Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai
Catalog link: https://jainqq.org/explore/005023/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી મદ્ અને ગાંધીજી ( પ્રતિ ભા - પ રિ ચ ય ) સ ડુિંક પામી 2 છે. આ ભાવ ( ) gar Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંધીજી ( પ્રતિભા–પરિચય ) મ ગ્રાહક શ્રી પુણ્યવિજયજી (જિજ્ઞાસુ) Jain Education Internationa Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : સ, નગીનદાસ ગિરધરલાલ શેઠની મિલ્કતના ટ્રસ્ટીઓ વતી શ્રી જમનાદાસ પી. શેઠ માઉન્ટ યુનીક, પૈડર રેડ મુંબઈ-૨૬ મૂલ્ય : વાંચન-મનન-સદુપયોગ પિસ્ટેજ ૦–૧૫ પ્રાપ્તિસ્થાનઃ ભેગીલાલ ગિરધરલાલ શેઠ ૨૪, મેરબી હાઉસ, ગેવા સ્ટ્રીટ, કેર, મુંબઈ-૧ પ્રત : ૧૫૦૦ મુક : વિ. સં. ૨૦૧૭ સાધના મુદ્રણાલય મહા સુદ ૧૫ ભાવનગર Jain Education Internationa Page #4 -------------------------------------------------------------------------- ________________ 19 Jinshasun 88120 landir@kobatirth.org A શ્રીમદ્ રાજચંદ Jain Education Internationa Page #5 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internationa Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક સદ્ધર્મ જિજ્ઞાસુ સદ્. શ્રી નગીનદાસ ગિ. શેઠની મિલ્કતના ટ્રસ્ટીઓ તરફથી આ અગાઉ શ્રીમદ્ રાજચંદ્ર રચિત આત્મસિદ્ધિશાસ્ત્ર વિવેચન સહિત “પરમપદપ્રાપ્તિની ભાવના ભક્તિમાર્ગનું રહસ્ય શ્રીમદ્ રાજચંદ્ર: ઊવિકરણને આંતર પરિચય અને “સંતની અમૃતવાણી એ પાંચ કૃતિઓ પ્રગટ થયેલ છે. હવે આ છે નાનું પુસ્તક “શ્રીમદ્દ અને ગાંધીજી પ્રગટ કરતાં ટ્રસ્ટીઓને સંતોષ થાય છે. આ બંને મહાપુરુષ સમકાલીન હતા અને પરસ્પર ગાઢ સમાગમમાં આવ્યા હતા. બેઉ ધર્મપ્રેમી અને અધ્યાત્મમાર્ગી હોવા છતાં બંનેને વિચિત્ર પૂર્વકર્માનુસાર તેઓને વ્યવહારોપાધિને ઉદય ભિન્ન ભિન્ન પ્રકારનો હતો અને તે ઉપાધિની સમતાભાવે નિવૃત્તિ કરતાં કરતાં શ્રીમના પવિત્ર પરિચય માં ગાંધીજી છેલ્લે અધ્યાત્મશાંતિ અનુભવવાના ભાગી થયા તથા ઉભય પોતપોતાના પુસ્નાર્થ અનુસાર આત્મલાભની પ્રાપ્તિ કરી શક્યા હતા. Jain Education Internationa Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્જી પૂર્વની બળવાન અધ્યાત્મભાવના અને સાધનાના ફળરૂપે એકધારો આત્મવિકાસ સાધી આત્મશ્રેયની પરમેચ સ્થિતિને વર્યા હતા. ગાંધીજીએ પૂર્વકાળમાં પરમાર્થભાવનાની સાથે સાથે વોની સંસારથી દુઃખી પરાધીન દશા જોઈ તેમાંથી તેમને છેડાવવાની પ્રબળ ભાવના ભાવી હશે, અને તેનાં સતત વિચારમંથનનના સંસ્કારથી તપ્રકારનું નિકાચિત કર્મ બાંધ્યું હશે, જે ઉદયમાં આવતા ભારતની સ્વતંત્રતા માટે અહિંસક લડત ઉપાડવી પડી અને પરિણામે તેમાં સફળતા મેળવી. ગાંધીજીને ઉદયગત સમાજકલ્યાણની બાહ્ય પ્રવૃત્તિ સાથે સાથે શ્રીમના પવિત્ર સમાગમ અંતરગત આત્મકલ્યાણની પ્રવૃત્તિ પણ ક્રમશઃ વિકાસ પામતી જતી હતી તેના પરિણામે અધ્યાત્મશાંતિ અનુભવી આત્મશ્રેમને પામી શક્યા, તેને પરિચય તે આપણને ખૂન કરનાર પર પણ પ્રેમ કરે, એ શ્રીમજીએ શિખડાવેલ જીવનમંત્ર પોતાના જીવનમાં સાર્થક કરતાં. તેમાં લીભૂત થતાં ગાંધીજીનું ગોડસે નામની * મ ગાંધીજીએ ભારતને અપાવેલી આઝાદીને સ્વાદ હજુ સુધી પ્રજાને મળી શકયો નથી, તે દેશ અને દેશવાસીઓની ભારે કમનસીબી છે. Jain Education Internationa Page #8 -------------------------------------------------------------------------- ________________ Mahatma Gandhi महात्मा गांधी Jain Education Internationa Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internationa Page #10 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિએ ગાળોબારથી ખૂન કરવા છતાં તેની પ્રત્યે દૂધ નહિ ધરાવતાં-પ્રેમનું ઝરણું વહાવી જીવનલીલા સમાપ્ત કરી. ભારતની આવી એ મહાવિભૂતિઓને પ્રતિભા-પરિચય આ લઘુ ગ્રંથમાં વાચકને સહેલાઇથી મળી શકશે, તેથી તે સબંધે વિસ્તાર કરવા અનાવશ્યક જણાય છે. શ્રીમદ્ અધ્યાત્મતી પરમાચ્ચ સ્થિતિએ પહેોંચેલા એક લોકોત્તર નાની મહાપુરુષ હતા, એ બાબતમાં મુખ્યતાએ વિશિષ્ટ પરિચય સ્વય' ગાંધીએ શ્રીમની જયતિ આદિ જુદા જુદા પ્રસંગે શ્રીમદ્ અંગે જે વચના ઉચ્ચારેલ તથા પેાતાની “આત્મકથા” પુ॰ માં ઉલ્લેખેલ તેને યથાસ્થિત ગોઠવીને પેટા મથાળાપૂર્વક આ પુ॰ માં આપવામાં આવેલ છે, તેની પહેલા ગાંધીજીએ પૂછાવેલ ૨૭ પ્રશ્નો તથા શ્રીમદ્ભુએ સમાધાનરૂપે આપેલ ઉત્તર આપેલ છે, ત્યારબાદ ગાંધીજીના ૨૭ પ્રશ્નોમાંથી કેટલાક કથનાનું આ ભગવદ્ગીતાના શ્લોકના આધારે ઉપયોગી “પરિશિષ્ટ” આપવામાં આવેલ છે. મ॰ ગાંધીજના સત્ય અને અહિંસા આદિ ઉત્તમ ગુણાને ઘેાડાક પરિચય પણ આ પુ॰માં વિચારકને જોવા મળશે. અત્રે એ બધુ વિગતથી આપવાને અવકાશ નથી. તે અંગે Jain Education Internationa Page #11 -------------------------------------------------------------------------- ________________ તેઓએ લખેલું “આત્મકથા વગેરે સાહિત્ય જિજ્ઞાસુએ વાંચી-વિચારી જવા ભલામણ છે, કે જેમાં તેમની નિર્દોષતા, નિખાલસતા, સત્યનિ, બધા સાથે (ભારત હો કે પાકીસ્તાન છે, વિલાયત છે કે અન્ય દેશ છે.) આત્મીયમની પ્રેમદષ્ટિ તથા આચારમાં કથની તેવી જ કરણી વગેરે ઉત્તમ ગુણોને પરિચય મળી શકે તેમ છે અને તેથી તો સારીએ દુનિયા. ભલભલા ગાંધીજી પ્રત્યે આકર્ષાયા જે સુપ્રસિદ્ધ છે. આ બંને મહાપુના પૂર્વ પ્રારબ્ધના પ્રકારો ભિન્ન ભિન્ન હોવાથી બંનેના કાર્યક્ષેત્ર પણ અલગ અલગ હતા. આ બાબતમાં શ્રીમદ્ભી જીવનસિદ્ધિ' નામના બૃહદ ગ્રંથમાં ઉલ્લેખેલ છે. સરયુબેનના નીચેના શબ્દ ઉપયોગી દેઈ અત્રે રજુ કરીએ છીએ.— આમ છતાં બંનેમાં એક મુખ્ય તફાવત હતો તે બતાવતાં ગાંધીજી પોતે જ લખે છે કે – આપણે સંસારી જ છીએ ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક ચેનિઓમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે Jain Education Internationa Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ વાયુવેગે મેક્ષ તરફ ધસી રહ્યા હતા. આ ઘેાડા પુરુષાર્થ નથી. ’ આમ થવાનું મુખ્ય કારણ અનેના ધ્યેયના ભેદ હતા. શ્રીમદ્દે આત્મકલ્યાણનુ પેાતાનુ ધ્યેય બનાવ્યું હતું. ગાંધીજીએ સામાજિક કલ્યાણને પેાતાના ધ્યેય તરીકે સ્વીકાર્યુ હતુ. આથી આત્મકલ્યાણના દૃષ્ટિબિંદુથી વિચારીએ તે। શ્રીમની કક્ષા ગાંધીજી કરતાં ઘણી ઊંચી હતી જેને ગાંધીજી જેવી મહાન વ્યક્તિ પશુ મહાન ગણે છે, તે શ્રીમદ્ આપણા માટે ઘણી ઘણી મહાન વ્યક્તિ બની રહે તે સ્વાભાવિક છે.” . આ લધુ ગ્રંથના શરૂના ૩૨ પાનાના ભાગ ડૉ. સયુએન આર. મહેતા લિખિત શ્રીમદ્ની જીવનસિદ્ધિ’ પુ॰માંથી લેવામાં આવ્યો છે, તે બદલ ટ્રસ્ટીએ તેમને આભાર માને છે. પુસ્તકમાં સર્વ સંગ્રહ કરવાનું કાર્ય વવાણીયાસ્થિત મુનિશ્રી પુણ્યવિજયજી (જિજ્ઞાસુ) મહારાજે પેાતાની વૃદ્ધાવસ્થા, દેહની વ્યાધિષ્ઠત નબળી સ્થિતિ હોવા છતાં ઉલ્લાસિત ભાવથી પ્રેરાને કર્યું છે. ઉપરાંત પ્રૂફરીડીંગ વગેરે કઠિન કામ પણ ઉત્સાહથી કરેલ છે, તે માટે બધા ટ્રસ્ટી વતી તેમને ઘણા આભાર માનું છું. Jain Education Internationa Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાવનગર સાધના પ્રેસવાળા શ્રી ગિરધરલાલભાઈએ આ નાનુ પુસ્તક કાળજીપૂર્વક છાપી આપવા બદલ તેમને પણ અત્રે આભાર માનવેા ઉચિત સમજું છું. લિ. સંતચાપાસક ભોગીલાલ ગિ॰ શેઠ ... મૈં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કાઈના જીવેનમાંથી મેં ગ્રહણ કર્યું. હાય તા તે કવિશ્રીના જીવનમાંથી છે. ” ૧૦ ગાંધી જેને આત્મકલેશ ટાળવા છે, જે પાતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદ્નાં લખાણામાંથી બહુ મળી રહેશે. મ॰ ગાંધીજ Jain Education Internationa Page #14 -------------------------------------------------------------------------- ________________ કowesome 3 સમર્પણ somewhere લોકવ્યાપક એવા અંધકારને વિશે સ્વએ કરી પ્રકાશિત જેમ છે તેમ યથાતથ્ય વસ્તસ્વરુપને દેખી આ પંચમકાળમાં અમૃતના મેહ વરસાવનાર એવા લેર મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીને અત્યંત ભક્તિભાવે નમસ્કાર કરી આ લઘુ કૃતિ તેઓશ્રીના ચરણકમળમાં સમર્પણ Jain Education Internationa Page #15 -------------------------------------------------------------------------- ________________ સતના હૃદયનું કાઝરણું (અંતરનું અમૃત) શ્રીમદ્ રાજચંદ્રજીની કરુણામય જીવનર્દિષ્ટને આ એક પ્રસંગ છે. આવા તે તેમનાં જીવનમાં નાના મેાટા ઘણા પ્રસગા બનેલા છે. એકવાર એક આરબ વેપારી સાથે શ્રીમદે હીરાના સાદા કર્યાં. એવુ નક્કી કરવામાં આવ્યું કે, અમુક સમયે નક્કી કરેલા ભાવ પ્રમાણે એ વેપારીએ બીમને અમુક હીરા આપવા. આ બાબતને ખતપત્ર પણ એ વેપારીએ શ્રીમદ્ન લખા આપ્યા હતા. '' આરબના મેાટા ભાઇએ પેાતાના નાના ભાઇને જેના માલ હતા તેના કાગળ બતાવી કહ્યું કે, “ આટલી કિંમત વગર માલ વેચવા નહીં એમ શરત કરી છે. તેં આ ખતપત્રમાં લખો આપી શું કર્યુ ? "" આ બાજુ એવું બન્યું કે, સમય પાકતાં એ હીરાની કિંમત ખૂબ જ વધી ગઇ. અને વેપારી ખતપત્ર પ્રમાણે હીરા આપે તે એ બાપડાને બહુ ભારે નુકસાનીમાં ઉતરવું પડે. પેાતાની બધી જ માલ મિલકત વેચી દેવી પડે હવે શું થાય ? આ બાજુ શ્રીમદ્ધે જ્યારે હીરાની કિંમતના બજાર ભાવતી ખબર પડી ત્યારે તે તરત જ પેલા વેપારીની દુકાને જઇ પહોંચ્યા. શ્રીમન્ને પેાતાની દુકાને આવેલા જોઇને પેલા વેપારી Jain Education Internationa Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ગભરાટમાં પડી ગયા. તે કરગરતા મેલ્લે કે, “ રાયચંદભાઇ આપણી વચ્ચે થયેલા હીરાના સાદા અંગે હું ખૂબ ચિંતામાં પડી ગયા બ્રુ. મારૂં જે થવાનુ હાય તે થાએ, પણ તમે ખાતરી રાખજો કે હું તમને આજના બજારભાવે સાદા ચૂકવી આપીશ. તમે ચિંતા કરશેા નહીં. ” t એ સાંભળીને શ્રીમદ્ રાજચંદ્રજી કરૂણાભર્યા અવાજે ખેલ્યા : “ વાહ ભાઇ વાહ ! હું ચિંતા શા માટે નહિં કરૂ? તમને સાદાની ચિંતા થતી હોય તા મને શા માટે ચિ'તા ન થવી ોઇએ ? પરંતુ આપણા બંનેની ચિંતાનું મૂળ કારણ તે આ કાગળિયું જ છે ને? એના જ નાશ કરી દએ તે આપણા બંનેની ચિંતા મટી જશે. એમ કહીને શ્રીમદ્ રાજચત્રે સહજભાવે પેલેા દસ્તાવેજ કાડી નાખ્યા. પછી શ્રીમદ્ ખેલ્યા, “ ભાઇ, આ ખતપત્રને કારણે તમારા હાથપગ બંધાયેલા હતા; બજારભાવ વધી જવાથી તમારી પાસે મારા સાર્ડ સીત્તેર હજાર લેણા નીકળે. પરંતુ હું તમારી સ્થિતિ સમજી શકું છું. એટલા બધા રૂપિયા હું તમારી પાસેથી લઉ તે તમારી શી વલે થાય ? પરંતુ રાયચંદ્ર દૂધ પી શકે છે, લેાહી નહિ. 27 આ કેટલી ઉત્કૃષ્ટ ત્યાગવૃત્તિ ! આ સાંભળી પેલા બાપડા વેપારી તે। આભારવશ બની ફિરસ્તા સમાન શ્રીમન્ને જોઈ જ રહ્યો. Jain Education Internationa Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદના ચિત્તની ચિતન્યમય દશા પૂર્ણકામ પિત્તને નમોનમઃ આત્મા બ્રહ્મસમાધિમાં છે, મન વનમાં છે. એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે.” –અંક, ર૮૧ X x “ એક આત્મપરિણતિ સિવાય સવ બીજા ભાવને વિશે ઉદાસીનપણું વતે છે.” – અંક ૫૮ Jain Education Internationa Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી (પ્રતિભા પરિચય) , , , મહાત્મા ગાંધીજીને જન્મ વિ. સં. ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના રોજ પોરબંદરમાં થયે હતો તેઓ શ્રીમદુથી લગભગ પોણાબે વર્ષે નાના હતા તેમના પિતામહ, પિતાશ્રી અને મોટાભાઈ ત્રણે પિરબદરમાં અનુક્રમે દીવાન થયેલા, અને પાછલ વયમાં તેમને પિતાશ્રી રાજેકેટ સ્ટેટના દીવાન હતા ગાંધીજી તેમના પિતાના સૌથી નાના પુત્ર હોવાથી તેમનું બાળપણ સામાન્ય રીતે રાજકોટમાં જ વીતેલું અને એમને અભ્યાસ પણ ત્યાં જ થયેલ. શ્રીમ બાલ્યકાળ મુખ્યત્વે વવાણિયામાં જ પસાર થયેલો , * ''.. - * Jain Education Internationa Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨ : શ્રીમદ અને ગાંધીજી અને તેમણે શાળાના અભ્યાસ તા મહે ઘેાડી મુદ્દતમાં છાડી દીધેલા, તેથી વવાણિયા બહાર રહેવાના તેમને નાની વયમાં ઝાઝે પ્રસંગ પડૅલેા નહિં. વિ. સ. ૧૯૪૩માં ગાંધીજી. મેટ્રીક પાસ થયા; તે પછી કાયદાના અભ્યાસ માટે તેમને વિલાયત મેાકલવામાં આવા ત્યાં જતાં પહેલાં તેમના માતુશ્રીએ તેમને પરસ્ત્રી, દારુ અને માંસાહાર એ ત્રણના ત્યાગની પ્રતિજ્ઞા એક જૈન મુનિ પાસે લેવડાવી હતી, જે તેમણે પૂરેપૂરી પાળી હતી. વિ. સ’. ૧૯૪૦ પછીથી શ્રીમદ્નની અવધાની તરીકેની મકવા લાગી હતી. વિ. સ. ૧૯૪૩થી તેઓ વેપારાર્થે મુંબઇ આવ્યા. ત્યાં તેમણે અવધાનના અનેક પ્રયાગ કર્યો અને વિશેષ ખ્યાતિ પ્રાપ્ત કરી. આ સમય સુધીમાં શ્રીમદ્ તથા ગાંધીજીના મેળાપ થયા ન હતા. તેએની સૌપ્રથમ મુલાકાત ૧૯૪૭માં ગાંધીજી વિલાયતથી હિંદ પાછા ફર્યાં તે જ દિવસે મુ અઈમાં થઇ. શ સ'. (a. Jain Education Internationa Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૩ ગાંધીજીને વિલાયતમાં શ્રી રેવાશંકર જગજીવનના ભાઈ ડો. પ્રાણજીવનદાસ મહેતા સાથે ગાઢ પરિચય થયે હતે. તેથી વિ. સં. ૧૯૪૭ના જેઠ માસમાં ગાંધીજી અભ્યાસ પૂર્ણ કરી હિંદ આવ્યા ત્યારે શ્રી પ્રાણજીવનદાસ મહેતાએ તેમને પિતાને ઘેર ઉતારે આ હતે. તે જ દિવસે ગાંધીજીને તેમના માતશ્રીના અવસાનના ખબર આપવામાં આવ્યા. વિલાયતમાં એકલા રહેતા ગાંધીજી એ સમાચાર જીરવી નહિ શકે એમ ગણી તેમના મોટાભાઈએ એ ખબર તેમનાથી છુપાવ્યા હતા. માતાનું અવસાનને ઘા ગાંધીજી ખમી ગયા. તે જ દિવસે શ્રીમદ્ ર્ડો. