________________
સુખનાં સરળ સાધને ] મળતું હશે, એ વિષે અસંખ્ય મનુષ્યોને ભારે મુઝવણ થાય છે. તેઓ આ જ્ઞાન મેળવવાને ઘડીકમાં એક ગ્રંથ વાંચે છે, તે ઘડીકમાં બીજે વાંચે છે, ઘડીકમાં એક વિદ્વાનને પૂછે છે, તે ઘડીકમાં બીજાને પૂછે છે, ઘડીકમાં એક સપુરુષને આશ્રય ગ્રહણ કરે છે, તે ઘડીકમાં બીજાને ત્યાં જાય છે, ઘડીકમાં શાસ્ત્રો વાંચે છે, તો ઘડીકમાં કથાઓ સાંભળવા જાય છે, ઘડીકમાં એક મંડળમાં દાખલ થાય છે, તે ઘડીકમાં બીજા સમાજમાં જાય છે, ઘડીકમાં આ વક્તાનાં વ્યાખ્યાને સાંભળે છે, તે ઘડીકમાં બીજા વક્તાનાં વ્યાખ્યાને સાંભળે છે, ઘડીકમાં જપ કરે છે, તે ઘડીકમાં કીર્તન કરે છે, ઘડીકમાં ધારણ ધ્યાનને સેવે છે, તે ઘડીકમાં પ્રાણાયામ પાછળ પડે છે, ઘડીકમાં મૂર્તિને સેવે છે, તે ઘડીકમાં ઈશ્વર નિરાકાર હશે એમ માની નિરાકારનું ધ્યાન ધરવા પ્રયત્ન આરંભે છે. આજે આ તે કાલે બીજું, પરમ દહાડે ફલાણું તે ચોથે દહાડે અમુક, એમ અસ્થિર ચિત્તથી જુદા જુદા ઉપાયો કરે છે. શું કરવું તે અસંખ્ય મનુષ્યોને સૂઝતું નથી. શાસ્ત્રોમાં જ્ઞાનના ઉપાયો વર્યા છતાં તેમાંથી બુદ્ધિની અપકવતાથી તેમને સીધે સરળ માર્ગ જણાતું નથી. જ્ઞાનની ઈચ્છા તે નિરંતર થયા કરે છે, પરંતુ કઈ દિશા લેવી તેનું સ્પષ્ટ ભાન થતું નથી. ચકલીના બચ્ચા પાસે ખાવાને પદાર્થ પડ્યો છે, પણ ચાંચમાં ચાવી ઝીણો કરી તેના મુખમાં મૂકી આપનાર માતા નથી; અને બચ્ચે ક્ષુધાથી કોમળ સ્વરે ચીંચીં કરે છે.
પૂર્વે જે પિશાકને લેકે શોભા આપનાર માનતા હતા, તેને પહેરતાં આજે ઘણાને અત્યંત શરમ ઊપજે છે. એક અંગ્રેજી ભણેલા મનુષ્યને આજે પુષ્કળ ઘેરવાળે જામે પહેરવા કહ્યું હોય, અથવા લાંબી ચાંચવાળા જોડા પહેરવા આપ્યા હોય, તે તેથી તેને ભારે અપ્રસન્નતા થાય છે. શરીર ઢાંકવાનું તથા પગનું રક્ષણ કરવાનું કાર્ય જેટલું કેટ તથા બૂટ કરે છે, તેટલું જ જામે તથા જેડા કરે છે, પરંતુ જામે તથા જોડા આજના કેળવાયેલા સમયમાં લેકેને પ્રિય નથી. આથી કાળને અનુસરીને, તથા લેકેની રુચિને જોઈને જેમ દરજી તથા મોચી વસ્ત્રો રસીવવાની તથા જેડા કરવાની પિતાની રીત બદલે છે, તેમ પ્રત્યેક યુગમાં સુખના સાધને વર્ણવનાર પુરુષો પણ તે સાધનને લેકેની રુચિને પ્રિય લાગે એવા રૂપમાં ગોઠવવા પ્રયત્ન આદરે છે. જેમ ગામડિયા ઘાટના ગણાતા ડાનું તથા જમાનું, તથા કેટનું તથા બૂટનું પ્રયોજન સરખું જ હોય છે, તથા જેમ બમાં વસ્ત્ર તથા ચામડું જ વપરાય છે, તેમ એક સમયે લેકની સચિઅનુસાર વયલાં સાધનનું તથા બીજે સમયે તે સમયના લોકોની રુચિ અનુસાર