Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 469
________________ ૪૬૮] મનના અભાવમાં ધ્યાન શી રીતે થાય ? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હોય છે, તેથી તેમનો ધ્યાનનો સંભવ ક્યાંથી હોય ? એમ પૂછવામાં આવે તો તેનો ઉત્તર કહીએ છીએ કે સિદ્ધાન્તમાં ત્રણે પ્રકારના યોગમાં ધ્યાન કહ્યું છે. (કેવળ મનવિશેષ જ ધ્યાન છે એમ નહિ, વચન અને કાયાના વ્યાપારમાં પણ ધ્યાન કહ્યું છે.) કારણ કે મન, વચન અને કાયારૂપ વિદ્યમાન કારણોનો સુર્દઢ પ્રયત્ન વડે જે વ્યાપાર થાય તેને ભગવંતોએ ધ્યાન માન્યું છે, ચિત્તના નિરોધમાત્રને જ ધ્યાન નથી માન્યું. અને તેથી કરીને મનના અભાવે જિનેશ્વરને મન સંબંધી અને વચન સંબંધી ધ્યાન ભલે ન હોય, પરંતુ કાયનિરોધના પ્રયત્નરૂપ સ્વભાવવાળા ધ્યાનનો અહીં કોણ નિષેધ કરી શકે છે ? વળી જો છદ્મસ્થને મનોનિરોધ માત્ર પ્રયત્નરૂપ ધ્યાન છે, તો જિનેશ્વરને કાયયોગનો નિરોધ કરવારૂપ પ્રયત્નવાળું ધ્યાન કેમ ન હોય ? (હોય જ.) જિનેશ્વરને મનના અભાવે છદ્મસ્થની જેમ તે સૂક્ષ્મક્રિયાનિવૃત્ત્પાદિ ધ્યાન સંભવતું નથી, મનના અભાવે પણ જો ધ્યાન માનતા હો, તો સૂતેલા જીવને પણ તે કેમ નથી માનતા ? (મનનો અભાવ ત્યાં પણ સમાન છે.) અથવા એમ કહેવામાં આવે કે સુતેલા જીવને કાયનિરોધ કરવાના પ્રયત્નનો સદ્ભાવ નથી, તેથી તેને ધ્યાન નથી અને જિનેશ્વરને તેવા પ્રયત્નનો સદ્ભાવ છે, તેથી તેમને તે ધ્યાન છે કહેવામાં આવે તો જિનેશ્વરને પણ ચિત્તના અભાવે તે કાયનિરોધના પ્રયત્નનો સદ્ભાવ ક્યાંથી હોય ? અથવા સુતેલાને કિંચિત્ માત્ર મન હોય જિનેશ્વરને તો તે સર્વથા નથી અને તેથી જો સુતેલાને ધ્યાન નથી, તો જિનેશ્વરને તો દૂર જ રહ્યું. આ યોગ્ય છે કે મનરૂપ કરણમાત્રાનુસારી જ્ઞાનવાળા છદ્મસ્થને સુપ્તાવસ્થામાં મનકરણના અભાવે કાયનિરોધના પ્રયત્નનો અભાવ છે; પરંતુ જિનેશ્વરને તે યોગ્ય નથી. (મનના અભાવે પણ તેમને કેવળજ્ઞાન છે.) વળી મનોમાત્ર વિહિતયત્નવાળા છદ્મસ્થને ધ્યાન માન્યું છે, તો કેવળજ્ઞાનથી વિહિત પ્રયત્નવાળા જિનેશ્વરને તે કેમ નથી માન્યું ? ભવસ્થ કેવળીને ચિંતાનો અભાવ હોવા છતાં પણ હંમેશાં સૂક્ષ્મક્રિયાનિવૃત્તિ આદિ બે ધ્યાન કહ્યાં છે, કેમકે તે અવસ્થામાં તથાવિધ જીવના સ્વભાવથી પૂર્વવિહિત ધ્યાનના સંસ્કારથી અને કર્મનિર્જરાના હેતુથી તથા ‘ધ્યે’ ધાતુરૂપ શબ્દના બહુ અર્થથી જિનેશ્વરના આગમમાં તે બે ધ્યાન કહ્યાં છે. જો અમનસ્ક કેવળીને ધ્યાન મનાય છે, તો સિદ્ધને તે કેમ નથી માનતા ? એમ પૂછવામાં આવે, તો તેમને કરણના અભાવે પ્રયત્ન નથી અને કોઈ યોગનો નિરોધ પણ કરવાનો નથી, તેથી તેમને ધ્યાન નથી. ૩૦૭૦ થી ૩૦૮૧. હવે શૈલેશી અવસ્થામાં શું કરે છે ? તે કહે છે :तदसंखेज्जगुणाए गुणसेढीए रइयं पुरा कम्मं । સમ! સમ! અવિયં મસો સેલેસિસેનું રૂ૦૮૨ सव्वं खवेइ तं पुण निल्लेवं किंचिदुवरिमे समए । किंचिच्च होइ चरिमे सेलेसीए य तं वोच्छं ||३०८३|| मणुयगइ जाइ-तस - बायरं च पज्जत-सुभयमाएज्जं । अन्नयखेयणिज्जं नराउमुच्चं जसोनामं ॥ ३०८४॥ संभवओ जिणनामं नराणुपुब्बी य चरिमसमयम्मि । सेसा जिणसंता ओहुचरिमसमयम्मि निर्वृति ॥ ३०८५|| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586