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં ગયા હતા. તે વખતે તેમની ગાંધીજી સાથે ઓળખાણ થઈ. ગાંધીજીને શ્રીમદૂની ઓળખાણું ડો. પ્રાણજીવનદાસના મોટાભાઈ પિપટભાઈના જમાઈ તથા કવિ અને અવધાની તરીકે કરાવવામાં આવી. શ્રીમદુની શક્તિનો થડે પરિચય ગાંધીજીને તે વખતે થ, અને છેડી વાતચીતમાં જ ગાંધીજી શ્રીમદ્ પ્રતિ Jain Education Internationa Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રીમદ્દ અને ગાંધીજી આકર્ષાયા, પહેલી જ મુલાકાતમાં શ્રીમની પિતાના પર કેવી છાપ પડી હતી તેનું સુંદર વર્ણન કરતાં ગાંધીજીએ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છે કે – દાક્તરે રાયચંદભાઈને કવિ કહીને ઓળખાવ્યા, અને મને કહ્યું, “કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે. શતાવધાની છે. ” “કેઈએ સૂચના કરી કે, મારે કેટલાક શબ્દો તેમને સંભળાવવા ને તે તે શબ્દો ગમે તે ભાષાના હશે તે પણ જે ક્રમમાં હું બોલ્યા હશ તે જ ક્રમમાં પાછા કહી જશે.” મને આ સાંભળીને આશ્ચર્ય થયું. હું તે જુવાનિ, વિલાયતથી આવેલે, મારા ભાષાજ્ઞાનને પણ ડેળ, મને વિલાયતને પવન ત્યારે કઈ એ છે ન હતા. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા.” મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દ પ્રથમ મેં લખી કાઢ્યા Jain Education Internationa Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૫ કેમકે મને કેમ ક્યાં યાદ રહેવાને હતો ? અને પછી તે શબ્દ હું વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયે, ચકિત થયે અને કવિની સ્મરણશક્તિ વિશે મારે ઊંચે અભિપ્રાય બંધાયે. વિલાયતને પવન હળવે પાડવા સારુ આ અનુભવ સરસ થયે ગણાય.” “ કવિને અંગ્રેજી જ્ઞાન મુદ્દલ ન હતું. તેમની ઉંમર તે વખતે પચીસથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થોડો જ અભ્યાસ કરેલો. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસનાઓ તરફથી માન. આથી હું મહા.” સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી, જ્ઞાન પણ નિશાળની બહાર જે ઈચ્છા થાયજિજ્ઞાસા હોય–તે મળે, અને માન પામવાને સારુ વિલાયત કે ક્યાં જવું નથી પડતું, પણ ગુણને Jain Education Internationa Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ : શ્રીમદ્દ અને ગાંધીજી માન જોઈએ તો મળી રહે છે, એ પદાર્થપાઠ મને મુંબઈ ઊતરતાં જ મળે.” “ કવિની સાથે આ પરિચય બહુ આગળ ચાલે. સ્મરણશક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જે તે સંસકારી ન હોય, તે તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારે હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાન મેળાપ શોભે અને જગતને શોભાવે. કવિ સંસ્કારી અને જ્ઞાની હતા.” ૧૯ આમ પહેલી જ મુલાકાતથી ગાંધીજી શ્રીમદ્દ પ્રત્યે આકર્ષાયા, તેમને વિલાયતને પવન હળ પડ્યો, અને જ્ઞાન મેળવવા વિલાયત જવું પડે તે તેમની માન્યતા શ્રીમદુના મેળાપથી દૂર થઈ ૧૯. “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” ૫. ૪૪, આ જ પ્રસંગ ગાંધીજીએ પિતાની “આત્મકથા”ના બીજા ભાગના પહેલા પ્રકરણમાં પણ આલેખે છે. Jain Education Internationa Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૭ તે પછીથી ગાંધીજી વકીલાતની શરૂઆત કરવા મુંબઈમાં જ રોકાયા. તે દરમ્યાન તેઓ શ્રીમદુને વારંવાર તેમની પેઢી પર મળતા. તે વખતે તેમનામાં ધર્મજિજ્ઞાસા બહુ ન હતી, પણ સામાન્ય જીવનમાંથી ઊઠતા અનેક પ્રશ્નોનું ધર્મની દૃષ્ટિએ નિરાકરણ શ્રીમદ્ બહુ સારી રીતે કરતા, એટલે ગાંધીજીને તેમનું માર્ગ દર્શન બહુ મદદરૂપ થતું. વળી, ગાંધીજી શ્રીમદુના મેળાપ વખતે તેમની રહેણીકરણીનું બારીકાઈથી અવલોકન કરતા. અને તેમાં શ્રીમદના ગુણે જોઈ તેમના પ્રત્યેને ગાંધીજીને આદર ઉત્તરોત્તર વધતો ગયે. તે ગુણોને પોતાનામાં ઉતારવા ગાંધીજી મથતા. આથી તે પત્ર લખતી વખતે શ્રીમદ્દ તેમને “ગુણગ્રાહી” એવું સાર્થક સંબોધન કરતા. એ અવલોકન દ્વારા પિતાના પર શ્રીમની કેવી છાપ પડી હતી, તેનું વર્ણન કરતાં ગાંધીજીએ લખ્યું છે કે,– “બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકત. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકેઈ Jain Education Internationa Page #25 -------------------------------------------------------------------------- ________________ : શ્રીમદ્દ અને ગાંધીજી માણસ અનુભવી શકે છે. રાગેને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી.”૨૦ પિતે હજારોને વેપાર ખેડતા, હીરામિતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા, પણ એ વસ્તુ તેમને વિષય નહતી. તેમને વિષય-તેમને પુરુષાર્થ –તે આત્માઓળખ–હરિ. દર્શનને હતો. પિતાની પેઢી ઉપર બીજી વસ્તુ હેય યા ન હોય, પણ કોઈને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હેય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મપુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે... જે મનુષ્ય લાખોના સેદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતે લખવા બેસી જાય તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમને આવી જાતને અનુભવ મને એકવેળા ૨૦. ગાંધીજીની પ્રસ્તાવના; “શ્રીમદ્દ અને ગાંધીજીએ ૪૮, Jain Education Internationa Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૯ નહિ પણ અનેકવેળા થયેલ. મેં તેમને કદી મૂચ્છિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશે સ્વાર્થ નહોતે. તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બારિસ્ટર હતે. પણ જ્યારે હું તેમની દુકાને પહોંચે ત્યારે મારી સાથે ધર્મ વાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. આ વેળા જોકે મેં મારી દિશા જોઈ નહતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતો એમ પણ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતે. ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યારપછી આવ્યો છું. દરેક ધર્મના આચાર્યોને મળવાને પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણું વચને મને સસરા ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિશે મને માન હતું. તેમની Jain Education Internationa Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : શ્રીમદ્ અને ગાંધીજી પ્રામાણિકતા વિશે તેટલું જ હતુ. ને તેથી હું જાણતા હતા કે તેઓ મને ઇરાદાપૂર્ણાંક આડે રસ્તે નહિ ઢારે ને પેાતાના મનમાં હશે એવુ જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમને આશ્રય લેતા.’૨૧ ગાંધીજી જેવી મહાન વ્યક્તિ પર આટલી ઘેરી છાપ પાડનાર શ્રીમદ્ભુની મહત્તા કેવી હશે ! શ્રીમદ્ તથા ગાંધીજીના પરિચય આ રીતે વિકસતા જતા હતા, તે વખતે પારખંદરના અબ્દુલા શેઠ નામના એક મુસ્લિમ વેપારીએ પેાતાની દક્ષિણ આફ્રિકાની પેઢીના વ્યાપારી કેસ અંગે, એક વર્ષ માટે પગારદાર વકીલ તરીકે આફ્રિકા આવવાની ગાંધીજી પાસે માંગણી કરી. મુંબઇની કોટ માં એક વખત નિષ્ફળ ગયેલા ગાંધીજીએ એ વાત સ્વીકારી લીધી, અને વિ. સ. ૧૯૪૯ના ઉનાળામાં તેઓ એકલા આફ્રિકા ગયા. ત્યાં મને પક્ષ વચ્ચે ૨૧. આત્મકથા,” ભાગ ૨, પ્રકરણ ૧, શ્રીમદ્ અને ગાંધીજી,' પુ, .. Jain Education Internationa Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૧૧ સમજૂતી કરાવી ગાંધીજીએ હાથમાં લીધેલું કામ એક વર્ષમાં સફળતાથી પૂરુ' કર્યું.. મળેલી સફળતાથી ગાંધીજીની પ્રતિષ્ઠા જામી, અને તેમની લેાકપ્રિયતા વધવા લાગી. તેથી સૌ મિત્ર પેાતાના ધમની ખૂબીએ ગાંધીજી સમક્ષ મૂકી, તેમની પાસે પેાતાના જ ધમ શ્રેષ્ઠ છે, એવુ પ્રતિપાદન કરવા લાગ્યા. અને પેાતાના ધમ સ્વીકારવા ગાંધીજીને લલચાવવા લાગ્યા. તે વખતે ગાંધીજી ખ્રિસ્તી મિત્રાના કેટલાક ગુણાને લીધે તેમના પ્રતિ વિશેષ આકર્ષાયા હતા. વળી, હિં‘દુધમ નાં કેટલાંક અનિષ્ટ તેમની નજર સમક્ષ હતાં, એટલે તે ધની અપૂર્ણતા પણ તેમને ખૂંચતી હતી, આથી તેએ ધમ પરિવર્તન કરવાની ઈચ્છાવાળા બની ગયા હતા; જેથી તેમના મુસ્લિમ અને ખ્રિસ્તી મિત્રા તેમના ધર્મ ખાખત ચિંતા કરવા લાગ્યા. પરંતુ તેમણે એવા નિશ્ચય કરેલા કે જ્યાંસુધી હિં દુધમ' પૂરેપૂરા સમજાય નહિ, જ્યાંસુધી હિંદુધમ ના દેખાતા દોષો અને અનિષ્ટાની ખાતરી થાય નહિ, ત્યાં સુધી ધર્મ પરિવર્તન ન કરવુ'. આમ તેમના જીવનમાં Jain Education Internationa Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : શ્રીમદ્દ અને ગાંધીજી ધર્મમંથનને કાળ શરૂ થયું. આ સમયે તેમણે હિંદના અગ્રગણ્ય ધર્માચાર્યો સાથે ધર્મની બાબતમાં પત્રવ્યવહાર કર્યો, પિતાની મુસીબતે તેમની સમક્ષ રજૂ કરી, અને માર્ગદર્શન માંગ્યું. તે બધામાં શ્રીમદૂનું સ્થાન મુખ્ય હતું. ગાંધીજીએ તેમને ર૭ પ્રશ્નો પૂછયા હતા, જેના ઉત્તરો સરળ, સમાધાનકારક ભાષામાં શ્રીમદે આપ્યા હતા. આજે પણ એ પ્રશ્નોત્તર વાંચતા ઘણુ ખુલાસા થાય તેમ છે. આ ઉત્તરે મેકલવાની સાથે શ્રીમદે “ષદર્શનસમુચ્ચય”, “મણિરત્નમાલા”, “મોક્ષમાળા” વગેરે ગ્રંથ વાંચવાની ભલામણું પણ ગાંધીજીને કરી હતી. ગાંધીજીએ એ સવનું મનન કર્યું અને તેમના મનનું તેથી ઘણે અંશે સમાધાન થયું. તે વિશે ગાંધીજીએ લખ્યું છે કે – તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પાપે. હિંદુધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એ મનને વિશ્વાસ આવ્યું. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા, એટલે મારું માન તેમના Jain Education Internationa Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૧૩. પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેને ખ્યાલ વાંચનારને કંઈક આવશે.”૨૨ આ જ પ્રસંગ વિશે ગાંધીજીએ પિતાની આત્મકથામાં વિસ્તારથી લખ્યું છે કે, ઈસુને એક ત્યાગી, મહાત્મા, દૈવી શિક્ષક તરીકે હું સ્વીકારી શક્તિ હતા, પણ તેને અદ્વિતીય પુરુષ રૂપે નહાતો સ્વીકારી શકતા. ઈસુના મૃત્યુથી જગતને ભારે દષ્ટાંત મળ્યું, પણ તેના મૃત્યુમાં કાંઈ ગુહા ચમત્કારી અસર હતી એમ મારું હૃદય સ્વીકારી નહેતું શકતું. ખ્રિસ્તીઓના પવિત્ર જીવનમાંથી મને એવું ન મળ્યું કે જે બીજા ધમીઓના જીવનમાંથી નહેતું મળતું. તેમનાં પરિવર્તન જેવાં જ પરિવર્તન બીજાના જીવનમાં થતાં મેં જોયાં હતાં. સિદ્ધાંતની દષ્ટિએ ખ્રિસ્તી સિદ્ધાંતમાં મેં અલૌકિકતા ન ભાળી. ત્યાગની ૨૨. ગાંધીજીએ લખેલી પ્રસ્તાવના, “શ્રીમદ્દ અને ગાંધીજીએ Jain Education Internationa Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઃ શ્રીમદ્દ અને ગાંધીજી દષ્ટિએ હિંદુ ધર્મીઓને ત્યાગ મને ચડત જણાય. ખ્રિસ્તી ધર્મને હું સંપૂર્ણ અથવા સર્વોપરી ધર્મ તરીકે ન સ્વીકારી શક્યો. આ હદયમંથન મેં પ્રસંગો આવતાં ખ્રિસ્તી મિત્રોની પાસે મૂકવું. તેને જવાબ તેઓ મને સંતેણે તે ન આપી શક્યા. પણ હું જેમ ખ્રિસ્તી ધર્મને સ્વીકાર ન કરી શક્યો, તેમ હિંદુ ધર્મની સંપૂર્ણતા વિશે અથવા તેના સર્વોપરિપણે વિશે પણ હું ત્યારે નિશ્ચય ન કરી શક્યો. હિંદુધર્મની ત્રુટીઓ મારી નજર આગળ તર્યા કરતી હતી. અસ્પૃશ્યતા જે હિંદુધર્મનું અંગ હોય, તે તે સડેલું ને વધારાનું અંગે જાણવું. અનેક સંપ્રદાય, અનેક નાતજાતેની હસ્તી હું સમજી ન શક્યો. વેદ જ ઈશ્વરપ્રણીત એટલે શું? વેદ ઈશ્વરપ્રણીત તે બાઈબલ અને કુરાન કાં નહિ? છે જેમ ખ્રિસ્તી મિત્ર મારા ઉપર અસર Jain Education Internationa Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૧૫ કરવા મથી રહ્યા હતા, તેમ મુસલમાન મિત્રાના પણ પ્રયત્ન હતા. અબ્દેલા શેઠે મને ઈસ્લામના અભ્યાસ કરવા લલચાવી રહ્યા હતા. તેની ખૂબીએની ચર્ચા તા કર્યા જ કરે. “ મે મારી મુસીબતે રાયચંદભાઈ આગળ મૂકી. હિંદુસ્તાનના ખીજા ધર્મશાસ્ત્રી સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યેા. તેમના જવાખ કરી વળ્યા. રાયચક્રભાઈના પત્રથી મને કંઇક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા ને હિંદુધર્મ ના ઊંડા અભ્યાસ કરવા ભલામણ કરી....તેમણે કેટલાંક પુસ્તક માલ્યાં, તે પણ મે' વાંચ્યાં. તેમાં પ'ચીકરણ, મણિરત્નમાળા, ચેાગવાશિષ્ઠનુ’ મુમુક્ષુ પ્રકરણ, હરિભદ્રસૂરિનુ બદનસમુચ્ચય ઇત્યાદિ હતાં.... “ ખ્રિસ્તી ભાઈઓએ મારી જિજ્ઞાસા મહુ તીવ્ર કરી મૂકી હતી. તે કેમે શમે તેમ નહેાતી.... તેમના સમયે મને જાગ્રત રાખ્યા. જે કઈ Jain Education Internationa Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬: શ્રીમદ્દ અને ગાંધીજી વખત બચતો તેને ઉપગ ધાર્મિક વાંચનમાં કરતે. મારે પત્રવ્યવહાર જારી રહ્યો હતે. રાયચંદભાઈ મને દોરી રહ્યા હતા.મારો હિંદુધર્મ પ્રત્યે આદર વધ્યું. તેની ખૂબી હું સમજવા લાગ્યો.