Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેવાને ત્યાગ કરેલ નથી. પરંતુ અનર્થ દંડ દેવાને ત્યાગ કરેલ છે, તેમાં તે જન્મ ધારણ કરે છે, શ્રાવક તેને નિરર્થક દંડ દેતા નથી, તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે, તેથી જ શ્રાવકના વતને નિર્વિષય કહેવું તે ન્યાયયુક્ત નથી.
જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રાવક દ્વારા ગ્રહણ કરેલ દેશપરિણામથી જૂદા દેશમાં રહેલા છે, જેને શ્રાવકે વ્રત ગ્રહણથી લઈને મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કરેલ છે. તેઓ એ આયુષ્યને ત્યાગ કરીને શ્રાવક દ્વારા ગ્રહણ કરવામાં આવેલ દેશ પરિણામથી બહારના બીજા દેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, જેને શ્રાવકે વ્રત ગ્રહણથી લઈને મરણત દંડદેવાને ત્યાગ કરેલા છે. તેમાં ઉપન્ન થાય છે. તેથી જ શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે. તેથી જ શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે, તેમ કહેવું તે ન્યાયયુક્ત નથી.
ભગવાન ગૌતમ સ્વામી એ કહયું-આમ કયારે ય થયું નથી આમ ક્યારેય થશે નહીં અને વર્તમાનમાં થતું પણ નથી કે-આ સંસારમાં રસ છો ને વિચ્છેદ થઈ જાય અર્થાત્ કઈ ત્રસ પ્રાણી જ ન રહે, અને સંસાર ના બધાજ પ્રણ સ્થાવર જ હોય, અથવા થાવર ને વિરછેદ થાય, અને બધા ત્રસ પ્રાણિજ રહી જાય. જ્યારે ત્રસ અને સ્થાવર બને ને જ સર્વથા વિચ્છેદ થતું નથી, તે આપનું આ કથન યુક્તિયુક્ત નથી. કેએવાકેાઈ પર્યાય જ નથી. કે જ્યાં શ્રાવકનું પ્રત્યાખ્યાન સફળ થાય, જ્યારે રસ અને સ્થાવર અને જીવરાશી હંમેશાં રહે છે. તો શ્રાવકનું પ્રત્યાખ્યાન નિષ્ફળ થઈ શકતું નથી. અર્થાત્ સફળ થાય છે. તેમ સમજવું ૨૩.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૩૭