Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 236
________________ ગૌતમસ્વામી– જ્યારે તેઓ સાધુના વેષને ત્યાગ કરી દે અને ગૃહસ્થ બની જાય, તે પછી સાધુઓની સાથે સંભોગ કરવાને યોગ્ય ગણાય છે? નિર્ચ –ના, આ અર્થ બરાબર નથી. અર્થાત્ ગૃહસ્થ થયા પછી તેઓ સંગને યોગ્ય રહેતા નથી. ગૌતમવામી–આ તેજ જીવ છે, જે દીક્ષા લીધા પહેલાં સંભોગને યોગ્ય ન હતું. આ એજ જીવ છે કે જે દીક્ષા લીધા પછી સંગને યોગ્ય હતે. અને આ એજ જીવ છે કે જે-હવે દીક્ષાને ત્યાગ કર્યા પછી સંભેગને ગ્ય રહેલ નથી. આ એજ જીવ છે જે પહેલાં શ્રમણ ન હતોતે પછી શ્રમણ બને અને હવે પાછો શ્રમણ રહ્યો નથી. મને આશ્રમની સાથે સંગ કરવાનું કલ્પતું નથી. કેમકે તેઓને આચાર પ્રમાણે જે તે તેથી જ હે શ્રમણ નિગ્રો ! આપ એવું સમજે આપે એવું જ સમજવું જોઈએ. આજ પ્રમાણે જે શ્રમણે પાસકે ત્રસજીવની હિંસાને ત્યાગ કરેલ હોય, તેને માટે ત્રસ જીવ, હિંસાને વિષય બનતા નથી. પરંતુ જ્યારે એજ જીવ ત્રસ પર્યાયને ત્યાગ કરીને સ્થાવર બની જાય છે. તે પછી તે તેઓના ત્યાગને વિષય રહેતું નથી. આ રીતે પ્રત્યાખ્યાન પર્યાયની અપેક્ષાથી થાય છે. દ્રવ્યની અપેક્ષાએ થતું નથી. આ પ્રમાણે ગૌતમસ્વામીએ તે નિજૅને સમજાવેલ છે. ૧૧૫ ગૌતમસ્વામીકા દેશવિરતિ ધર્મ આદિકા સમર્થન “મા ર ા ટ્રાદુ” ઈત્યાદિ ટીકાર્થ_શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રકારાન્તરથી ઉદક પેઢાલપુત્ર વિગેરેના પ્રશ્નનો ઉત્તર આપે છે –હે ઉદક ! આ સંસાર કયારેય પણ ત્રસ જી વિનાને થતો નથી. અનેક પ્રકારથી સંસારમાં ત્રસ જીવ ઉત્પન્ન થતા રહે છે. આ વાત સંક્ષેપથી હું આપની પાસે પ્રતિપાદન કરૂં તે આપ ધ્યાન દઈને સાંભળે. ભગવાન શ્રી ગૌતમ સ્વામી કહે છે–આ લોકમાં ઘણા શ્રમણોપાસક એવા હોય છે કે-જેઓ સાધુની પાસે આવીને કહે છે–અમે મુંડિત થઈને અને શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૨૯


Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247