Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનમેદન કરે છે. તે તેમ કરવાથી તેને મિથ્યા ભાષણના કારણે પાપકર્મને બંધ થાય છે. એજ મૃષા પ્રત્યયિક નામનું છઠું ફિયાસ્થાન કહેવાય છે.
તાત્પર્ય એ છે કે–જે પુરૂષ પિતાને માટે અથવા પિતાના પરિવાર વિગેરે માટે સ્વયં અસત્ય વચન બોલે છે, બીજાઓને અસત્ય વચન બોલાવે છે, અથવા અસત્ય બોલવાવાળાનું અનુમોદન કરે છે, તેને મૃષાવાદથી થવા વાળું પાપકર્મ લાગે છે.
આનાથી પહેલાં પાંચ ક્રિયા સ્થાને કહેવામાં આવ્યા છે. એ બધામાં સાક્ષાત અથવા પરંપરાથી વધારે અથવા એછી હિંસા હોય જ છે, તેથી જ તેને દંડ સમાદાની સંજ્ઞા આપવામાં આવી છે. છઠ્ઠ થી આરંભીને તેમાં
સ્થાન સુધી જે સ્થાને કહેવામાં આવનાર છે. તેમાં પ્રાયઃ પ્રાણવધ હોતે નથી તેથી તેને “દંડસમાદાન' સંજ્ઞા ન આપતાં ‘કિંયાસ્થાન” શબ્દથી જ કહેલ છે.
(૭) અદત્તાદાન પ્રત્યધિક ક્રિયા સ્થાન– “બહાવરે પરમે વિચિટૂ ઈત્યાદિ
ટીકાથં–છટ કિયાસ્થાન કહીને હવે સાતમું કિયાસ્થાન બતાવવામાં આવે છે.--સાતમું કિયાસ્થાન અદત્તાદાન પ્રત્યધિક કહેવાય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. કોઈ પુરૂષ પિતાના નિમિત્તે અથવા યાવત્ પરિવારને નિમિત્તે પિતે જ અદત્ત (માલિકે આપ્યા વગરનું) ગ્રહણ કરે છે. અર્થાત્ ધનના માલિક પાસે યાચના કર્યા વિના જ તેના ધનને ચેરીથી ગ્રહણ કરી લે છે, અથવા બીજાની પાસેથી અદત્તને ગ્રહણ કરાવે છે, અથવા અદત્તનું ગ્રહણ કરવાવાળાનું અનુમોદન કરે છે. તે પુરૂષને અદત્તાદાનના નિમિત્તે પાપકર્મને બંધ થાય છે. આ અદત્તાદાન પ્રત્યય કથાસ્થાન કહેવામાં આવે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે--જે ધનને સ્વામી કેઈ બીજે હોય અથવા કેઈ પણ માલીક ન હય, એવા ધનને પિતાના માટે અથવા બીજાના માટે અથવા સ્વયં ગ્રહણ કરવાવાળે, બીજા પાસે ગ્રહણ કરાવવા વાળા અને ગ્રહણ કરવાવાળાને અનુમોદન કરવાવાળા અદત્તાદાનથી થવાવાળા કર્મથી બંધાય છે. આ અદત્તાદાન પ્રત્યય નામનું કિયાસ્થાન છે ૫૮
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
પ૭