Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 512
________________ ભાષાંતર] વ્યવહાર-નિશ્ચયનયથી સમાધાન. [૫૧૧ સંઘાત-પરિશાટ ઉભયરૂપનો ઉત્કૃષ્ટ કાળ ત્રણ પલ્યોપમમાં એક સમય ન્યૂન છે, તે આ પ્રમાણે. જ્યારે કોઈ જીવ દેવકુ આદિ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો હોય, તે ઉત્પન્ન થવાના પહેલા સમયે ઔદારિક શરીરનું સંઘાતન કરી, ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને મરણ પામે, તેને સંઘાતનનો એક સમય બાદ કરતાં ત્રણ પલ્યોપમમાં એક સમય ન્યૂન ઉત્કૃષ્ટકાળ સંઘાતપરિપાટ ઉભયરૂપનો થાય. શિષ્ય - મહારાજ! ત્રણ પલ્યોપમમાં એક સમય ન્યૂન કેમ? બે સમય ન્યૂન થવો જોઇએ. કારણ કે જેમ શરીરગ્રહણના પ્રથમ સમયે સર્વ સંઘાત છે, તેમ શરીરનો ત્યાગ કરતા છેલ્લા સમયે સર્વપરિશાટ પણ હોય છે, તેથી સંઘાતનો એક સમય અને પરિશાટનો એક સમય, એમ બે સમય બાદ કરતાં ત્રણ પલ્યોપમમાં બે સમય ન્યૂન ઉત્કૃષ્ટકાળ સંઘાતપરિશાટ ઉભયરૂપનો થાય. ૩૩૧૬ થી ૩૩૧૯, હવે વ્યવહાર-નિશ્ચયનયની અપેક્ષાએ ઉપરના કથનનું સમાધાન કરે છે : भण्णइ भवचरिमम्मि वि समए संघायसाडणं चेय । परभवपढमे साडणमओ तदूणो न फालो ति ॥३३२०॥ जइ परभवपढमे साडो निविग्गहओ य तम्मि संघाओ। नणु सब्बसाड-संघायणाओ समए विरुद्धाओ ॥३३२१॥ जम्हा विगच्छमाणं विगयं ऊप्पज्जमाणमुपण्णं । तो परभवाइसमए मोक्खा-दाणाण न विरोहो ॥३३२२॥ चुइसमए नेहभब्बो इह वेहविमोक्खओ जहाऽतीए । जइ न परभवो वि तहिं तो सो को होउ संसारी ? ॥३३२३।। नणु जह विग्गहकाले देहाभावे वि परभवग्गहणं । तह देहाभावम्मि वि होज्जेह भवो वि को दोसो ? ॥३३२४॥ जं चिय विग्गहकालो देहाभावे वि तो परभवो सो । चुइसमए उ न देहो न विग्गहो जड़ स को होउ ? ॥३३२५॥ (ઉપરના પ્રશ્નનોના ઉત્તર) કહે છે કે ભવના છેલ્લા સમયે પણ સંઘાત-પરિપાટ ઉભય છે, કેવળ પરિપાટ તો પરભવના પહેલા સમયે છે, તેથી પરીક્ષાટન્યૂનકાળ તેનો ન સમજવો.જો પરભવના પ્રથમ સમયે પરિશાટ હોય, તો વિગ્રહરહિત ઉત્પન્ન થનારાને તે જ સમયે સંઘાત થાય, અને તેથી એક જ સમયમાં વિરૂદ્ધ એવા સર્વ પરિશાટ સંઘાતન પ્રાપ્ત થશે. (એમ કહેવામાં આવે તો નિશ્ચયનયના મતે) નાશ પામતું હોય, તે નાશ પામ્યું, અને ઉત્પન્ન થતું હોય, તે ઉત્પન્ન થયું ગણાય, તેથી પરભવના આધસમયે ત્યાગ અને ગ્રહણનો વિરોધ નથી. વળી જેમ અતીતજન્મમાં આ ભવનું શરીર નથી, તેમ ચ્યવન સમયે પણ આ ભવના શરીરના અભાવે આ ભવ નથી. જો એ પ્રમાણે તે સમયે પરભવ નથી, તો તે સંસારી જીવ કેવી રીતે કહેવાય ? જેમ વિગ્રહ કાળે શરીરના અભાવે પણ પરભવનું ગ્રહણ થાય છે, તેમ શરીરના અભાવે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586