૨૩ શ્રીમદે લખેલા ઉત્તર વાંચીને ગાંધીજીના મનનું કેટલું સમાધાન થયું હતું તે આ અવતરણ બતાવે છે. ગાંધીજીએ શ્રીમદુને પૂછેલા પ્રશ્નો તાત્વિક તેમજ વ્યાવહારિક એમ બંને પ્રકારના છે. પ્રશ્નો પૂછવામાં ગાંધીજીની વિચક્ષણતા જોઈ શકાય છે. આરંભમાં “આત્મા શું છે?” એ પ્રશ્નથી શરૂઆત કરી, તેને લગતાં અન્ય પ્રશ્નો જેવા કે તે શું કરે છે? કર્મ શું છે?” વગેરે પ્રશ્નો મૂક્યા છે. તે પછી તેઓએ ઈશ્વર, તેનું જગકર્તાપણું, મેક્ષ, કર્માનુસાર ગતિ વગેરે વિશે જાણવાની જિજ્ઞાસા બતાવી છે. તે પછી ૨૩. “આત્મકથા,” ભાગ ૨ પ્રકરણ ૧૫, “શ્રીમદ્ અને ગાંધીજી, ” પૂ. ૬૪ Jain Education Internationa Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૧૭ ગાંધીજીએ અમુક ચક્કસ ધર્મ વિશેના પ્રશ્નો મૂક્યા છે, જેમકે,–આર્યધર્મ તે શું? વેદ કોણે કર્યા? ગીતા કેણે બનાવી? વગેરે. આ પછી ગાંધીજી પિતાના મંથનપ્રશ્નો પર આવે છે. તેમાં તેમણે શ્રીમદને ખ્રિસ્તી ધર્મ બાબત અને તેના કેટલાક પ્રચલિત મતે બાબત અભિપ્રાય આપવા જણાવ્યું છે. અને છેલ્લે ગાંધીજી શ્રીમને કેટલાક વ્યવહારુ પ્રશ્નો, ધાર્મિક દૃષ્ટિએ પૂછે છે. દાખલા તરીકે અનીતિમાંથી સુનીતિ થશે ખરી? સર્પ કરડવા આવે ત્યારે તેને કરડવા દે કે મારી નાખવે? વગેરે. આમ જોઈએ તે ગાંધીજીએ પૂછેલા પ્રશ્નોમાં વ્યવસ્થિતપણું, વકીલ તરીકેની ચોકસાઈ વગેરે જોવા મળે છે. ગાંધીજીએ શ્રીમમાં જે વિશ્વાસ મૂકીને તેમને અભિપ્રાય ઈચ્છા હતે, તે વિશ્વાસને સાર્થક કરે તેવા ઉતરે શ્રીમદે આપ્યા હતા. તે ઉત્તરે વાંચીને હિંદુ ધર્મની શ્રદ્ધા વધતાં, ગાંધીજી ખ્રિસ્તીધર્મ અપનાવતાં અટકી ગયા હતા. શ્રીમની કેવી અદ્દભુત અસર! Jain Education Internationa Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : શ્રીમદ્દ અને ગાંધીજી શ્રીમદે ગાંધીજીના પ્રશ્નોના ઉત્તરો, વ્યવસ્થિત રીતે આપ્યા છે. તેમાં કોઈ જગ્યાએ પરસ્પરવિધી કે કયાંય પણ તેમની માન્યતા વિશે સંદેહ ઊભું કરે તેવું એક પણ વિધાન આવતું નથી, તેમના વ્યવસ્થિત વિચારમાં વિશદતા પણ એટલી જ રહેલી છે. આત્મા વિશેના ઉત્તરોમાં શ્રીમદે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કવિ, ભકતૃત્વ અને મોક્ષ એ પાંચ પદ સરળ, સચોટ તથા મિષ્ટ ભાષામાં સમજાવ્યાં છે. જીવ કઈ અપેક્ષાથી ઈશ્વર કહેવાય તથા ઈશ્વરને જગર્તા કહેવાથી ક્યા ક્યા દેશે તેમાં આવે છે તે વિશે તર્કબદ્ધતાથી તેમણે બીજા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે. કર્મ રહિત સ્થિતિ તે મેલ, અને જેમ જેમ કર્મ છૂટતાં જાય તેમ તેમ જીવને તેને ખ્યાલ આવતાં, તેને મેક્ષ થશે કે કેમ તે પણ કહી શકાય તે બાબત જૈનધર્મના પારિભાષિક શબ્દનો ઉપયોગ વિના ગાંધીજીને ત્રીજા તથા ચોથા પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદે સમજાવ્યું છે. જીવની કર્માનુસાર ગતિ કઈ રીતે થાય છે તે પછીના ત્રણ પ્રશ્નોના ઉત્તરમાં શ્રીમદે Jain Education Internationa Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૧૯ જણાવ્યું છે. અહીં સુધીની આત્માને લગતી બાબતો વિશે શ્રીમદે જૈન ધર્મના સિદ્ધાંત અનુસાર, છતાં કેાઈને પણ ગળે ઊતરે તેવી પ્રતીતિકર ભાષામાં લખ્યું છે. તે પછી જગતમાં પ્રવર્તતા જુદા જુદા ધર્મો વિશેના કેટલાક પ્રશ્નના ઉત્તરો શ્રીમદે આપ્યા છે. આર્યધર્મ, વેદની ઉત્પત્તિ, ગીતા કે વેદ ઈશ્વરકૃત કઈ રીતે ન હોઈ શકે, પશુ આદિના યજ્ઞથી પુણ્ય ન મળે વગેરેની વિચારણા શ્રીમદે જણાવી છે. એ જ રીતે જૈન, બૌદ્ધ, વેદાંત વગેરે પૌર્વાત્ય ધર્મની સ્થિતિ શ્રીમદે કેટલાક પ્રશ્નના ઉત્તરમાં જણાવી છે. રામાવતાર કે કૃષ્ણાવતારને ઈશ્વર ગણવાથી કેવા દોષ આવે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પુરાણના સ્વરૂપે સ્વીકારતાં કેવા ગૂંચવાડા ઊભા થાય, તે સર્વની છણાવટ શ્રીમદે તાર્કિક રીતે કરી છે. અને આ બધા સાથે ખ્રિસ્તી ધર્મ એ સર્વોપરી ધમ નથી, તેમાં પણ ઘણા દેષ પ્રવર્તે છે. તે પિતાને અભિપ્રાય શ્રીમદે દષ્ટાંતો દ્વારા સમજાવ્યું છે, જે પ્રતીતિકર છે. Jain Education Internationa Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : શ્રીમદ્ અને ગાંધીજી ગાંધીજીએ પૂછેલા પ્રશ્નાના શ્રીમદે આપેલા ઉત્તરે આપણે વાંચીએ ત્યારે તેમાં તેમની સત્યપ્રિયતા તરત જ નજરે ચડે છે. સવ ધમ ને પેાતાના જ્ઞાન તથા અનુભવની કસાટીએ ચડાવ્યા પછી જ તેમણે જૈન ધને શ્રેષ્ઠ ગણ્યા હતા. તેમ છતાં બીજા કાઈ પણ ધર્મ પ્રત્યે તેમણે અનાદર સેબ્યા ન હતા. પ્રત્યેક ધના સારા અંશે સ્વીકાર્યા પછી, તેના દોષ દર્શાવવા તે એટલી નમ્ર અને સચાટ ભાષા વાપરતા કે તેમનું લખાણ વાંચકને તે વિશે વિચારતા કરી મૂકે. વળી, શ્રીમદ્ પેાતાનાં લખાણેામાં કયાંયે અસદિગ્ધતા રહેવા દેતા નહિ; એટલુ જ નહિ તેએ શ’કાનુ સમાધાન કરતી વખતે, જીવ પાતે વિચાર કરીને ચેાગ્ય નિય પર આવી શકે એ રીતે આંગળી ચીંધીને ખસી જવાનું કાર્ય પણ કરતા. શ્રીમદે આપેલેા, “ સ ધર્મની ઉત્પત્તિ વેદમાંથી છે?” એ પ્રશ્ન કે “સપ કરડવા આવે ત્યારે તેને મારી નાખવા કે જીવ જતા કરવા ?' એ પ્રશ્ન કે એવા બીજા પ્રશ્નના ઉત્તરા આનાં સુ’દર ઉદાહરણેા છે. સર્પ વિશેના પ્રશ્નમાં સ્પષ્ટ Jain Education Internationa Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૨૧ અભિપ્રાય ન આપતાં શ્રીમદ્દ જીવની યોગ્યતાના પ્રમાણમાં અહિંસા પાળવાનું ઉધન કરે છે. દેહ પરનું મમત્વ ટળી ગયું હોય તે, દેહ જ કરવાની ભલામણ કરે છે. અને મમત્વ ન ટળ્યું હોય તે તે મમત્વભાવ પિષતાં કેવું હાનિકારક પરિણામ આવે છે તેનું ચિત્ર બતાવે છે, જેથી જીવ પિતે જ ગ્ય માર્ગ પસંદ કરી લે. તેમને માટે ગાંધીજી “શ્રીમદ્ રાજચંદ્ર”ની પ્રસ્તાવનામાં લખે છે કે “ રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર નહેાતે...મારી સાથે ચર્ચા કરતાં મને કઈ દિવસે તેમણે એવું તે કહ્યું જ નહિ કે મારે મેક્ષ મેળવવા સારુ અમુક ધર્મને અવલંબ જોઈએ. મારે આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું.”૨૪ શ્રીમદ્ માટે ગાંધીજીએ દર્શાવેલે આ અભિપ્રાય, શ્રીમદે આપેલા ઉત્તર વાંચતાં, સાર્થક થતું જણાય છે. શ્રીમદે ગાંધીજી ઉપર લખેલા આ લાંબા પત્ર ૨૪. પ્રસ્તાવના, પ્રકરણ ૫; “શ્રીમદ અને ગાંધીજી", પૃ. ૫૬. Jain Education Internationa Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : શ્રીમદ્દ અને ગાંધીજી ઉપરાંત બીજા બે પત્રો મળે છે. તેમાંના એક પત્રમાં શ્રીમદે આત્માનાં છ પદ સમજવાની અગત્ય બતાવી છે, અને બીજામાં જ્ઞાતિવ્યવહારની આવશ્યકતાને પ્રશ્ન જુદા જુદા દૃષ્ટિબિંદુથી ચચ્ચે છે. પોતાના ખ્રિસ્તી તેમજ મુસ્લિમ મિત્રોને ત્યાં ભેજન લેવું તે ધર્મની દષ્ટિએ ચોગ્ય ગણાય કે કેમ તે બાબત ગાંધીજીને આફ્રિકામાં પ્રશ્ન થયો હતો. તે વિશે શ્રીમદ્દ પાસે માર્ગદર્શન માગતાં, તેના ઉત્તરરૂપે શ્રીમદે આ પત્રમાં આર્ય આચારવિચાર, આર્ય-અનાર્ય ક્ષેત્ર, ભક્ષ્યાભક્ષ્ય વિવેક, વર્ણાશ્રમ ધર્મની અગત્ય, વ્યવહારધર્મ વગેરે વિશે ખુલાસાપૂર્વક લખ્યું છે. આમ આ ત્રણે પત્રોમાં આપણને આધ્યાત્મિક તથા વ્યાવહારિક એમ બંને પ્રકારની ચર્ચા જોવા મળે છે. શ્રીમના અન્ય મુમુક્ષુઓને લખાયેલા પત્રમાં મુખ્યત્વે આમા, સત્સંગ, સમકિત આદિ વિશેનું ચિંતનાત્મક લખાણ જ જોવા મળે છે. પણ શ્રીમદૂને ગાંધીજીએ વ્યવહારુ અને ધર્મની દૃષ્ટિએ પૂછયા હેવાથી તેના ઉત્તરમાં વ્યવહારુ ચર્ચા પણ મળે છે, Jain Education Internationa Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૨૩ તે આ પત્રાની વિશેષતા છે. વ્યક્તિગત રીતે લખાયા હાવા છતાં સને ઉપયાગી થાય તેવા આ પુત્ર છે શ્રીમતૢ સાથેના પત્રવ્યવહારથી ગાંધીજી હિંદુ ધર્મના રગથી રંગાયા. એ અરસામાં રશિયાના વિખ્યાત તત્ત્વજ્ઞાની ટોલ્સટોય સાથેના પત્રવ્યવહારથી તથા તેના પુસ્તક પરિચયથી ગાંધીજી પ્રત્યેક જીવ પ્રતિ ભ્રાતૃભાવ રાખવાનુ‘ શીખ્યા હતા. વળી, સાથે સાથે રસ્કિનના પુસ્તકાની અસર નીચે પણ તેએ આવ્યા. અબ્દુલા શેઠનુ” કામકાજ પૂ રુ' કર્યાં પછી ગાંધીજીએ આફ્રિકામાં ખાનગી વકીલાત શરૂ કરી. સરકાર તરફથી ત્યાંના હિંદીઓને થતા અન્યાય તેમનાથી ન સહેવાયે. પરિણામે હિંદીઓને તે ત્રાસમાંથી છેડાવવા પેાતાની વકીલ તરીકેની સેવાઓ તેમણે મફત આપવા માંડી. તેથી ગારી પ્રજા તેમની વિરુદ્ધ થઇ ગઇ, અને તેમના પર જીવલેણ હુમલેા થયા. તેમાંથી તેમને હિંદીઓના આગેવાન તરીકે વિશેષ પ્રતિષ્ઠા મળી. આમ શરૂ Jain Education Internationa Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : શ્રીમદ્દ અને ગાંધીજી થયેલી લડતને વ્યવસ્થિત રીતે ચલાવવાની જરૂર જણાતાં, તેઓ હિંદીઓને સહારે મેળવવા વિ. સં. ૧૫રના ઉનાળામાં હિંદ આવ્યા. હિંદ આવ્યા પછી ગાંધીજી, સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલી જવાબદારીને અદા કરવાની તૈયારીમાં ગૂંથાઈ ગયા. ભાષણે કરવાં, પત્રિકાઓ લખવી, દેશનેતાઓ સાથે સંતલસ કરવી વગેરે કાર્યોમાં તેમને સમય વિશેષપણે પસાર થવા લાગ્યો. આ રીતે સતત કાર્યભાર નીચે છ માસ પસાર થયા, ત્યાં તે તાકીદે પાછા આવવા તેમને ડરબનથી તાર મળે. તેથી વિ. સં. ૧૯૫૩ના શિયાળામાં તેઓ ફરીથી આફ્રિકા ગયા. તેઓ હિંદમાં હતા તે વખતે શ્રીમદ્ તે ગુજરાતમાં નિવૃત્તિ અર્થે વસતા હતા, તેથી તેઓને મેળાપ થઈ શક્યો નહોતે. આફ્રિકાથી ગાંધીજીને શ્રીમદ્દ સાથે પત્રવ્યવહાર ચાલતું હતું. વિ. સં. ૧૯૫૫માં બેઅર લડાઈ ચાલુ થઈ. તેમાં ગાંધીજીએ હિંદીઓ સહિત અંગ્રેજોને મદદ કરી. અંગ્રેજો જીત્યા. હવે હિંદીઓને જરૂર Jain Education Internationa Page #42 -------------------------------------------------------------------------- ________________ નદ અને ગાંધીજી : ૨૫ ન્યાય મળશે તેવી ગણત્રીથી પિતાનું કામ પૂરું થયું. ગણ, ગાંધીજી વિ. સં. ૧૫૭ના ઉનાળામાં હિંદ આવ્યા. તે પહેલાં શ્રીમદુના દેહાંતના સમાચાર તેમને મળી ચૂક્યા હતા. હિંદમાં તેઓ શ્રીમના કુટુંબીઓને મળ્યા, તેમાં શ્રીમદુના ભાઈ મનસુખભાઈ સાથે ગાંધીજીને મિત્રતા થઈ. - મુંબઈમાં વકીલાત ચાલુ કરવાના ઈરાદાથી ગાંધીજીએ ચર્ચગેટ પર ઐફિસ લીધી, અને શાંતાકુઝમાં ઘર રાખ્યું. પણ આફ્રિકામાં કંઈ સુધારે ન થયે હોવાથી, તે સુધારો કરાવવા તાકીદે આવવા ગાંધીજીને આફ્રિકાથી તાર મળે. તેથી વિ. સં. ૧૯૫૮માં ગાંધીજી આફ્રિકા ગયા. શ્રીમદૂનાં કેટલાંક પદ તથા આત્મસિદ્ધિ તેઓ સાથે લેતા ગયા. આફ્રિકામાં તેમણે અસહકાર ચાલુ કર્યો. વિ. સં. ૧૯૬૦માં ડરબન નજીક ફિનિક્ષને આશ્રમ સ્થા, અને ત્યાં કુટુંબ સહિત તેઓ રહ્યા. વિ. સં. ૧૯૫૬થી ગાંધીજીએ બ્રહ્મચર્ય પાલનની શરૂઆત કરી હતી, Jain Education Internationa Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : શ્રીમદ્દ અને ગાંધીજી અને વિ. સં. ૧૯૬૨માં તેમણે પત્ની સહિતે આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. આ વ્રત અંગીકાર કરવામાં મુખ્યત્વે શ્રીમદુની અસર હતી, તે જણાવતું એક પ્રકરણે ગાંધીજીએ પિતાની આત્મકથામાં લખ્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે – “સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું. ક્યા પ્રસંગથી અથવા ક્યા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદુભ એ અત્યારે મને ખું નથી યાદ આવતું. એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.૨૫ અને એ વ્રતની પિતાના પર પડેલી છાપ વર્ણવતાં ગાંધીજીએ લખ્યું છે કે,– “સ્વપત્નીની સાથે વિકારી સંબંધને ત્યાગ એ નવાઈની વાત લાગતી હતી. છતાં એ જ મારું ૨૫, “આત્મકથા ”, ભાગ ૩; પ્રકરણ ૭-૮; “ શ્રીમદ્દ અને ગાંધીજી”, પૃ. ૬૪. Jain Education Internationa Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૨૭ કર્તવ્ય હતું....મારી દાનત શુદ્ધ હતી. શક્તિ ઈશ્વર આપી રહેશે એમ વિચારી મેં ઝંપલાવ્યું.... આજે વશ વર્ષ પછી તે વ્રતનું મરણ થતાં મને સાનંદાશ્ચર્ય થાય છે. સંયમ પાળવાની વૃત્તિ તે ૧૯૦૧થી પ્રબળ હતી, ને હું પાળી પણ રહ્યો હતો, પણ જે સ્વતંત્રતા અને આનંદ હું હવે જોગવવા લાગે તે સને ૧૯૦૬ પહેલાં ભોગવ્યાનું મને સ્મરણ નથી. કેમકે તે વખતે હું વાસનાબદ્ધ હતા, ગમે ત્યારે તેને વશ થઈ શકતો. હવે વાસના મારા ઉપર સવારી કરવા અસમર્થ થઈ.”રદ વિ. સં. ૧૯૬રમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની મુશ્કેલી રજૂ કરવા ગાંધીજીને લંડન મેકલવામાં આવ્યા. તે વખતે તેમના પર શ્રીમદે લખેલા પત્ર અને તેમણે કરેલું “આત્મસિદ્ધિશાસ્ત્ર”નું અંગ્રેજી ૨૬. “ આત્મકથા", પકરણ ૭-૮; “શ્રીમદ્દ અને ગાંધીજી” પૃ. ૬૫. મકાન Jain Education Internationa Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : શ્રીમદ્દ અને ગાંધીજી ભાષાંતર એક બસમાં ભુલાઈ જતાં ગુમાઈ ગયાં. જે પછીથી મળ્યા જ નહિ.૨૭ તે પછીથી દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને વિજય થયે ત્યાં સુધી ગાંધીજી ત્યાં રહ્યા. અને વિ. સં. ૧૯૭૨માં હિંદ આવ્યા પછી તેમણે ત્રીશ વર્ષ સુધી અંગ્રેજ સરકાર સામે અહિંસક લડત ચલાવી, સાથે સાથે સત્યાગ્રહ, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ વગેરે પ્રવૃત્તિઓ ઉપાડી, અને અન્યાય સામે જીત મેળવવા દેશને જાગ્રત કર્યો. તે અરસામાં ઉજવાતી “શ્રીમદ્ રાજચંદ્રની જયંતી” નિમિત્તે તેમણે ભાષણે પણ કરેલાં, જેમાં તેમણે પિતાના પર શ્રીમદે કરેલા ઉપકારને ઉલેખ કરી, તેમનું ઋણ જાહેરમાં સ્વીકાર્યું હતું. ધર્મ, સમાજસેવા અને રાજકારણમાં ગાંધીજીએ દર્શાવેલા અને આચરણમાં મૂકેલાં સત્ય અને અહિંસાના - ૨૭. જુઓ. “શ્રીમદ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ”, Jain Education Internationa Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૨૯ સિદ્ધાંતોની પ્રેરણાનું મૂળ શ્રીમના તેમના પર પડેલા પ્રભાવમાં જોઈ શકાય છે. તે વિશે ગાંધીજીએ લખ્યું ઘણીવાર કહીને લખી ગયો છું કે, મેં ઘણાના જીવનમાંથી લીધું છે. પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તે તે કવિશ્રીના જીવનમાંથી છે. દયાધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખે છું.”