Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
જ આપી છે તે ઉપરથી એ નક્કી થાય છે કે બૃહત્કથામંજરી’ના પ્રારંભમાંથી મૂળ ગ્રન્થની વિષયસૂચિ નષ્ટ થયેલ છે.
આપણા ગ્રન્થમાં ‘કથા-ઉત્પત્તિ' એ શુદ્ધ જૈન કથાભાગ છે, પણ પીઠિકા અને મુખની બાબતમાં એમ નથી. બુધસ્વામીની કૃતિમાં ‘કથામુખ' એ ત્રીજા સર્વાંનુ નામ છે, પણ ખરું જોતાં પહેલા એ નામ વગરના સર્ગા પણુ એ ‘કથામુખ’નેા જ પ્રારંભિક ભાગ છે. અસંગતિની દૃષ્ટિએ ‘કથામુખ’માં જે હાવાની અપેક્ષા રહે તે જ તેમાં છે-કથા કહેનારને પરિચય. કથા કહેવાને પ્રસંગ કેવી રીતે ઉપસ્થિત થયા એ તેમાં બતાવ્યું છે. નરવાહનદન પોતાના સંપૂર્ણ વૃત્તાન્ત પહેલા પુરુષમાં કહી સભળાવે છે. કાશ્મીરી લેખકાએ ખીજા ‘ લેખક ’નું નામ ‘ કથામુખ લખક ' આપ્યું છે. એમાં ઉદયનની કથા આવે છે! બુધસ્વામીના
*
te
१२
કથામુખ ’ માં જે ભાગ આવે છે તે ( કથાસુખના લેખકાએ ? ) ત્યાં ગ્રન્થને અંતે મૂકેલા છે, અને નરવાહનત્ત આત્મવૃત્તાન્ત કહે છે એવું સ્પષ્ટ વિધાન છતાં તે પોતે એમ કરતા નથી, એટલુ જ નહીં પણ એ કથા તે ત્રીજા પુરુષમાં તટસ્થ તરીકે કહે છે! નેપાલી રૂપાન્તરની સચ્ચાઇનુ અને કાશ્મીરી રૂપાન્તરાની ભ્રષ્ટતાનું લાધેતેએ આપેલું આ મુખ્ય પ્રમાણ છે. આ અનુમાનને જૈન રૂપાન્તર પણ ટકા આપે છે. એમાં વસુદેવ પોતાના આખાયે વૃત્તાન્ત આત્મકથારૂપે પહેલા પુરુષમાં વર્ણવે છે. ‘ કથામુખ ’– અથવા તેમાંથી તૈયાર થયેલુ ‘ પ્રતિમુખ ’કયારે અને કેવી રીતે તેમણે આત્મકથા કહી તે જણાવે છે.
<
'
“ કાશ્મીરી લેખકે સેામદેવ અને ક્ષેમેન્દ્રે કથાપીઠે 'તે પહેલા ' લખક ' કહ્યો છે. ગુણાત્મ્ય કવિ વિષેનું કથાનક એ તેને વિષય છે. એ તે દેખીતી જ વસ્તુ છે કે ગુણુાઢ્ય કવિ વિષેનું કથાનક મૂલ બૃહત્કથા 'માં હાઇ જ ન શકે. બુધસ્વામીના રૂપાન્તરમાં પણ ‘ કથાપી ' શીક કર્યાંય જોવામાં આવતુ નથી; ઉપર જોયું તેમ, બુધવાનીમાં પ્રારતાવિક ભાગ–‘ કથામુખ ' છે. આ ઉપરથી લાકાતે તે નિશ્ચિતપણે એમ માને છે કે ગુણાજ્યના મૂલગ્રન્થમાં કથાપીઠ ' નહેતું. પણ વસુદેવ-હિંડી ’માં માનવાની ફરજ પાડે છે કે બૃહત્કથા 'માં કથાપીઠ' હશે. પણ એ * કથાપીઠ 'નુ' વસ્તુ શુ હશે? એ એક પ્રશ્ન થાય છે.
પીઠિકા ' છે તે આપણને
ગુણાઢ્ય વિષેનું કથાનક તા એમાં ન જ હાય;
C
‘ વસુદેવ-હિંડી ’ ની ‘ પીઠિકા ' માં શ્રીકૃષ્ણ વિષેની કથાના જે ભાગ છે તે પણ તેમાં ન હેાય. તેપાલી રૂપાન્તરમાં પીઠે ' નથી, જ્યારે કાશ્મીરી રૂપાન્તરામાં પીઠે ' ( · કથાપીઠ ′ ) છે, તે જોતાં સંભવિત છે કે નેપાલી રૂપાન્તરના વસ્તુમાં મૂળ પીઠે 'ના કેટલાક અંશને સમાવેશ થઇ ગયા હોય. કાશ્મીરી રૂપાન્તરમાં ઉયન, વાસવદત્તા અને પદ્માવતીની સપૂર્ણ કથાઓ છે, જ્યારે બુધસ્વામીમાં એ નથી. કેટલાક વિદ્યાનાએ માન્યું છે કે બુધસ્વામીના ગ્રન્થને પ્રારંભના ભાગ કદાચ ખંડિત હોય; બીજી બાજુ, ઉદયનની કથા મૂળ પ્રાચીન બૃહત્કથા 'તા એક ભાગ હોવા વિષે જ કેટલાક વિદ્વાનોએ શંકા ઊઠાવેલી છે (જીએ Winternitz: History of Indian Literature, Vol. III ). કંઇક સંકુલ એવી કથાઘટનાઓનું વિવરણ અહીં શકય નથી, પણ ‘ વસુદેવ–હિંડી ’ને આધારે હું ચાક્કસપણે એમ માનું છું કે પ્રાચીન બૃહત્કથા 'માં ઉદયનને લગતી કથા કથામુખ ' પૂર્વેના કથાપીઠે ' માં આવતી હતી. આ જ કારણસર બુધવાનીએ એ કથાએ જતી કરી છે. મૂળ પ્રાચીન · બૃહત્કથા ’ની વસ્તુ––આયેાજનાને પરિણામે ઉપસ્થિત થતી કેટલીક કાલાનુક્રમવિષયક મુશ્કેલીઓથી બચવા માટે કાશ્મીરી લેખકાએ મૂળના ‘કથાપીઠ' માં આવતા વસ્તુને જુદી રીતે વિનિયોગ કર્યો. મૂલ પ્રાચીન ‘ બૃહત્કથા ’ માં વસ્તુની આયેાજના નીચે પ્રમાણે હાવી જોઇએઃ (૧) કથાપી–ઉદ્દયન અને તેની રાણીઓની કથાઓ, ( ૨ ) કથામુખ–કથા કહેનાર તરીકે નરવાહનદત્તને પરિચય, ( ૭ ) નરવાહનદત્તે વર્ણવેલ ‘ લાંભા ’નો હારમાળા, ( ૪ ) ઉપસંહાર.
*
Jain Education International
(
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 544