________________
૪૪
ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ = પૈસા વગેરેનું સુખ માગ્યું છે.
પ્રિ-૩૪ જો ભગવાન્ પાસે પૈસા વગેરે ભૌતિક ચીજ માગવામાં આવે તો સંસારમાં રખડવાનું નહીં થાય ? કારણ કે દૂહામાં કહ્યું છે કે – સાંસારિક ફળ માગીને રખડ્યો બહુ સંસાર...
ઉ-૩૪ શ્રી જયવીયરાય” સૂત્રમાં ગણધરભગવંતોએ ઇઠફલસિદ્ધિ પદ મૂક્યું છે અને જ્ઞાની પુરુષોએ એનો અર્થ તરીકે ભૌતિક ચીજની માગણી જણાવી છે ત્યારે આ માગણી થી સંસારમાં ભટકવાનું થાય એ માની શકાય નહીં. વળી દુહા વગેરેમાં આવું, સાંસારિક ફળની માગણીથી સંસારભ્રમણ થવાનું જણાવ્યું છે. એટલે આ બે વચ્ચે સમન્વય સાધવાનો પ્રામાણિક પ્રયાસ કરવો જોઈએ, એ સમન્વય માટેનાં સમાધાનો આવાં હોઈ શકે -
જ અબાધ્યકક્ષાની ફળાપેક્ષાવાળી માગણી હોય તો સંસારભ્રમણ થાય ને બાધ્યકક્ષાની ફળાપેક્ષાવાળી હોય તો ન થાય. અથવા....
* જીવનનિર્વાહકર આવશ્યક ભૌતિક ચીજની માગણી હોય તો સંસારભ્રમણ ન વધે ને માત્ર લોભથી જ લાખો-કરોડો રૂપિયા વગેરેની માગણી હોય તો સંસારભ્રમણ વધે. - ભૌતિકચીજની પ્રાર્થના પણ પરમાત્મા પાસે જ કરવાની જ્ઞાનીઓએ જે આ અનુજ્ઞા આપી છે તે અંગે સ્પષ્ટતા થઈ જવી જરૂરી છે. જીવનનિર્વાહાદિની આવશ્યક જે ચીજ ન મળવાથી મન અસ્વસ્થ રહેતું હોય ને તેથી ધર્માનુષ્ઠાનમાં અંતરાયો ઊભા થતા હોય.... ને એ ચીજની પ્રાપ્તિ થઈ જવાથી મન સ્વસ્થ બનવાના કારણે ધર્માનુષ્ઠાન નિર્વિનયા થવા શક્ય બને. એવી ચીજ માગવાની વાત છે.
બહુ સુંદર પ્રભુભક્તિ થઈ. જો કરોડ રૂપિયા મળી જાય તો કોટ્યાધિપતિ બની જાઉ” આવી ઇચ્છા પેદા થઈ. તેથી કરોડ રૂપિયા પ્રભુ પાસે માગી લઉં.. આવી માગણી ઈઠફલસિદ્ધી” પદથી અનુજ્ઞાત નથી. કરોડ રૂપિયાની ઇચ્છા આવશ્યકતાને કારણે પેદા નથી થઈ. પણ લોભના કારણે પેદા થઈ છે. માટે એ માગી ન શકાય.
વળી, લોભ માટે તો એવું છે કે “જહા લાહો તહાં લોહો, લાહા લોહો પવઢઇ..” જેમ જેમ પ્રાપ્તિ થતી જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. એટલે કદાચ કરોડ રૂપિયા મળી જાય તો પછી દસ કરોડની ઇચ્છા જાગે છે ને તેથી મન વધુ અસ્વસ્થ બનવાથી નિર્વિતા ધર્મ આચરણની વાત તો દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org