૨૮ “...આ ઉપરાંત, એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતે તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. અને અહિંસા તે તે જેન હતા એટલે અને એમના સ્વભાવથી એમની પાસે જ હતી. ૨૮ ૧૮. વિ. સં. ૧૯૭૮ની કાર્તકી પૂનમે ગાંધીજીએ આપેલું વ્યાખ્યાન; “શ્રીમદ્દ અને ગાંધીજી ", પૃ. ૭ર. ૨૯, વિ. સં. ૧૯૯રમાં કાર્તકી પૂનમે ગાંધીજીએ આપેલું વ્યાખ્યાન; પૂ. ૯૦ Jain Education Internationa Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : શ્રીમદ્ અને ગાંધીજી આમ જોઇએ તે સત્ય, અહિંસા, બ્રહ્મચય વગેરે અનેક ખાખતમાં શ્રીમની ગાંધીજી ઉપર ઘણી ઊંડી અસર હતી. તેએ અને પાંચમહાવ્રતના હિમાય હતા. અંગત સ્વાર્થ જોવાની વૃત્તિ તેએ બેમાંથી કોઈનામાં પણ નહેાતી. અને તેથી જ તેઓ મને પરસ્પરના અત્યંત નિકટ પરિચયમાં ખૂબ સ્વાભાવિક તાથી આવી શકયા હતા. '' આમ છતાં બંનેના કાર્ય ક્ષેત્ર અલગ અલગ હતાં. શ્રીમદૂનું કાર્ય ક્ષેત્ર “ આત્મા ” હતુ. જેમ અને તેમ ત્વરાથી જન્મમરણના ફેરામાંથી છૂટવાનુ` તેમનુ ધ્યેય હતુ. અલબત્ત, તેએ માથે પડેલી સાંસારિક જવાબ દારીઓ પૂરી કરતા હતા, પણ તેમાં કાંયે તેમનુ ચિત્ત આસક્ત નહેાતું. પેાતામાં પ્રગટેલી ચમત્કારિક શક્તિઓને પણ શ્રીમદ્દે અંતરમાં જ શમાવી દીધી હતી, અને તેએ આત્મામાં જ મગ્ન બન્યા હતા; ત્યારે ગાંધીજી સમગ્ર માનવજાતના કલ્યાણ અર્થે કામ કરતા હતા. અને તે કાય કરવાની લાયકાત મેળવવા તેએ પૂરા પ્રયત્ની હતા. તેમ કરવામાં તેઓ સફળ Jain Education Internationa Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૩૧ પણ થયા હતા. તેમણે ધર્મ એ તે મનુષ્યના પ્રત્યેક અંગમાં રહેલો હે જોઈએ, તે ભાવનાને શ્રીમદ્ પાસેથી જાણીને, તેને સંદેશે આખા જગતને પહેચાડ્યો. અને પિતાનું પ્રત્યેક કાર્ય પણ ધર્માનુસાર કરવાની તેઓ ચીવટ રાખતા હતા. અને એ તેમના ગુણોને લીધે ગાંધીજી દુનિયાભરમાં પ્રખ્યાત થયા. ગાંધીજીએ બતાવ્યું છે તે પ્રમાણે શ્રીમદે વ્યાપારમાં પણ ધર્મપાલન સંપૂર્ણ રીતે થઈ શકે છે તે સાબિત કરી બતાવ્યું હતું. એ જ પ્રમાણે આપણે ગાંધીજી માટે કહી શકીએ કે રાજકારણમાં પણ સંપૂર્ણપણે ધર્મપાલન થઈ શકે છે તે તેમણે સાબિત કરી બતાવ્યું. બંને મહાવિભૂતિઓએ એક એક એવા ક્ષેત્રમાં ધર્મનું સ્થાન બતાવ્યું કે જેમાં આજ સુધી દુનિયા એમ જ માનતી હતી કે તેમાં તો ધર્મને સ્થાન જ ન હોઈ શકે. બંનેમાં આમ ઘણા અંશે ધર્મ ઓતપ્રોત થઈ ગયો હોવાને લીધે તેમનાં સર્વ આચરણ, લખાણું વગેરે સત્યથી ભરેલાં, નિખાલસ, નિરાડંબર, સરળ અને હદયસ્પર્શી બન્યાં હતાં. Jain Education Internationa Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩ર : શ્રીમદ્દ અને ગાંધીજી આમ છતાં બંનેમાં એક મુખ્ય તફાવત હતું, તે બતાવતાં ગાંધીજી પોતે જ લખે છે કે, “આપણે સંસારી જ છીએ, ત્યારે શ્રીમદ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદુને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મેક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થડે પુરુષાર્થ નથી.૩૦ આમ થવાનું મુખ્ય કારણ બંનેના ધ્યેયને ભેદ હતો. શ્રીમદે આત્મકલ્યાણને પિતાનું ધ્યેય બનાવ્યું હતું. ગાંધીજીએ સામાજિક કલ્યાણને પોતાના ધ્યેય તરીકે સ્વીકાર્યું હતું. આથી, આત્મકલ્યાણના દષ્ટિબિંદુથી વિચારીએ તે, શ્રીમની કક્ષા ગાંધીજી કરતાં ઘણી ઊંચી હતી. જેને ગાંધીજી જેવા મહાન વ્યક્તિ પણું મહાન ગણે છે, તે શ્રીમદ્ આપણું માટે ઘણી ઘણું મહાન વ્યક્તિ બની રહે તે સ્વાભાવિક છે.* ૩૦. ગાંધીજીની પ્રસ્તાવના “શ્રીમદ્દ અને ગાંધીજી, પૂ. ૩૯. *(“શ્રીમની જીવનસિદ્ધિ” પુ.માંથી સાભાર લેખિકા બહેન સરયુબેન આર. મહેતા એમ. એ. પી. એચ. ડી.) Jain Education Internationa Page #50 -------------------------------------------------------------------------- ________________ મ. ગાંધીજીએ પુછાયેલા પ્રશ્નોના શ્રીમદે આપેલા જવાબો સપુરૂષને નમસ્કાર આત્માથી, ગુણગ્રાહી, સત્સંગગ્ય ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, શ્રી ડરબન. - શ્રી મુંબઈથી લિ. જીવનમુક્તદશાઈક રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પહોંચે. અત્ર કુશળતા છે. તમારું લખેલું એક પત્ર મને પહોંચ્યું છે, કેટલાક કારણથી તેનો ઉત્તર લખવામાં ઢીલ થઈ હતી. પાછળથી તમે આ તરફ તરતમાં આવવાના છે એમ Jain Education Internationa Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : શ્રીમદ્દ અને ગાંધીજી જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહોતું; પણ હાલ એમ જાણવામાં આવ્યું કે હમણાં લગભગ એક વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે, જેથી મેં આ પત્ર લખ્યું છે. તમારા લખેલા પત્રમાં જે આત્માદિ વિષય પરત્વે પ્રશ્નો છે, અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિતમાં વિશેષ આતુરતા છે, તે બને પ્રત્યે મારું અનુમોદન સહેજે સહેજે છે; પણ એવામાં તમારું તે પત્ર મને મળ્યું, તેવામાં તેના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહતી અને ઘણું કરી તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્યોપાધિ પ્રત્યે વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યું હતું તે હતું અને તેમ હોવાથી તે પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઈ શકે તેવું નહોતું. ઘેડો વખત જવા દઈ, કંઈ તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ, તમારા પત્રને ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું, પણ પાછનથી તેમ પણ બનવું અશકય થયું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહતી. અને આવા પ્રકારે Jain Education Internationa Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર લખી મેાકલવા પરત્વે મનમાં પણ ખેદ થયા હતા, ભાગ હજી સુધી વતે છે. શ્રીમદ્ અને ગાંધીજી : ૩૫ ઢીલ થઈ તેથી મારા અને જેમાંના અમુક જે પ્રસંગમાં વિશેષ કરીને ખેદ થયા, તે પ્રસ’ગમાં એમ સાંભળવામાં આવ્યું કે, તમે તરતમાં આ દેશમાં આવવાની ધારણા રાખેા છે!; તેથી કઇક ચિત્તમાં એમ આવ્યું હતું કે, તમને ઉત્તર લખવાની ઢીલ થઈ છે, પણ તમારા સમાગમ થવાથી સામી લાભકારક થશે, કેમકે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા. અને પત્ર તરતમાં તમને નહીં મળી શકવાથી તમારા ચિત્તમાં જે આતુરપણું વર્ધમાન થયેલુ, તે ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારૂ કારણ ગણવાચેાગ્ય હતુ'. હવે પ્રારબ્ધાયે જ્યારે સમાગમ થાય, ત્યારે કંઇ પણ તેવી જ્ઞાનવાર્તા થવાના પ્રસ`ગ થાય એવી આકાંક્ષા રાખી, સક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખુ છુ. જે પ્રશ્નોના ઉત્તર વિચારવાને નિર'તર તત્સુખ'શ્રી Jain Education Internationa Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : શ્રીમદ્દ અને ગાંધીજી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે, તે ઉત્તર સંક્ષે પમાં લખવાનું થયું છે તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે; તે પણ મારા ચિત્તમાં એમ રહે છે કે, મારાં વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે, અને તેથી તમને ધીરજ રહી શકશે, અને પ્રશ્નોનું યથાગ્ય સમાધાન થવાને અનુકમે કારણભૂત થશે એમ મને લાગે છે. તમારા પત્રમાં ર૭ પ્રશ્નો છે; તેના સંક્ષેપે નીચે ઉત્તર લખું છું ૧. પ્ર. આત્મા શું છે? તે કંઈ કરે છે અને તેને કર્મ નડે છે કે નહિ? ઉ. (૧) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે, ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવાં નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એ * નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કઈ પણ સંગથી થઈ શકી ન હોય તે પદાર્થ “નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંગાથી બની શકે એમ Jain Education Internationa Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૩૭ જણાતું નથી; કેમકે જડના હજારેગમે સંગે કરીએ, તે પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા ગ્ય છે. જે ધર્મ પદાર્થમાં હોય નહીં, તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહિ, એ સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોનાં પરિણામાંતર કરી સંગ કર્યા હોય અથવા થયા હોય તો પણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા, કે જેને જ્ઞાની પુરૂષે મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા (ઘટપટાદિ પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી ઉત્પન્ન કઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બંનેના અનાદિ સહજસ્વભાવ છે. Jain Education Internationa Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : શ્રીમદ્ અને ગાંધીજી આ તથા બીજા` તેવાં સહસ્રગમે પ્રમાણેા આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમજ તેને વિશેષ વિચાર કચે સહજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે જેથી સુખદુ:ખાદિ ભાગવનાર, તેથી નિવૃત્ત થનાર, વિચારનાર, પ્રેરણા કરનાર, એ આદિ ભાવા જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળા છે, અને તે ભાવે ( સ્થિતિએ ) કરી તે સ કાળ રહી શકે એવા ‘ નિત્ય ’ પદાથ છે, એમ માનવામાં કઈ પણ દોષ કે ખાધ જણાતા નથી, પણ સત્યના સ્વીકાર થવારૂપ ગુણ થાય છે. આ પ્રશ્ન તથા તમારા બીજા કેટલાક પ્રશ્નો એવા છે કે, જેમાં વિશેષ લખવાનુ તથા કહેવાનુ અને સમજા વવાનું અવશ્ય છે. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવુ હાલ કઠણ હેાવાથી, પ્રથમ ‘ષટ્કનસમુચ્ચય’ ગ્રન્થ તમને મેાકલ્યા હતા, કે જે વાંચવા વિચારવાથી તમને કઇ પણ્ અંશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કઇ વિશેષ અંશે સમાધાન થાય Jain Education Internationa Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૩૯ એટલું બની શકે, કેમકે તે સંબંધી અનેક પ્રશ્નો ઊઠવા ગ્ય છે, કે જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી, વિચારવાથી, સમાવેશ પામે એવી પ્રાચે સ્થિતિ છે. - (૨) જ્ઞાનદશામાં–પિતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દિશામાં તે આત્મા નિજભાવને એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજસમાધિપરિણામને કર્તા છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લભ એ આદિ પ્રકૃતિને કર્તા છે; અને તે ભાવનાં ફળને ભેતા થતાં પ્રસંગવશાત્ ઘટપટાદિ પદાર્થોને નિમિત્તપણે કર્તા છે, અર્થાત ઘટપટાદિ પદાર્થનાં મૂળ દ્રવ્યને તે કર્તા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ કિયાને કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી, તે જેને “ક” કહે છે, વેદાંત “બ્રાંતિ કહે છે; તથા બીજા પણ, તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટપટાદિને તથા ક્રોધાદિને કર્તા થઈ શક્તો નથી માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામને જ કર્તા છે એમ સ્પષ્ટ સમજાય છે. Jain Education Internationa Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : શ્રીમદ્દ અને ગાંધીજી (3) અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ, વખતને વેગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્મો આત્માને ભેગવવાં પડે છે જેમ અગ્નિનાં સ્પશે ઉષ્ણપણને સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણુએ જમ–જરામરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે, આ વિચારમાં તમે વિશેષપણે વિચારશે, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશે; કેમકે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મેક્ષદશા પ્રાપ્ત થાય છે. ૨. પ્રો–ઈશ્વર શું છે? તે જગત્કર્તા છે એ ખરૂં છે? - ઉ–(૧) અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ એટલે કમરહિતપણે માત્ર એક આત્મતપણે–જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા ગ્ય છે અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે, Jain Education Internationa Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૪૧ જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણું જ્યારે આત્મા ભણું દષ્ટિ થાય છે, ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે; અને તેથી વિશેષ ઐશ્વર્યવાળે કઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કંઈ વિશેષ સત્તાવાળા પદાર્થ ઈશ્વર છે એમ નથી એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. (૨) તે જગકર્તા નથી; અર્થાત પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા ગ્ય છે, તે કઈ પણ વસ્તુમાંથી બનવા ગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તે તે વાત પણ ગ્ય લાગતી નથી. કેમકે ઈશ્વરને જે ચેતનપણે માનીએ, તો તેથી પરમાણુ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જે ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તે સહેજે તે અનૈશ્વર્યવાન કરે