________________
તત્ સત્ | છે શ્રી રાજુ vમાત્મને નમઃ II
सुखनां सरल साधनो
સુખસ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ પરમાત્મન ! આપને હૃદયમાં અદભાવે યજું છું. સર્વશક્ત તથા અનાદ્યનંત પ્રભો ! આ કલ્યાણકારક ગ્રંથ લખવામાં આપ આ મતિમાં એવો પ્રકાશ નાંખવા કૃપા કરજે કે જેથી આ સ્થળે સત્ય વચને જ લખવા તે સમર્થ થાય. આપને અનંત જ્ઞાનપ્રકાશ આ અંતઃકરણમાં આવવામાં જે જે અંતરાયે નડે તેને દૂર કરવા આપ કૃપાળું થજે. જગતનાં મનુષ્ય જે આપનાં જ સ્વરૂપ છે, તેમને આપનું યથાર્થ જ્ઞાન પ્રકટે, તથા જે અર્થે તેમને આ જગતમાં ઉદય છે, તે અર્થ સિદ્ધ કરી તેઓ આપના સ્વરૂપને અખંડ અભેદ અનુભવ કરી અખંડ સુખમય થઈ રહે, એવાં વચને લખવા આ મતિમાં બળ આપવા આપ જ સમર્થ છે. આ શરીર, મતિ તથા વાણી આપનાં યંત્રો છે. આપ ચાલક પરમાત્મા તેમને જનસમુદાયનું હિત સધાય, તે માર્ગે પ્રવર્તાવજે. આ સતપ્રયત્ન આપના જ યશને વિસ્તાર કરનાર છે.
પ્રિય વાંચનાર! પરમાત્માની પ્રેરક સત્તાથી આ સ્થળે સુખનાં સરલ સાધને લખવાને ઉપક્રમ કરવામાં આવે છે. આજ સુધીમાં અસંખ્ય પરોપકારી મહાપુરુષોએ જનસમુદાય કેમ સુખી થાય, તે ઉપાયને અસંખ્ય ગ્રંથ લખી વર્ણવ્યા છે. આજે પણ અનેક સત્પષો પિતાનું પરોપકારી જીવન એ અર્થે ગાળે છે. તે સર્વેએ સુખના જે ઉપાય વર્યા છે, તેથી આ ઉપાય કંઈ જુદા પ્રકારના છે, એમ નથી જ. જેમ ભૂખને હરનાર અને પોષણ આપનાર આહારના પદાર્થો અસંખ્ય પ્રકારના હોય છે, પરંતુ તેમાં પિષણને આપનાર તો તે એક જ પ્રકારનાં હોય છે, તેમ દુઃખને ટાળનાર અને સુખને આપનાર અસંખ્ય ગ્રંથ લખાયા છે, પરંતુ તેમાં સુખને આપનાર ઉપાયોનું તત્ત્વ તે એક જ પ્રકારનું હોય છે. ઉપાયોને વર્ણવવાની રીતમાં જ ભેદ હોય છે. કોઈ ઘઉને એવા પ્રકારને ખાવાને પદાર્થ બનાવે છે કે તે કઈને ભાવે છે, અને કેઈને નથી ભાવતે. તેમ કોઈ પરેપકારી પુરુષો સુખનાં સાધનેને એવા પ્રકારે વણે છે, કે તે કેટલાકને રુચિકર થાય છે, ત્યારે કેટલાકને તે અણગમો અથવા