Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૩૯ ]
एगे पव्वावण अंतेवासी वि उवट्ठावण अंतेवासी वि, एगे णो पव्वावणंतेवासी णो उवट्ठावण अंतेवासी, धम्मंतेवासी । ભાવાર્થ :- અંતેવાસી શિષ્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ સાધુ આચાર્યના દીક્ષિત અંતેવાસી શિષ્ય હોય છે પરંતુ ઉપસ્થાપિત (વડી દીક્ષાના)અંતેવાસી શિષ્ય ન હોય (૨) કોઈ ઉપસ્થાપિત શિષ્ય હોય પણ પ્રવ્રજિત શિષ્ય ન હોય (૩) કોઈ ઉભય પ્રકારના અંતેવાસી શિષ્ય હોય (૪) કોઈ બંને પ્રકારના અંતેવાસી ન હોય પણ ધર્મ પમાડેલ, સંસ્કારિત કરેલ અંતેવાસી હોય.
४० चत्तारि अंतेवासी पण्णत्ता, तं जहा- उद्देसणंतेवासी णाममेगे णो वायणंतेवासी, वायणंतेवासी णाममेगे णो उद्देसणंतेवासी, एगे उद्देसणंतेवासी वि वायणंतेवासी वि, एगे णो उद्देसणंतेवासी णो वायणंतेवासी, धम्मंतेवासी । ભાવાર્થ :- અંતેવાસી શિષ્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ સાધુ સૂત્ર ભણાવેલા શિષ્ય છે પણ અર્થ ભણાવેલા શિષ્ય નથી (૨) કોઈ અર્થ ભણાવેલા શિષ્ય છે પણ સૂત્ર ભણાવેલા નથી (૩) કોઈ આચાર્ય દ્વારા સૂત્ર, અર્થ ઉભય ભણાવેલા શિષ્ય છે. (૪) કોઈ માત્ર ધર્માન્તવાસી છે અર્થાત્ સૂત્રાર્થ-વાચનતંતેવાસી નથી.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં દીક્ષા અને વાચનાની અપેક્ષાએ આચાર્ય તથા શિષ્યની ચૌભંગીઓ દર્શાવી છે.
પષ્યવળપિ - જે શિષ્યને જે આચાર્ય કે વડીલ નવ દીક્ષા આપે છે તે તેના પ્રવ્રાજનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો પ્રવ્રાજના અંતેવાસી કહેવાય. પળાય = નવી દીક્ષા.
૩વફાવળારિ:- જે આચાર્ય જેના વડી દીક્ષાના દાતા છે તે તેના ઉપસ્થાપનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો ઉપસ્થાપના અંતેવાસી શિષ્ય કહેવાય. ૩વકુવUT = વડી દીક્ષા.
જન્મ રિ:- જે આચાર્ય કે સાધુનો દીક્ષા સંબંધ નથી પણ ધર્મપ્રેરણા, સંસ્કાર, સહવાસનો સંબંધ છે તે પરસ્પર ધર્માચાર્ય અને ધર્માન્તવાસી કહેવાય.
સ રિ૫:- જે શિષ્યને જે આચાર્ય, ઉપાધ્યાય કે વડીલ સુત્રપાઠ ભણાવે, તે તેના ઉદ્દેશનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો ઉદ્દેશનાન્તવાસી કહેવાય.
વાણિઃ - જે શિષ્યને જે આચાર્ય, ઉપાધ્યાય કે વડીલ સુત્રાર્થ પરમાર્થ ભણાવે, તે તેના વાચનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો વાચનતંતેવાસી કહેવાય.
થર્મોgિ :- જે આચાર્ય-શિષ્યનો પરસ્પર સુત્ર-અર્થ વાચના સંબંધ નથી પણ અનુશાસન,