છે, તેમજ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઊત્પત્તિ પણ થઈ શકે નહિ. જડચેતન Jain Education Internationa Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ : શ્રીમદ્ અને ગાંધીજી ઉભયરૂપ ઇશ્વર ગણીએ, તેા પછી જડચેતન ઉભર્યરૂપ જગત છે. તેનુ ઇશ્વર એવુ બીજુ નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનુ નામ ઈશ્વર રાખી સતાષ રાખી લેવા તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ ચેાગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાહિ નિત્ય ગણીએ અને ઇશ્વરને કહિના ફળ આપનાર ગણીએ, તેા પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર ‘દ્ઘનસમુચ્ચય'માં સારાં પ્રમાણેા આપ્યાં છે. ' ૩. પ્ર—મેાક્ષ શુ' છે ? ઉજે ક્રોધાદ્ઘિ અજ્ઞાનભાવમાં—દેહાદિમાં– આત્માને પ્રતિમ ધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવીમુક્તિ થવી-તે મેાક્ષપદ જ્ઞાનીઓએ કહ્યુ છે; જે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે. ૪. પ્ર~માક્ષ મળશે કે નહિ તે ચાક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય ? Jain Education Internationa Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૪૩ ઉ૦ –એક દેરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યું હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છેડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે, અને તે દેરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છેઅનુભવાય છે, તેમજ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂ૫ બંધને પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છુટે છે, તેમ તેમ મેક્ષને અનુભવ થાય છે. અને તેના ઘણું જ અપપણું જ્યારે થાય છે, ત્યારે સહેજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એ સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાનાદિભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પિતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત મેક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. ૫. પ્ર–એમ વાંચવામાં આવ્યું કે, માણસ દેહ Jain Education Internationa Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ : શ્રીમદ્દ અને ગાંધીજી છોડી કર્મ પ્રમાણે જનાવરમાં અવતરે, પથરે પણ થાય, ઝાડ પણ થાય; આ બરાબર છે? ઉ–દેહ છડી ઉપાર્જિત કર્મ પ્રમાણે જીવની ગતી થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે, અને પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી, બાકીની બીજી ચાર ઇન્દ્રિય વિના કમ ભેગ. વવાને જીવને પ્રસંગ પણ આવે છે તથાપિ તે કેવળ પત્થર કે પૃથ્વી થઈ જાય છે, એવું કાંઈ નથી. પત્થરરૂપ કાયા ધારણ કરે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવ જીવપણે જ હોય છે. બીજી ચાર ઈન્દ્રિયેનું ત્યાં અવ્યક્ત (અપ્રગટ) પણું હેવાથી, પૃથ્વીકાયરૂપ જીવ કહેવા ગ્ય છે. અનુકમે તે કર્મ ભેગવી જીવ નિવૃત્ત થાય છે ત્યારે ફક્ત પત્થરનું દળ પરમાણુરૂપે રહે છે, પણ જીવ તેના સંબંધથી ચાલ્યા જવાથી આહારાદિ સંજ્ઞા તેને હેતી નથી. અર્થાત કેવળ જડ એ પત્થર જીવ થાય છે એવું નથી. કર્મના વિષમપણાથી ચાર ઇન્દ્રિયોને પ્રસંગ અવ્યકત થઈ ફક્ત એક સ્પશેન્દ્રિયપણે દેહને પ્રસંગ જીવને જે કર્મથી Jain Education Internationa Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૪૫ થાય છે, તે કર્મ ભાગવતાં તે પૃવ્યાદિમાં જન્મે છે, પણ કેવળ પૃથ્વીરૂપ કે પત્થરરૂપ જઈ જતા નથી. જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જતેા નથી. દેહ છે તે જીવને વેશધારીપણું છે, સ્વરૂપપણું નથી. ૬ પ્ર—છઠ્ઠા પ્રશ્નનુ' પણ આમાં સમાધાન આવ્યું છે. સાતમા પ્રશ્નનું પણ સમાધાન આવ્યુ` છે કે, કેવળ પત્થર કે કેવળ પૃથ્વી ક'ઈ કમ'નાં કર્તો નથી; તેમાં આવીને ઊપજેલા એવા જીવ કના કર્તા છે, અને તે પણ દૂધ અને પાણીની પેઠે છે. જેમ તે બન્નેના સંચાગ થતાં પણ દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે, તેમ એકેન્દ્રિયાદિ કમ બધે જીવને પત્થર પણ “જડપણું જણાય છે, તાપણ તે જીવ અંતર તે જીવપણે જ છે. અને ત્યાં પણ તે આહાર ભયાદિ સંજ્ઞાપૂર્ણાંક છે, જે અવ્યક્ત જેવી છે. ૮. પ્ર૦—(૧) આય ધમ તે શું? (૨) બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું? Jain Education Internationa Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ : શ્રીમદ્ અને ગાંધીજી e ૩૦—(૧) આ ધમ ની વ્યાખ્યા કરવામાં સૌ પેાતાના પક્ષને આ ધમ કહેવા ઇચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધૌદ્ધને વેદાંતી વેદાંતને આય ધમ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાનીપુરૂષા તા જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવા જે આય` (ઉત્તમ) માગ, તને આ ધમ' કહે છે; અને એમ જ ચેાગ્ય છે. * • (૨) બધાની ઉત્પત્તિ વેદમાંથી થયી સ‘ભવતી નથી. વેઢમાં જેટલુ' જ્ઞાન કહ્યુ' છે, તેથી સહસ્રગણા આશયવાળું જ્ઞાન શ્રીતી કરાદ્ધિ મહાત્માઓએ કહ્યુ છે, એમ મારા અનુભવમાં આવે છે; અને તેથી હું એમ જાણુ' છુ કે અલ્પ વસ્તુમાંથી સ`પૂર્ણ વસ્તુ થઇ શકે નહિ, એમ હેાવાથી વેદમાંથી સંવની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી, વૈષ્ણવાદિ સંપ્રદાયાની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતાં અડચણ નથી, જૈન, બૌદ્ધના છેલ્રા મહાવીરાદિ મહાત્માએ થયા પહેલાં વેદ હતા એમ જણાય છે, તેમ તે ઘણા પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે; તથાપિ જે ક'ઈ પ્રાચીન હેાય તે જ સ‘પૂર્ણ Jain Education Internationa Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૪૭ હોય કે સત્ય હોય, એમ કહી શકાય નહિ; અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અને અસત્ય હાય એમ પણ કહી શકાય નહિ. બાકી વેદ જે અભિપ્રાય અને જેન જેવે અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે, માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતો નથી વેદ, જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે. એમ માનવામાં અડચણ નથી, ત્યાં પછી વિવાદ શાને રહે? તથાપિ એ સૌમાં વિશેષ બળવાન સત્ય અભિપ્રાય કોને કહેવા યોગ્ય છે તે વિચારવું એ અમને તમને સૌને ગ્ય છે, ૯. પ્રા–૧ વેદ કોણે કર્યા? તે અનાદિ છે? (૨) જે અનાદિ હોય તો અનાદિ એટલે શું ? ઉ –(૧) ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે. (૨) પુસ્તકપણે કોઈપણ શાસ્ત્ર અનાદિ નથી, તેમાં કહેલા અર્થ પ્રમાણે તે સૌ શાસ્ત્ર અનાદિ છે, કેમકે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા છ જુદે જુદે રૂપે કહેતા Jain Education Internationa Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : શ્રીમદ્દ અને ગાંધીજી આવ્યા છે, અને એમ જ સ્થિતિ સંભવે છે, ક્રોધાદિ. ભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિભાવ પણ અનાદિ છે. હિંસાદિધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિ. ધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે? એટલું વિચારવું કાર્યરૂપ છે, અનાદિ તે બેય છે. પછી કયારેક ઓછા પ્રમાણમાં અને કયારેક વિશેષ પ્રમાણમાં કેઈનું બળ હોય છે. ૧૦. પ્ર.—ગીતા કેણે બનાવી? ઈશ્વરકૃત તે નથી ? જે તેમ હોય તો તેને કોઈ પુરાવો ? ઉ૦–ઉપર આવેલા ઉત્તરેથી કેટલુંક સમાધાન થઈ શકવા યોગ્ય છે કે, ઈશ્વરકૃતને અર્થ જ્ઞાનીસંપૂર્ણજ્ઞાની એ કરવાથી તે ઇશ્વરકૃત થઈ શકે પણ નિત્ય અકિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યું તેવાં પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહિ. કેમકે તે સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભ પૂર્વક છે અનાદિ નથી હોતું. ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, Jain Education Internationa Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૪૯ અને મહાત્મા શ્રીકૃષ્ણે અર્જુનને તેવા બેધ કર્યા હતા, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણે કહેવાય છે. જે વાત સ’ભવતિ છે. ગ્રંથ શ્રેષ્ઠ છે. તેવા ભાવાથ અનાદિથી ચાલ્યે આવે છે, પણ તે જ શ્લેાકા અનાદિથી ચાલ્યા આવે એમ બનવા રેગ્ય નથી; તેમ અક્રિય ઇશ્વરથી પણ તેની ઉત્પત્તિ હાય એમ બનવા ચેાગ્ય નથી, સક્રિય એટલે કાઈ દેહધારીથી તે ક્રિયા મનવા ચેાગ્ય છે. માટે સંપૂર્ણ જ્ઞાની તે ઇશ્વર છે, અને તેનાથી ખેાધાચેલાં શાસ્ત્રો તે ઈશ્ર્વરીશાસ્ત્ર છે એમ માનવામાં અડચણુ નથી. ૧૧. પ્ર—પશુ આદિના યજ્ઞથી જરાય પુણ્ય છે ખરૂ ? ઉ-પશુના વધથી, હામથી, કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ છે; તે પછી યજ્ઞમાં કરો કે ગમે તા ઈશ્વરના ધામમાં બેસીને કરો. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે, તે કાંઈક પુણ્યહેતુ છે; તથાપિ હિંસામિશ્રિત હાવાથી તે પણ અનુમેાદનયેાગ્ય નથી. Jain Education Internationa Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ : શ્રીમદ્ અને ગાંધીજી ૧૨. પ્ર૦-જે ધર્મ ઉત્તમ છે, એમ કહેા તેને પુરાવા માગી શકાય ખરા કે ? ઉ-પુરાવા માગવામાં ન આવે, અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે, તે તા અથ, અનર્થ, ધર્મ, અધમ', સૌ ઉત્તમ જ ડરે, પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધ સસાર પરિક્ષીણ કરવામાં સÖથી ઉત્તમ હાય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હેાય, તે જ ઉત્તમ અને તે જ બળવાન છે. ૧૩. પ્ર૦—ખ્રિસ્તીધર્મ વિષે આપ કાંઈ જાણે છે ? જો જાણતા હો તે આપના વિચાર દર્શાવશે ? ઉ—ખ્રિસ્તીધર્મ વિષે સાધારણપણે હું જાણુ ભરતખંડમાં મહાત્માઓએ જેવા ધમ શેાધ્યા છે, વિચાર્યું છે તેવા ધમ બીજા કેાઇ દેશથી વિચારાયા નથી, એમ તેા એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં (ખ્રિસ્તીધમ માં) જીવનું સદા પરવશ પણું કહ્યું છે, અને મેક્ષમાં પણ તે દશા તેવી જ Jain Education Internationa Page #68 -------------------------------------------------------------------------- ________________ રાખી છે; જીવના અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથાગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારે અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે, એમ થવાને સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. વધારે પૂછવા ચગ્ય લાગે તે પૂછશે, તે વિશેષ સમાધાન કરવાનું બની શકશે. ૧૪. પ્ર—તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરને અવતાર, તેને દીકરે છે ને હતો. ઉ–એ વાત તે શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમજ બાઈબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મમરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા ગ્ય નથી, કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મને હેતુ છે, તે જેને Jain Education Internationa Page #69 -------------------------------------------------------------------------- ________________ પર : શ્રીમદ્દ અને ગાંધીજી નથી એ ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ લાગતી નથી. ઈશ્વરને દીકરો છે, ને હતો, તે વાત પણ કઈ રૂપક તરીકે વિચારીએ તે વખતે બંધ બેસે; નહિ તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. મુક્ત એવા ઇશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય ? અને કહીએ તે તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ? બન્નેને અનાદિ માનીએ તે પિતાપુત્ર પણું શી રીતે બંધ બેસે ? