई पंचाणउई जोयणसहस्साई ओगाहित्ता, एत्थ णं महइमहालया महालंजर- संठाणसंठिया चत्तारि महापायाला पण्णत्ता, तं जहा- वलयामुहे, વોડા, કૂવા, રે !
तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्ठिईया परिवसंति, તં નહીં- , મહીને, વનવે, મંગળ .. ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપની બહારની વેદિકાના અંતિમ ભાગથી ચારે દિશાઓમાં લવણ સમુદ્રમાં પંચાણુ પંચાણ હજાર યોજન જઈએ ત્યારે ઘણા વિશાળ અને ઘડાના આકાર જેવા આકારવાળા ચાર મહાપાતાલ કળશ આવે છે, તે આ પ્રમાણે છે– (૧) વડવામુખ(પૂર્વમાં) (૨) કેતુક(દક્ષિણમાં) (૩) યૂપક(પશ્ચિમમાં) (૪) ઈશ્વર(ઉત્તરમાં).
ત્યાં પલ્યોપમની સ્થિતિવાળા, મહર્ફિક ચાર દેવ રહે છે, તે આ પ્રમાણે છે– (૧) કાલ (૨) મહાકાલ (૩) વેલમ્બ (૪) પ્રભંજન. १११ जंबुद्दीवस्स णं दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ चउद्दिसिं लवणसमुदं बायालीसं बायालीसं जोयणसहस्साइं ओगाहित्ता, एत्थ णं चउण्हं वेलंधरणागराईणं चत्तारि आवासपव्वया पण्णत्ता, तं जहा- गोथूभे, ૩૬માણે, સંવે, વાલીને !
तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्टिईया परिवसंति, તંગ-પૂણે, સિવણ, સંવે, મળસિતા ભાવાર્થ :- જંબદ્રીપ નામના દ્વીપની બહારની વેદિકાના અંતિમ ભાગથી ચારે દિશાઓમાં લવણ સમુદ્રમાં બેંતાલીશ બેંતાલીશ હજાર યોજન જઈએ ત્યારે વેલંધર નાગરાજના ચાર આવાસ પર્વત આવે છે, તે આ પ્રમાણે છે– (૧) ગોસૂપ (૨) ઉદકભાસ (૩) શંખ (૪) ઉદકસીમ.
ત્યાં પલ્યોપમની સ્થિતિવાળા મહદ્ધિક ચાર દેવો રહે છે, તે આ પ્રમાણે છે– (૧) ગોસૂપ (૨) શિવક (૩) શંખ (૪) મનઃશિલાક.