Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“m –ો તે’ નિંદા કરતા નથી. અર્થાત હે ગોશાલક! પ્રાણિના વધથી ધૃણા કરવા વાળા સાધુ કોઈની પણ નિંદા કરતા નથી. આ અમારે ધર્મ છે. આ કારણે નિરપરાધી એવા મારા પર નિંદા કરવાને આરેપ કરવો તે તમારા જેવાને એગ્ય નથી. હું કોઈની નિંદા કર્યા વિના વસ્તુ સ્વરૂપનું જ પ્રતિપાદન કરી રહેલ છું. ગા૦૧૪
અન્વયાઈ–ઉર્વદિશામાં અદિશામાં અને તિછદિશામાં જે વસ અને સ્થાવર પ્રાણું છે, તેની હિંસાથી ઘણું કરવાવાળા અર્થાત્ તેની વિરાધનાથી પાપ સમજીને બચવાવાળા સંયમવાન પુરૂષ આ લેકમાં કેઈની પણ નિંદા કરતા નથી. અર્થાત્ હે ગોશાલક પ્રાણિના વધથી ઘણા કરવાવાળા સાધુ કેદની પણ નિંદા કરતા નથી. આ અમારે ધર્મ છે. તે નિરપરાધી એવા મારા પર નિંદા કરવાને આક્ષેપ મૂકે તે આપના જેવાને ગ્ય નથી, હું તે કેઈની પણ નિંદા કર્યા વિના વસ્તુ સ્વરૂપનું જ પ્રતિપાદન કરૂં છું. ૧૪
ટીકાર્ય–આક મુનિ પોતાના ધર્મની પ્રરૂપણા કરવા માટે ફરીથી કહે છે કે–ઉંચી, નીચી, અને તિછી દિશાઓમાં ત્રસ અને સ્થાવર જે પ્રાણિ છે, તે પ્રાણિની હિંસાથી ઘણે કરતા થકા અર્થાત જીવોની હિંસાથી સાવદ્ય કિયા થાય છે, તેમ સમઝતા થકા સંયમી પુરૂષ જગતમાં કોઈની પણ નિંદા કરતા નથી. હે ગોશાલક ! આ મારો ધર્મ છે. તેથી હું નિરપરાધી છું તે પણ તમે મને નિંદા કરવારૂપ અપરાધી કહી રહ્યા છે, તમારૂં આ કથન અગ્ય છે. હુ નિંદા કરતા નથી. તેમ નિંદા કરાવતે પણ નથી. પણ કેવળ વતું સ્વરૂપનું જ પ્રતિપાદન કરું છું. ગાલા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૭૮