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચાર્યોથી મને એમ લાગે છે કે એ વાત યથાયોગ્ય નહિ લાગે. ૧૫. પ્રવ—જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે. ઉ–એમ હોય તો પણ તેથી તે બનને શાસ્ત્ર વિષે વિચાર કરે ઘટે છે. તેમજ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથા, કેમકે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કઈ જ્ઞાનથી તેવી Jain Education Internationa Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૧૩ વાત જણાવી હેાય પણ તેવા ભવિષ્યવેત્તા સ ́પૂર્ણ એવા મેાક્ષમાગ જાણનાર હતા તે વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. તેમ બીજા' પ્રમાણેાથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતુ. ૧૬. પ્ર૦—‘ઈસુખ્રિસ્તના ચમત્કાર’ વિષે લખ્યુ` છે. ઉ—કેવળ કાયામાંથી જીવ ચાલ્યેા ગયા હાય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કાઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હેાય, તે તે ખની શકે એવું સ’ભવતું નથી; અને એમ થાય તે પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યાગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઇસુને હાય તો તેમાં તદ્દન ખાટું છે કે અસ'ભવિત છે એમ કહેવાય નહિ. તેવી સિદ્ધિએ આત્માના ઐશ્વય આગળ અપ છે. આત્માના ઐશ્વયનું તેથી અન તગુણુ મહત્ સ'ભવે છે. આ વિષયમાં સમાગમે પૂછવા ચાગ્ય છે. Jain Education Internationa Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રીમદ્દ અને ગાંધીજી ૧૭. પ્ર–આગળ ઉપર શે જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે? અથવા અગાઉ શું હતા તેની ? ઉ–તેમ બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિન્હો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; ડે અંશે વખતે સમજાય. તેમજ તે ચેષ્ટ ભવિષ્યમાં કેવું પરિણામ પામશે, તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણ શકાય અને તેને વિશેષ વિચારતાં કે ભવ થ સંભવે છે, તેમજ કે ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા ગ્ય છે. ૧૮. પ્ર–પડી શકે તે કેને? આને ઉત્તર ઉપર આવી ગયો છે. - ૧૯ પ્ર–મેક્ષ પામેલાનાં નામ આપ આપો છે તે શા આધાર ઉપરથી? Jain Education Internationa Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : પપ ઉ—મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો, તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે, અત્યંત સંસારદશા પરિક્ષણ જેની થઈ છે તેનાં વચને આવાં હોય, આવી તેની ચેષ્ટા હોય એ આદિ અંશે પણ પિતાના આત્મામાં અનુભવ થાય છે, અને તેને આશ્રયે તેના મોક્ષપરત્વે કહેવાય; અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાના પ્રમાણે પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. ૨૦. પ્ર—બુદ્ધદેવ પણ મેક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહો છે ? ઉ–તેના શાસ્ત્રસિદ્ધાંતોના આશ્રયે. જે પ્રમાણે તેમના શાસ્ત્રસિદ્ધ છે, તે જ પ્રમાણે જે તેમને અભિપ્રાય હોય તે તે અભિપ્રાય પૂર્વાપર વિરૂદ્ધ પણ દેખાય છે, અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. " સંપૂર્ણ જ્ઞાન જે ન હોય તે સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જ્યાં તેમ હોય, ત્યાં સંસારને સંભવ છે, એટલે કેવળ મોક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી, અને તેમનાં કહેલાં Jain Education Internationa Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ : શ્રીમદ્ અને ગાંધીજી શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમના અભિપ્રાય હતેા, તે બીજી રીતે જાણવાનુ' અમને તમને કઠણ પડે તેવું છે; અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવને અભિપ્રાય ખીો હતેા તા તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી, ૨૧. પ્ર૰—દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ? ઉ—કેવળ મેાક્ષરૂપે સવ` જીવાની સ્થિતિ થાય, કે કેવળ આ દુનિયાના નાશ થાય તેવું બનવું મને પ્રમાણુરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સ ંભવે છે. કાઇ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તેા કાઈ વ`માન થાય; પણ તે એક ક્ષેત્રે વધે, તે બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે. તે પરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય, કે પ્રલયરૂપ થાય એ ન બનવા ચાગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એવા અર્થ નથી. ૨૨. પ્ર—આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ? Jain Education Internationa Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૫૭ ઉ–આ પ્રશ્નને ઉત્તર સાંભળી જે જીવ અનીતિ છે તેને તે ઉત્તર ઉપયેગી થાય એમ થવા દેવું ગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે, નીતિ, અનીતિ તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ, તે તે સ્વીકારી શકાય એવું છે અને એ જ આત્માને કર્તાવ્ય છે, સર્વ જીવ આશ્રયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા ગ્ય નથી. ર૩. પ્ર–દુનિયાને પ્રલય છે? - ઉ૦–પ્રલય એટલે જે કેવળ નાશ એ અર્થ કરવામાં આવે તે તે વાત ઘટતી નથી, કેમકે પદાથને કેવળ નાશ થઈ જ સંભવતે જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થનું ઈશ્વરાદિને વિષે તીનપણું તે કોઈના અભિપ્રાયમાં તે વાતને સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી, કેમકે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એ વેગ બને, અને જે તેવાં સમપરિણામને પ્રસંગ આવે, તે Jain Education Internationa Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮: શ્રીમદ અને ગાંધીજી પછી ફરી વિષમપણું થવું બને નહિ. અવ્યક્તપણે જીવમાં વિષમ પણું હોય અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ તે પણ દેહાદિ સંબંધ વિના વિષમપણું શા આશ્રયે રહે? દેહાદિ સંબંધ માનીએ તો સર્વને એકેંદ્રિયપણું માનવાને પ્રસંગ આવે, અને તેમ માનતાં તો વિના કારણે બીજી ગતિઓને અસ્વીકાર કર્યો ગણાય. અર્થાત્ ઊંચી ગતિના જીવને તેવા પરિણામને પ્રસંગ મટવા આવ્યા હોય તે પ્રાપ્ત થવાને પ્રસંગ આવે એ આદિ ઘણા વિચાર ઉદુભવે છે. સર્વ જીવઆશ્રયી પ્રલય સંભવ નથી. ૨૪. પ્ર–અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરે કે ? ઉ–ભક્તિ જ્ઞાનને હેતુ છે. જ્ઞાન મેક્ષને હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કર્યો હોય, તે તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કંઈ છે નહિ. જીવમાત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મેક્ષને હેતુ થાય છે. Jain Education Internationa Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજીઃ ૫૯ સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી; અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હાય, ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મેક્ષને હેત છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એ કાંઇ નિયમ સંભવત નથી. ૨૫. પ્ર—(૧) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે? એમ હોય તે તે શું ? એ સાક્ષાત ઈશ્વર હતા કે તેના અંશ હતા? (૨) તેમને માનીને મોક્ષ ખરે? ઉ–(૧) બને મહાત્મા પુરૂષ હતા એ તે મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. સર્વ આવરણ તેમને મટ્યાં હોય તો તેને મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરને અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમકે તેને વિરોધ આપતાં એવાં હજારે પ્રમાણ દષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ, મેક્ષ બધાં Jain Education Internationa Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ : શ્રીમદ્ અને ગાંધીજી ગ્રંથ થાય કેમકે ઇશ્વર જ અજ્ઞાનાદિના કોઁ થયેા. અને અજ્ઞાનાદિને જે કર્તા થાય તેને પછી સહેજે અનૈશ્વય પણુ' પ્રાપ્ત થાય ને ઇશ્વરપક્ષુ ખાઇ એસે; અર્થાત્ ઊલટુ જીવના સ્વામી થવા જતાં ઇશ્વરને નુકસાન ખમવાને પ્રસંગ આવે તેવુ' છે. તેમ જીવને ઇશ્વરના અંશ માન્યા પછી પુરૂષાર્થ કરવા ચેાગ્ય શી રીતે લાગે ? કેમકે તે જાતે તા કોઈ કર્તાહર્તા ઠરી શકે નહિ એ આદિ વિરોધથી ઇશ્વરના શ તરીકે કેાઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી; તે પછી શ્રીકૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યેાગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય ? તે અન્ને અવ્યક્ત ઈશ્વર હતા, એમ માનવામાં અડચણ નથી તથાપિ તેમને વિષે સંપૂર્ણ ઐશ્ર્વર્ય પ્રગટયુ હતુ કે કેમ તે વાત વિચારવા યાગ્ય છે. ♦ f * જૈન આગમ કથાનક અનુસાર ભ॰ શ્રી રામચંદ્રજી મેાક્ષે ગયાના તથા શ્રી કૃષ્ણ ભ॰ ભાવી એવા ઘેાડા ભવમાં અમમ’ નામના તીથ કર થશે ઉલ્લેખ છે. અહીં શ્રીમદે સાધારણતયા સામાન્યરૂપે વાત કરેલી છે, સ’ Jain Education Internationa Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંધીજી : } ૧ (૨) ‘તેમને માનીને મેાક્ષ ખરા કે?' એને ઉત્તર સહજ છે. જીવને સવ રાગ, દ્વેષ, અજ્ઞાનના અભાવ અર્થાત્ તેથી છૂટવું તે મેાક્ષ છે. તે જેના ઉપદેશે થઇ શકે તેને માનોને, અને તેનુ પરમા સ્વરૂપ વિચારીને સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઇ, તે જ મહાત્માના આત્માને આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય, ત્યારે મેાક્ષ થવા સભવે છે. બાકી બીજી ઉપાસના કેવળ મેાક્ષના હેતુ નથી. તેના સાધનના હેતુ થાય છે; તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા ચેાગ્ય નથી. ( અ. ૮-૨૧ ના ઉત્તરાધ) ૨૬. પ્ર૦—બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્ર્વર તે કાણું ? સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણી તે આશ્રયે રૂપ આપ્યું હોય તેા તે વાત મધ એસી શકે તથા તેવા બીજા કારણેાથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણામાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે, તે પ્રકારે Jain Education Internationa Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ : શ્રીમદ્ અને ગાંધીજી સ્વરૂપ છે, એમ માનવા વર્ષમાં મારૂ વિશેષ વલણ નથી. કેમકે તેમાં કેટલાંક ઉપદેશાથે રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે. તથાપિ આપણે પણ તેના ઉપદેશ તરીકે લાભ લેવા, અને બ્રહ્માદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું; એ મને ઠીક લાગે છે. ૨૭. પ્ર~મને સપ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવા કે મારી નાખવા ? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હેાય એમ ધારીએ છીએ. ઉ-સપ તમારું કરડવા દેવા એવુ' કામ ખતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જો ઢેડુ અનિય છે’ એમ જાણ્યું હોય, તો પછી આ અસારભૂત દેહના રક્ષણાથે, જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સપને, તમારે મારવા કેમ ચાગ્ય હોય ? જેણે આત્મહિત ઈચ્છવુ' હાય તેણે તે ત્યાં પેાતાના દેહને જતા કરવા એ જ ચેાગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવુ ન હેાય તેણે કેમ કરવું ? Jain Education Internationa Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૬૩ તે તેને ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિ. ભ્રમણ કરવું, અર્થાત્ સર્પને મારે એ ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્યવૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય, તે તો અમને તમને સ્વને પણ ન હોય એ જ ઈચ્છવા ગ્ય છે. હવે સંક્ષેપમાં આ ઉત્તર લખી પત્ર પૂરું કરું છું. ષટ્રદર્શનસમુચ્ચય” વિશેષ સમજવાનું યત્ન કરશે. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકેચથી તમને સમજવું વિશેષ મુંઝવણવાળું થાય એવું ક્યાંય પણ હોય તો પણ તે વિશેષતાથી વિચારશે, અને કંઈ પણ પત્ર દ્વારાએ પૂછવા જેવું લાગે તે પૂછશે તો ઘણું કરીને તેને ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે ગ્ય લાગે છે, એજ વિનંતિ. લિ. આત્મસ્વરૂપને વિષે નિત્ય નિષ્ઠાના હેતભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ. સંવત ૧૯૫ગ્ના આસો વદ ૬, શનિ, મુંબઈ, પત્રાંક, ૫૩૦ Jain Education Internationa Page #81 -------------------------------------------------------------------------- ________________ રહસ્યમય મહત્વના બીજા બે પગે મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫ સુજ્ઞ ભાઈશ્રી મોહનલાલ પ્રત્યે શ્રી ડરબન, પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે, વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જે કંઈ પણ આ સંસારના પદાર્થોને વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ, કેમકે માત્ર અવિચાર કરીને તેમાં માહબુદ્ધિ રહે છે. Jain Education Internationa Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૫ “આત્મા છે,” “આત્મા નિત્ય છે, “આત્મા કર્મને કર્તા છે, “આત્મા કર્મને ભોક્તા છે, તેથી નિવૃત્ત થઈ શકે છે, અને “નિવૃત્ત થઈ શકવાના સાધન છે એ જ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા ગ્ય છે. પૂર્વના કેઈ વિશેષ અભ્યાસબળથી એ જ કારણોને વિચાર ઉત્પન્ન થાય છે, અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને ગ બને છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ નિત્યત્વ અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે, તેને વિવેક કરતાં કરતાં જીવને મુંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મેહગ્રંથી છેદવાને વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાને વેગ પૂર્વકાળે ઘણીવાર બન્યું છે, કેમકે જેને અનાદિકાળથી Jain Education Internationa Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૬ : શ્રીમદ્દ અને ગાંધીજી અભ્યાસ છે, તે અત્યંત પુરૂષાર્થ વિના અલ્પકાળમાં છેડી શકાય નહિ; માટે ફરી ફરી સત્સંગ, સલ્ફાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે રેગ્ય છેજેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ, સ્વરૂપઆવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતાં સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધી. રજથી અથવા આડી કલપના કરવાથી માત્ર જીવને પિતાના હિતને ત્યાગ કરવાને વખત આવે છે અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણને વેગ રહ્યા કરે છે. કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વતે છે એમ જાણી, ઘણે સંતોષ થયે છે. તે સંતોષમાં મારે કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચઢવા