________________
ર૪ કુમારની કથા
[ ૨૧૧ ] વીએ? આ વિશે ક્ષણભંગુર, પરિણામે નિસાર અલ્પસુખ આપીને, સજજનોને અસાધારણ પામસુખથી વંચિત કરે છે.
ત્યારપછી શ્રી મુનિસુવ્રતવામી પાસે ૫૦૦ પુરુષે સહિત દીક્ષા અંગીકાર કરીને યશ પ્રાપ્ત કરનાર યતિ થયા. કાલક્રમે તે સૂરિપણું તેમજ પવિત્ર જ્ઞાનભંડાર પામ્યા. ત્યાર પછી પ્રભુએ ૫૦૦ સાધુને પરિવાર તેને આપ્યો. એક સમયે પ્રભુની આજ્ઞા માગી કે, કુંભારકડ નામના નગરમાં નાની બહેન પુરંદરયાને પ્રતિબોધ કરવા માટે વિહાર કરીને જાઉં ?' ત્યારે પ્રભુએ કહ્યું કે, “ ત્યાં તને અને તારા પરિવારને માણાંતિક ઉપસર્ગ થવાનો છે.” ફરી પ્રણામ કરીને ભગવંતને પૂછે છે કે, “હે સ્વામી! અમે આરાધક કે વિાષક બનીશું ? અથવા તે બીજું શું થશે?” ત્યારે સ્વામીએ જણાવ્યું કે, “તને છોડીને બાકીના સાધુઓ આરાધક થશે.” “ભવિતવ્યતાને નાશ થતો નથી” એમ ધારીને વિચાર્યું કે, “મારી સહાયતાથી જે સાધુ સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય, તે તેથી શું ઓછું ગણાય?” એમ ધારીને તે આચાર્ય કુંભકારકૃત નગરમાં પહોંચ્યા.
જયારે સૂરિ વિહાર કરી માર્ગમાં આવતા હતા, ત્યારે પાપી પાલકને તે ખબર પડી. આગળ છંદકુમારે રાજસભામાં પરાભવ કરેલ, તેનું મરણ થવાના કારણે અતિશય કો૫ પામેલા તે પાલકે પ્રથમથી જ ઉતરવાના ઉધાનમાં ગુપ્તપણે ખોદાવીને કેટલાંક શો દટાવ્યાં. તે જ શ્રેષ્ઠ ઉદ્યાનમાં સૂરિ સુખપૂર્વક ઉતર્યા, તેમને વંદન કરવા માટે દંડકીરાજા નીકળે. તેમને પ્રણામ કરીને આગળ રાજા બેઠે, એટલે આચાર્ય અમૃતપ્રવાહ સરખી ધમકથા શરૂ કરી. ઘણા બુદ્ધિધન પુરુષ-પ્રાણીઓ તેમજ રાજા પ્રતિબોધ પામ્યા.
ત્યારપછી ગુરુના ગુણથી મહાઆનંદિત ચિત્તવાળે રાજા નગરની અંદર પહશે. હવે પાપી પાલકે એકાંતમાં રાજાના કાન ભંભેયી કે, “હે સ્વામીઆપની હિતબુદ્ધિથી આપને પરમાર્થની વાત કહેવી છે. આ આચાર્ય નક્કી હવે વ્રતથી ઉદ્વેગ પામીને અહિ આવેલા છે, તેમાં કારણ એ છે કે, “હે પ્રભુ ! આ પાખંડી અને અતિકપટી તમારું રાજ્ય પડાવી લેવા માટે, (૨૫) કપટથી સાધુના લેબાશમાં છે. આ પાંચસે સર્વે હા છે. જો તમે ત્યાં જશે, તે નિઃશંકપણે તે તમને શોથી મારી નાખશે. હે દેવી કદાચ આ વાતમાં આપને સંદેહ હોય, તો કોઈકને ત્યાં મોકલીને પૃથ્વીમાં દાટેલા હથિયારોને હું જાતે બતાવીશ.” તે પ્રમાણે કરીને રાજા પાસે તે હથિયાર પ્રગટ કરાવ્યાં.
ન ઘટવા લાયક બનેલી ઘટનાથી સજા મનમાં ચમકયો. “પાણીમાં સુકું પાંદડું ડૂબી જાય, શીલા તરે, અગ્નિ પણ બાળે, આ સંસારમાં એવું વિધાન નથી કે જે ન સંવે.” સારી વાત પરીક્ષા કર્યા વગર, ઘણે ભાગે પહેલનું પુણ્ય ઘટી ગયું હોવાથી તે પાલક મંત્રીને જ તેઓને શિક્ષા કરવા માટે આજ્ઞા આપી. (૩૦) આ પ્રમાણે પાપિષ્ટ દુચિત્તવાળો તે પ્રધાન રાજાની આજ્ઞા મેળવીને કાળzતની જેમ અતિવર્ષ
"Aho Shrutgyanam