Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘હિં જીવાળ” ઈત્યાદિ
શબ્દાર્થ–“સલિં-સર્વેષ સઘળા “વીરા-ઝવાનાં ત્રસ અને સ્થાવર જી પર “ચયા-પાર્થીવ દયા કરવા માટે “Hasોલં-સાવશs” સાવદ્ય દેષનો “પરિવરચંતા-વિચત્ત:' ત્યાગ કરવાવાળા “તરાં%િળ– ાિ” તથા સાવદ્ય દોષની શંકા કરવાવાળા “સિનો-ચર ઋષિ એવા ના જુત્તા જ્ઞાનપુત્રા જ્ઞાતપુત્રના અનુયાયી “મિત્ત-કટિમતિ[” ઔદેશિક આહારને રિવારિ-પરિવર્નાગિન' ત્યાગ કરે છે. ગા૦૪૦
અન્વયાર્થ–જગમાં વસતા સઘળા ત્રસ અને સ્થાવર જીની દયા માટે સાવદ્ય દેષને ત્યાગ કરવાવાળા તથા સાવદ્યની શંકા કરવાવાળા જ્ઞાતપુત્રના અનુયાયી સંયમી મુનિ ઔદેશિક આહારને પરિત્યાગ કરે છે. ૪૦
ટીકાર્ય–આદ્રક મુનિ ફરીથી કહે છે કે –આહત મતના સિદ્ધાંતને સાંભળો–મોક્ષની ઈચ્છાવાળા આત્માઓએ કદાપિ માંસનું ભક્ષણ કરવું ન જોઈએ, વિશેષ શું કહેવાય છે ઉદિષ્ટ આહારને પણ ત્યાગ કરવો જોઈએ. આ વાત બતાવવા માટે સૂત્રકાર કહે છે. -સમીપમાં રહેનારા દૂર રહેવાવાળા, અત્યંત દૂર રહેવાવાળા, પર્યાપ્ત, તથા અપર્યાપ્ત ત્રસ અને સ્થાવર બધા જ જીવોની રક્ષા કરવા માટે ષજીવનિકાયના આરંભ સમારંભને ત્યાગ કરવાવાળા, તથા સાવદ્ય કમૅમાં શંકા કરવાવાળા, અર્થાત્ સાવદ્ય ક્રિયાથી ઘણા કરવાવાળા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરની આજ્ઞામાં રહેનારા, સંયમી મુનિ કર્મબંધની આશંકાથી
દેશિક આહારનો ત્યાગ કરે છે. અર્થાત્ અમુક સાધુને નિમિત્ત બનાવવામાં આવેલ આહાર ગ્રહણ કરતા નથી. તે પછી માંસ ભક્ષણની તે વાત જ શી કરવી? અર્થાત્ માંસ ભક્ષણની તે ઈચ્છા પણ કરતા નથી. સભા
“મૂયામિસંarg ટુjછમાળા' ઈત્યાદિ
શબ્દાર્થ–મુવામિiા-મૂતામિરાયા' પ્રાણિની હિંસાના ભયથી “દુનું મા-grણમાનઃ સાવદ્ય ક્રિયાથી ઘણા કરવાવાળા ઉત્તમ પુરૂષ “પતિ કાળા રંઉં નિદાચ-સર્વેષ કાળાનાં હું નિહા” બધા જીવોને દંડ (મારવાના) દેવાના વિચારને ત્યાગ કરીને “તા તહવારં–તમાન્ તથાબાદ” તેવા પ્રકારને દૂષિત આહાર “ મુવંતિ-મુજને ગ્રહણ કરતા નથી. “રૂર આ જૈન શાસનમાં “પાવાળ-સંઘતાનાં' સાધુઓને “કોણg!' આ પ્રકારને જીવ- પરમ્પરાથી પ્રાપ્ત થુત ચારિત્રરૂપ ધર્મ છે. 8
અન્વયાર્થ–પ્રાણિની હિંસાના ભયથી સાવદ્ય ક્રિયાની ઘણા કરવાવાળા ઉત્તમ પુરૂષે સઘળા જીવોને દંડિત કરવાનો (મારવાનો) ત્યાગ કરીને દૂષિત આહાર ગ્રહણ કરતા નથી. જૈન શાસનમાં સાધુઓને આ પરમ્પરાગતતીર્થકરની પરંપરાથી પ્રાપ્ત કૃત ચારિત્ર રૂપ ધર્મ છે. ૪
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર : ૪
૧૯૯