ઈચ્છે છે તેથી સંસાર કલેશથી નિવત્તવાને તમને પ્રસંગ પ્રાપ્ત થશે, એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એજ વિનંતિ–પત્રક, ૫૭૦ –આ. સ્વ૦ પ્રણામ. ગ કરવાને કરવાથી જ છે. અધી Jain Education Internationa Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૬૭ આણંદ, આસો સુદ, શુક્ર ૧૯૫૨ આત્માથી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડરબન તમારો લખેલે કાગળ મળ્યું હતું. આ કાગળથી ટુંકામાં ઉત્તર લખે છેઃ નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સદુવૃત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે; પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઈછા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરૂં, એમ માનવામાં હાનિ નથી; કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિદનને ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણુ કરીને નહિ; પણ જેની સદુવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય, અથવા નિર્બળ હોય, અને તેને ઇંગ્લંડાદિમાં સ્વતંત્રપણે રહેવાનું હોય તે અભક્ષ્યાદિ વિષેમાં તે દેષિત થાય એમ લાગે છે. Jain Education Internationa Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : શ્રીમદ્ અને ગાંધીજી જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપચના વિશેષ ચાગ નહિ હાવાથી તમારી સવ્રુત્તિએ વિશેષતા પામી, તેમ રાજકેટ જેવામાં કઠણ પડે એ યથાથ છે; પણ કાઈ સારાં આ ક્ષેત્રમાં સત્સ`ગાદિ યાગમાં તમારી વૃત્તિએ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિએ જોતાં તમને નાતાલ અનાય ક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ ચેાગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુ'ક આત્મનિરાકરણ ન થાય, તે રૂપ હાનિ માનવી કઈક વિશેષ ચાગ્ય લાગે છે. " ' અત્રેથી આ આચારવિચાર' સાચવવા સધી લખ્યુ હતુ. તે આવા ભાવાર્થ માં લખ્યું હતુંઃ— આય આચાર' એટલે મુખ્ય કરીને યા, સત્ય, ક્ષમાદિ ગુણાનુ આચરવું તે; અને આય વિચાર' એટલે મુખ્ય કરીને આત્માનુ` અસ્તિત્વ, નિત્યત્વ, વ માનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણેા, તે કારણેાની નિવૃત્તિ અને તેમ થઈ અવ્યાખાધ આનંદસ્વરૂપ અભાન એવા Jain Education Internationa Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૬૯ નિજ પદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમસંક્ષેપ મુખ્ય અર્થથી તે શબ્દ લખ્યા છે. વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક, વિશેષ પારમાર્થિક હેતુ વિના તે વર્તવું યોગ્ય છે; એમ વિચારસિદ્ધ છે; જે કે વર્ણાશ્રમધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્ય છે, તે પણ આપણે તે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જ્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં વાસ હોય, ત્યાં સુધી તે વાણિયારૂપ વર્ણ ધર્મને અનુસરે તે ગ્ય છે. કેમકે અભક્ષાદિ ગ્રહણને તેને વ્યવહાર નથી. ત્યારે એમ આશકા થવાં ચગ્ય છે કે, “લુહાણા પણ તે રીતે વર્તે છે, તે તેનાં અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ?” તે તેના ઉત્તરમાં એટલું જણાવવું ગ્ય થઈ શકે કે, વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી; કેમકે તેથી પછી બીજા સમાગમ વાસી કે પ્રસંગાદિ આપણી રીતિ જેનાર ગમે તે વર્ણનું ખાતાં બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણાને ત્યાં અન્નાહાર લેવાથી વર્ણધમ હાનિ Jain Education Internationa Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ : શ્રીમદ્દ અને ગાંધીજી પામતે નથી; પણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તે વર્ણ ધર્મની હાનિને વિશેષ સંભવ છે, અને વર્ણ ધર્મ લેપવારૂપ દેષ કરવા જેવું થાય છે. આપણે કઈ લેકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું. થતું હોય, અને રસલુબ્ધતાબુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તે પણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે, અને અંતે અભક્ષાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવા નિમિત્તને હેતુ આપણું તે આચરણ છે. માટે તેમ નહિ વર્તવું તે, એટલે મુસલમાનાદિના અન્નાહારાદિનું ગ્રહણ નહિ કરવું તે ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઊતરતી વૃત્તિ હોય તે તે જ પોતે અભક્ષાદિ આહારના ચાગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તે જ્યાં હિંસાનાં સ્થાનક છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાને અથવા જવા આવવાને પ્રસંગ ન Jain Education Internationa Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૭૧ થવા દેવે જોઈએ, નહિ તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે તેમજ અભક્ષ પર વૃત્તિ ન જવા દેવા અથે, અને તે માર્ગની ઉન્નતિનાં નહિ અનમેદનને અર્થે અભક્ષાદિ ગ્રહણ કરનારને આહારાદિ અથે પરિચય ન રાખવું જોઈએ. જ્ઞાનદષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી; પણ ભક્ષાલક્ષભેદને તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે. અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાક કાર્યો એવા હોય છે કે, તેમાં પ્રત્યક્ષ દેાષ હાત નથી, અથવા તેથી દેષ થતો હેત નથી, પણ તેને અંગે બીજા દેને આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવે ઉચિત છે. નાતાલના લોકોના ઉપકાર અર્થે કદાપિ તમારૂં એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય, જે બીજે કઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને તે માત્ર તે હેતુ ગણાય વળી તે લોકેના ઉપકાર અથે વર્તવું જોઈએ Jain Education Internationa Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ : શ્રીમદ્દ અને ગાંધીજી - એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવાફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સદ્દવૃત્તિની કંઈક પ્રતીતિ છે, એટલે આ વિષે વધારે લખવું એગ્ય દેખાતું નથી, જેમ સદાચાર અને સદ્વિચારનું આરાધન થાય તેમ પ્રવર્તવું એગ્ય છે. બાળ ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિનાં કોઈ તેવા નિમંત્રણેમાં અન્નાહારાદિને બદલે નહિ રાંધેલ એ ફળાહાર આદિ લેતાં તે લેકને ઉપકાર સાચવવાને સંભવ વહેતો હોય, તે તેમ અનુસરે તે સારું છે. એ જ વિનંતિ. –પત્રાંક, ૭૧૭. Jain Education Internationa Page #90 -------------------------------------------------------------------------- ________________ મ॰ ગાંધીજીની શ્રીમદ્ પ્રતિ ભવ્ય ભાવાંજલિ (મ॰ ગાંધીજીએ ‘શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ ’ ઉજવવા પ્રસંગે તથા પોતે લખેલ. ‘આત્મકથા' પુમાં શ્રીમદ્ના વિશિષ્ટ જીવન પરિચય આપેલ છે, તે અંગેના થાડાક જ્ઞાતવ્ય પ્રસંગેા પેટા મથાળાપૂર્વક અત્રે આપવામાં આવેલ છે, જે શ્રીમની વિશિષ્ટ જીવનવિભૂતિ સમજવા વિચારક માટે ઉપયેગી નિવડવા સંભવ. ) —સંગ્રાહક સ્કિન અને ટલાયથી ઉચ્ચપદ "The more I consider his life and his writings, the more I consider him to have been the best Indian of his times. Indeed, I put him much higher than Tolstoy in religious perception." ગાંધીજી C “ મારા જીવન પર શ્રી રાયચ'દ્રભાઇના એવા સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું એનું વન કરી શકતા નથી. Jain Education Internationa Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ : શ્રીમદ્દ અને ગાંધીજી હ કેટલાયે વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરૂષની શોધમાં છું પરંતુ એમના જેવા ધાર્મિક પુરૂષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી કે જે રાયચંદભાઈની હરીફાઈમાં આવી શકે. એમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતા. ઢગ, પક્ષપાત યા રાગ-દ્વેષ નહીં હતા. એમનામાં એક એવી મહાન શક્તિ હતી કે જેના દ્વારા તેઓ પ્રાપ્ત થયેલા પ્રસંગને પૂર્ણ લાભ ઉઠાવી શકતા. એમનાં લેખ અંગ્રેજ તત્ત્વજ્ઞાનીઓની અપેક્ષાએ વિચક્ષણ, ભાવનામય અને આત્મદશી છે. યુરોપના તત્ત્વજ્ઞાનીએમાં હું ટોલસ્ટેય પ્રથમ શ્રેણુના અને રસ્કિનને બીજી શ્રેણના વિદ્વાન સમજું છું, પરંતુ રાયચંદભાઈને અનુભવ એ બંનેથી પણ ચઢે હતે.” આ મહાપુરૂષના જીવનનું આપ અવકાશના વખતે અભ્યાસ કરશે તે આપ પર તેની બહુ સારી છાપ પડશે. તેઓ પ્રાયઃ કહ્યા કરતા હતા કે હું કોઈ વાડાને નથી અને કોઈ વાડામાં રહેવા ચાહત નથી. એ બધા ઉપધ” મર્યાદિત છે, અને ધમ તે અમર્યા Jain Education Internationa Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૭૫ દિત છે, જેની વ્યાખ્યા પણ પૂરી કહી શકાતી નથી. રાયચંદભાઈ પિતે ઝવેરાતના ધંધાથી નિવૃત્ત થાય કે તુરત પુસ્તક હાથમાં લે.” जज और वाईसराय जैसी बुद्धिप्रतिभा "यदि उनकी इच्छा होती तो उनमें असी शक्ति थी कि वे अक अच्छे प्रतिभाशाली जज या वाइसराय हो शकते। यह अतिशयोक्ति नहि, किन्तु मेरे मन पर उनकी छाप है। इनको विचक्षणता दूसरे पर अपनी છાપ nr રેતી થી ” " The more I consider his life and bis writings, the more I consider him to have been the best Indian of his times. Indeed, I put him much higher than Tolstoy in religious perception." - ગાંધીજી હિન્દુ ધર્મમાં શંકા નિવારક “મારી ઉપર ત્રણ પુરૂએ ઊંડી છાપ પાડી છે. ટેલટેય, રસ્કિન અને રાયચંદભાઈ ટેલસ્ટોયની Jain Education Internationa Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ : શ્રીમદ્ અને ગાંધીજી તેમનાં અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના ઘેાડા પત્રવ્યવહારથી, રસ્કિનની તેનાં એક જ પુસ્તક ‘અટુ ધી લાસ્ટ’થી જેનું ગુજરાતી નામ મેં ‘સર્વોદય' રાખ્યું છે, અને રાયચંદભાઇ તેમની સાથેના ગાઢ પરિચયથી. હિન્દુ ધર્મ'માં મને શ`કા પેઢા થઈ તેનાં નિવારણમાં મદદ કરનારા રાયચંદભાઇ હતા. "" સહજ વૈરાગી “ આપણે સ`સારી જીવા છીએ, ત્યારે શ્રીમદું અસ'સારી (સંસારથી વિરક્ત) હતા, આપણને અનેક ચેનિમાં ભટકવુ પડશે, ત્યારે શ્રીમને કદાચ એક ભવ ખસ થાઓ, આપણે માક્ષથી દૂર ભાગતા હાઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મેાક્ષ તરફ ધસી રહ્યા હતા. માહ્ય આડંબરથી મનુષ્ય વીતરાગ નથી થઈ શકતા, વીતરાગતા એ આત્માની પ્રસાદી છે, અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે, એમ હરકેાઇ માણસ અનુભવી શકે છે. રાગાને કાઢવા પ્રયત્ન કરનાર જાણે છે કે Jain Education Internationa Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૭૭ રાગ-રહિત થવુ` કઠિન છે ! એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી. એમ મારી ઉપર છાપ પડી હતી. ’ “ સાક્ષનું પ્રથમ પગથીયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખેંચેલુ' હાય, ત્યાં સુધી મેાક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તે કેવળ કાનને જ એટલે જેમ આપણને અથ જાણ્યા, સમજ્યા વિના કેાઈ સ`ગીતના સૂર જ ગમી જાય, તેમ એવી માત્ર કણ્`પ્રિય ગમ્મતમાંથી મેાક્ષને અનુસરનારૂ' વન આવતા ઘણા કાળ વહી જાય, આંતરવૈરાગ્ય વિના મેાક્ષની લગની ન થાય, એવી વૈરાગ્યલગની કવિની હતી, ” પેાતાના એ વ ના (મુખઈના) ગાઢ પરિચયમાં ગાંધીજીએ શ્રીમને જે વૈરાગ્યયુક્ત જોયેલા તેનુ શબ્દચિત્ર એક કુશળ ચિત્રકારને છાજે તેવું શ્રીમદ્નની નીચેની એ કડી ખેલવાપૂર્વક આપે છે. Jain Education Internationa Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ : શ્રીમદ્દ અને ગાંધીજી ઉત્કૃષ્ટ વૈરાગી “૧. અપૂર્વ અવસર એ ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યતર નિગ્રંથ જે; સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહતુ પુરૂષને પંથ જે.અપૂર્વ ૨. સર્વભાવથી દાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું કપે નહિ, દેહે પણ કિંચિત્ મૂચ્છ નવ જેય જે...અપૂર્વ” જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલે. તેમને ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક કિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હેય જ, કેઈ વખત આ જગતના કેઈ પણ વૈભવને વિશે તેમને મોહ થયે હોય એમ મેં જોયું નથી.” Jain Education Internationa Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૭૯ દયા-ધર્મની મૂર્તિ મ. ગાંધીજી ૧૫–૧૧–૧૯૨૧ના રોજ “શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ પ્રસંગે અમદાવાદમાં પ્રમુખસ્થાનેથી બેલ્યા હતા કે રાયચંદભાઈ સાથે મારે પ્રસંગ એક જ દિવસને ન હતો. ઈ. સ. ૧૮૯૧ના જનની આખરે મુંબઈમાં ઉતરીને હું પહેલવહેલે જે ઘરમાં ગયેલે તે મને બરાબર યાદ છે. ડે. મહેતાએ ને ભાઈ રેવાશંકર જગજીવને મારી તેમની સાથે ઓળખાણ કરાવી. ત્યારથી એમના મરણાંત સુધીને અમારે સંબંધ નિકટમાં નિકટ રહ્યો હતો. ઘણીવાર કહીને લખી ગયે છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણુ લીધું છે, પણ સૌથી વધારે કોઈને જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. દયા–ધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખે છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરે એ દયા-ધર્મ મને કવિશ્રીએ શીખવ્યું છે. એ ધર્મનું તેમની પાસેથી મેં કુંડા ભરીને પાન કર્યું છે. Jain Education Internationa Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ : શ્રીમદ્ અને ગાંધીજી “ તેઓ ઘણીવાર કહેતા કે ચાપાસથી કાઇ બરછીએ ભેાંકે તે સહી શકું' પણ જગતમાં જે જઠ, પાખ’ડ અત્યાચાર ચાલી રહ્યા છે, ધર્મને નામે અધમ વતી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારાથી ઉકળી રહેલા તેમને ઉકળી જતાં મે' ણીવાર જોયા છે. તેમને આખું જગત પેાતાના સગા જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતાં જોઇને જે કલેશ આપણને થાય છે, તેટલેા કલેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઇને થતા. ” જિતેન્દ્રિયંયુક્ત સયમી જીવન “ તેમની રહેણી-કહેણી હું આદરપૂવ ક પણ ઝીણુવટથી તપાસતા. ભાજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદે, પહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતા ક્રેટા ને ધેાતી. એ કંઈ બહુ સારૂં કે C ×ઇંદ્રેયથી અતીત અતીન્દ્રિય આત્મા જેણે જિત્યા તેજ ખરા જિતેન્દ્રિય છે. જિતેન્દ્રિય ’, ‘ જિતમેાહ' ને ‘ક્ષીણમેહ' આ ત્રણ શ્રેણીમાં પછીની બે શ્રેણી ત્યાર પછીજ પામી શકાય છે.—સ’ Jain Education Internationa Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૮૧ ઈસ્ત્રીબંધ રહેતા એમ મને સ્મરણ નથી. યે બેસવું, ખુરસીએ બેસવું બંને સરખું હતું. સામાન્ય રીતે તેઓ પિતાની દુકાનમાં ગાદીએ બેસતા.” તેમની ચાલ ધીમી હતી, અને જેનાર સમજી શકે કે ચાલતાં પણ પિતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતે. અત્યંત તેજસ્વી, વિહળતા જરાએ ન હતી, આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરે ગેળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર નહિ, ચપટુ પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંતમૂતિન હતો. તેમના કંઠમાં એટલું બધું માધુર્યા હતું કે તેમને સાંભળતા માણસ થાકે નહિ. ચહેરો હસમુખે ને પ્રફુલ્લિત હતું, તેની ઉપર અંતરાનંદની છાયા હતી.” ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પિતાના વિચારો બતાવતા કેઈ દિવસ શબ્દ તો પડ્યો છે, એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યેજ શબ્દ બદલતા મેં તેમને જોયા હશે, છતાં Jain Education Internationa Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ઃ શ્રીમદ્દ અને ગાંધીજી વાંચનારને એમ નહીં લાગે કે કયાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે અથવા શબ્દની પસંદગીમાં ખેડ છે. આ વર્ણન સંચમીને વિશે સંભવે.” નીતરતું સત લખાણ શ્રીમનું લખાણ અધિકારીને સારું છે, બધા વાંચનાર તેમાં રસ નહિ લઈ શકે, ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે, પણ શ્રદ્ધાવાન તે તેમાંથી રસજ લૂંટશે. તેમનાં લખાણમાં “સંત” નીતરી રહ્યું છે, એ મને હંમેશા ભાસ આવ્યા છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારૂં એક પણ અક્ષર નથી લખ્યો, લખનારને હેત વાંચનારને પિતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનું હતું. જેને આત્મકલેશ ટાળ છે, જે પિતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે; તેને શ્રીમદુના લખાણમાંથી બહુ મળી રહેશે એ મારે વિશ્વાસ છે. પછી ભલે તે હિન્દુ કે અન્ય ધમ.” જે અનુભવ્યું તે જ લખ્યું તેમનાં લખાણોમાં એક અસાધારણતા એ છે કે Jain Education Internationa Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૩ પિતે જે અનુભવ્યું તે જ લખ્યું, તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારૂં એક લીટી પણ લખી હોય એમ મેં જોયું નથી. તેમની પાસે હંમેશા કંઈક ધર્મપુસ્તક અને એક કોરી ચોપડી પડેલા હોય. એ ચેપડીમાં પિતાના મનમાં જે વિચારો આવે તે લખી નાંખે કોઈ વેળા ગદ્ય ને કોઈ વેળા પદ્ય.” શ્રી વાસ્તવિક ધર્મ રાયચંદભાઈના ધર્મને વિચાર આપણે કરીએ, તેના પહેલાં ધર્મનું સ્વરુપ જે તેમણે આલેખ્યું હતું, તે જોઈ જવું અગત્યનું છે. ધર્મ એટલે અમુક મતમતાંતર નહીં, ધર્મ એટલે શાને નામે ઓળખાતાં પુસ્તકને વાંચી જવા કે ગેખી જવા અથવા તેમાં કહેલું બધું માનવું જ એ પણ નહીં. ધર્મ એ આત્માના ગુણ છે, અને માનવજાતિને * ધર્મ એ આત્માને ગુણ છે, ગુણ ગુણ વિના ન જ હેય. આત્માને ધર્મ આત્મામાં જ છે.' Jain Education Internationa Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ : શ્રીમદ્દ અને ગાંધીજી વિશે દશ્ય કે અદશ્યરૂપે રહેલે છે. ધર્મ વડે આપણે મનુષ્યજીવનનું કર્તવ્ય જાણી શકીએ છીએ, ધર્મવડે આપણે બીજા જી–પ્રત્યેને આપણે ખરે સંબંધ ઓળખી શકીએ. આ બધું જ્યાં સુધી આપણે પિતાને ન ઓળખીએ ત્યાં સુધી ન જ બની શકે એ તે દેખીતું છે. તેથી ધર્મ એટલે જે વડે આપણે પોતાને ઓળખી શકીએ તે સાધન” (અર્થાત્ આત્માને ગુણ તે ધર્મ) આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું, અને હજુ સુધી કઈ પણ માણસે મારા હૃદય પર તે પ્રભાવ પાડ્યો નથી.” સર્વધર્મ સમભાવી રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદર ન હતે, વેદાંત પ્રત્યે પક્ષપાત પણ ન હતું. વેદાંતિને તે કવિ વેદાંતીજ જણાય. મારી સાથે ધર્ચચર્ચા કરતાં મને કઈ દિવસે તેમણે એવું તે કહ્યું જ નહીં કે મેક્ષ મેળવવા સારૂ મારે અમુક ધર્મને અવલંબ જોઈએ.ધર્મના ઝગડાથી તેમને હંમેશા કંટાળે Jain Education Internationa Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૨૫ આવતા, તેમાં ભાગ્યેજ પડતાં. બધા ધર્માંની ખૂબીઆ જોઈ જતાં ને તે તે ધની પાસે મૂકતાં. દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મે' તેમની પાસેથી એજ વસ્તુ મેળવી હતી. ’ સંપૂર્ણ પ્રમાણિક : વ્યવહારકુશળ અને ધર્મકુશળ “ ધાર્મિક મનુષ્યના ધમ તેનાં પ્રત્યેક કાર્યોંમાં ઝળહળતા હોવા જોઇએ, જે રાયચંદભાઇએ પેાતાના જીવનમાં સિદ્ધ કરી ખતાબ્યા હતા. તેઓ રેવાશ કર જગજીવનના ભાગીદાર હતા. પેાતાના વ્યવહારમાં તે સંપૂર્ણ પ્રકારે પ્રમાણિકપણે વતતા એવી મને તેમનાં જીવન ઉપરથી છાપ પડી હતી. તેઓ જ્યારે સાદા કરતાં ત્યારે હું કાઈ વાર અચાનક જઈ ચડતા. તેમની વાત સ્પષ્ટ અને એકજ પ્રકારની હતી. ચાલાકી સરખી કાઇ વસ્તુ મે' તેમનામાં જોયેલ નહિ. બીજાની ચાલાકી પેાતાને અસહ્ય માલુમ પડતાં તેઓ તુરત ખાલી ઊઠતાં, તે વખતે તેમની ભ્રૂકુટિ પણ ચડી જતી ને આંખમાં લાલાશ આવી જતી તે હું દેખતા હતા. Jain Education Internationa Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ : શ્રીમદ અને ગાંધીજી ધર્મકુશળ લેક, વ્યવહારકુશળ નથી હતા તે શંકાને રાયચંદભાઈએ મિથ્યા સિદ્ધ કરી બતાવી હતી. પિતાના વ્યાપારમાં પૂરી સાવધાની અને હોશિ. યારીથી તેઓ વર્તતા. તેમનામાં જે કોઈ વચન તર્ક નીકળતો તે તે અધિકાંશ સાચેજ નીકળતો. એટલી સાવધાની તથા હાંશિયારી હોવા છતાં તેઓ વ્યાપારની ઉદ્વિગ્નતા અથવા ચિંતા કરતાં નહિ. દુકાનમાં બેઠા પિતાનું કામ પૂરું થાય ત્યારે તેમની પાસે પડેલું ધાર્મિક પુસ્તક અથવા કોરી ચોપડી હાથમાં લેતાં, કે જેમાં પોતે પિતાના ઉદ્ગાર લખતા હતા. મારા જેવા જિજ્ઞાસુ તેઓ પાસે જ આવતાં જ રહેતા અને તેઓની સાથે ધર્મચર્ચા કરવામાં સંકેચાતા નહિ. આવા પ્રકારને અપવાદ હોવા છતાં પણ વ્યવહારકુશળતા સાથે ધર્મપરાયણતાને સુંદર મેળ જેટલે મેં કવિમાં જે તેટલે મેળ અન્ય કેઈમાં પણ મને દેખવામાં આવ્યા નથી.” શ્રીમદુની નીડરતા, આત્મા મેળવવાની ધગશ અને તે માટે કરવી જોઈતી તપશ્ચર્યા માટે પ્રયત્ન Jain Education Internationa Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૮૭ *; કરવાનુ` જણાવતાં મ॰ ગાંધીજીએ વિ. સ’. ૧૯૮૨ કાકી પૂર્ણિમાએ અમદાવાદ માંડવીમાં આપેલા વ્યાખ્યાનમાં કહ્યું હતું કે— ચૈતન્ય-આત્માની જ એક તમન્ના “ જે વસ્તુ આત્માને દૂધ જેવી દેખાય છે તેવા જગતમાં કાઇના પણ ડર રાખ્યા વિના પ્રગટ કરવાની શક્તિ આપણે એ પુરુષના સ્મરણમાંથી આજે મેળવીએ. ડર એક માત્ર ચૈતન્યના રાખીએ, ચાવીસે કલાક, રખેને એ હમેશા ખબરદારી કરનારા દુભાશે તે નહિ એવી ચિંતા રાખીએ. રાજચદ્રના જીવનમાંથી તેમની અન'ત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તેએ ચૈતન્યની આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી ખકરી જેવાં રાંક મની, આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિ'હુ જેવા સમથ ખનીએ તા જીવનનુ સાથ ક્ય છે. ’ Jain Education Internationa Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : શ્રીમદ્દ અને ગાંધીજી મ૦ ગાંધીજીનું જયંતિ સમાપ્તિ અવસરે અંતિમ કથન તેમનાં જીવનમાંથી ચાર વાતની આપણને શિક્ષા મળે છે– (૧) શાશ્વત (આત્મા) વસ્તુમાં તન્મયતા. (૨) જીવનની સરળતા, (૩) સમસ્ત વિશ્વ સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર (૪) સત્ય અને અહિંસામય જીવન.” એક રમૂજી સંવાદ મ૦ ગાંધીજી “રાયચંદભાઈના કેટલાક સ્મરણે” તરીકે પિતાના પુત્ર “આત્મકથામાં લખે છે – તેમની સાથે એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લૅડસ્ટનની–ગ્લેડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતે હતો. આમની સભામાં પણ મિસિસ ગ્લૅડસ્ટન પિતાના પતિને ચા બનાવીને પાતાં. આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના જીવનને એક નિયમ થઈ પડ્યો હતો, એ મેં કયાંક વાંચેલું. તે મેં કવિને વાંચી સંભળાવ્યું ને તેને અંગે મેં દંપતીપ્રેમની સ્તુતિ કરી. Jain Education Internationa Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૮૯ રાયચંદભાઈ બોલ્યા, એમાં તમને મહત્વનું શું લાગે છે? મિસિસ ગ્લૅડસ્ટનનું પત્નીપણું કે તેને સેવાભાવ? જે તે બાઈ લેડસ્ટનના બેન હેતે તે? અથવા તેની વફાદાર નેકર હેત તે? ને તેટલા જ પ્રેમથી ચા આપત તે? એવી બહેને, એવા નોકરોના દwતે આપણને આજે નહિ મળે? અને નારીજાતિને બદલે એ પ્રેમ નરજાતિમાં જે હેત તે તમને સાનંદાશ્ચર્ય થાત? હું કહું છું તે વિચારજે. રાયચંદભાઈ પિતે વિવાહિત હતા. તે વેળા તે મને તેમનું વચન કઠેર લાગેલું એનું મને સ્મરણ છે, પણ તે વચને મને લેહચુંબકની જેમ પકડયો. પુરૂષ ચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારી કરતાં તો હજાર ગણી ચડે! પતિ-પત્ની વચ્ચે ઐક્ય હોય અને તેમની વચ્ચે પ્રેમ હોય એમાં આશ્ચર્ય નથી. નકર શેઠ વચ્ચે તે પ્રેમ કેળવ પડે. મારે પત્ની સાથે કે સંબંધ રાખવે? પત્નીને વિષયભેગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે કયાં વફાદારી Jain Education Internationa Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ : શ્રીમદ્ અને ગાંધીજી આવે છે? હુ જ્યાં લગી વિષયવાસનાને આધીન રહું ત્યાં લગી મારી વફાદારીની પ્રાકૃત કિંમત જ ગણાય "" મ॰ ગાંધીજીને શ્રીમદ્નુ. ઉપરોક્ત વિચક્ષણ મામિક વચન સ્વપત્ની પ્રત્યે દેશભ્રહ્મચય ની પ્રેરણારૂપ અન્યુ' અને ત્યાર પછી પોતે આજીવન બ્રહ્મચ યુક્ત રહ્યા. મહાપુરૂષના વચનના એવા જ કાઈ પ્રભાવ હાય છે. જેના ઉલ્લેખ ગાંધીજીએ પેાતાના ઉદૂંગારમાં વારવાર કરેલા છે. Jain Education Internationa Page #108 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ( ૨૭ પ્રશ્નોના પત્રમાં આવતાં જૈન અને વેદાંત દર્શન પરત્વે શ્રી ભગવદ્ગીતાના આધારે કેટલાક સૈદ્ધાંતિક સમન્વય ) આત્માનું કર્તૃત્વ-ભાકતૃત્વ नादन्ते कस्यचित् पापं न चैव सुकृतं विभूः । अज्ञानेन आवृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥ “ કાઇ પણ પાપ અને પુણ્યના કાઇ બીજો છે એમ ન માને પણ જીવાત્માઓનું જ્ઞાન પેાતાના અજ્ઞાનથી અથવા એના જ્ઞાનચક્ષુએ ભિડાઈ જવાથી ઢંકાઈ જાય છે, તેથી તેઓ મેડ પામે, ” ( ગીતા અધ્યાય ૧-૧૫ ) ઇશ્વરનું અકત્વ !! न कर्त्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः । न कर्मफलं संयोगं, स्वभावस्तु प्रवर्तते ॥ “ જગતનું કર્તૃત્વ કે જીવેાના કર્મોનુ સન કરવું એ ઇશ્વરનુ` કા` નથી, તેમજ કાઈ પણ કર્યું કે કાઇ જીવાના કર્માનાં ફળ એમને અપાવવા એમાં પણ આવશ્યક્તા નથી. જગતમાં જે કંઇ દેખાય છે, એ બધુ Jain Education Internationa Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ : શ્રીમદ્દ અને ગાંધીજી ચોગ્ય સામગ્રી મળતાં પિતાપિતાના સ્વભાવનુસારજ પરિવર્તન પામ્યા કરે છે–(અ. ૫–૧૪) કહ્યું છે કેस्वभावतः प्रवृत्तानाम् निवृत्तानाम् स्वभावतः । नाऽहं कर्तेति भूतानाम् यः पश्यति स पश्यति ॥ પિતાના કર્મવશાત સ્વતઃ નિવૃત્ત અને સ્વતઃ પ્રવૃત્ત થયેલા એવા જીનું હું કશું જ કરતા નથી, અર્થાત્ આ બધી રચના નિયમને વશવતી થઈ બન્યાજ કરે છે, એવું જે જાણે છે એજ સાચા પંડિત પુરૂષ છે ”—(ગીતા) મુક્તાત્માઓનું અપુનરાગમન મામુદ પુનમ સુarઢામશાશ્વતમૂ नाप्नुवन्ति महात्मनः संसिद्धि परमां गताः ॥ “પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિપદ પામેલા મહાત્માઓ મને પામી દુઃખના સ્થાનરૂપ અને નાશવંત એવા પુનર્જન્મને પામતાં નથી”—(અ––૧૫) यं प्राप्य न निवर्तन्ते तद् धाम परमं मम । જ્ઞાનીઓ જે સ્થાન પામ્યા પછી સંસારમાં પાછા ફરતા નથી તે જ મારું પરમાત્મપદ છે, તેજ મારું પરમધામ છે.” (અ. ૮-૨૧ને ઉત્તરાર્ધ ) Jain Education Internationa Page #110 -------------------------------------------------------------------------- ________________ or private & Personal Use Only