________________
અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ છીએ' એવી હવા ફેલાવવા જ ને ?
(ઈ) વિ.સં. ૨૦૪૪ માં અમદાવાદમાં થયેલા મુનિસંમેલનમાં દેવદ્રવ્ય અંગે જે ઠરાવ થયો એમાં, કલ્પિત દેવદ્રવ્યમાંથી દેરાસરસંબંધી કેસર વગેરે સામગ્રી વગેરેના ખર્ચની અનુજ્ઞા આપી છે. આ દેરાસરસંબંધી ખર્ચની જ અનુજ્ઞા આપી હોવાથી એ દ્રવ્ય સાધારણખાતાનું બની ગયું એવું તો છે જ નહીં, એ સ્પષ્ટ છે, કારણ કે સાધારણખાતાનું દ્રવ્ય તો સાતે ક્ષેત્રોમાં વાપરી શકાય છે. છતાં, સામાપક્ષે, ‘સંમેલનવાળા દેવદ્રવ્યને સાધારણમાં લઈ ગયા' વગેરે પ્રચાર કેવો જેરશોરથી કરાયેલો એ પ્રસિદ્ધ છે.
(૩) સંમેલન બાદ સામા પક્ષે મોટા મોટા પોસ્ટરો છપાવી ગામેગામ મોકલીને વિરોધ કરેલો. એમાં કેટલીય બાબતો આવી હતી. જેમકે પૂ.પં. શ્રીજયસુંદર વિ.મ. નું દેવદ્રવ્ય વગેરે અંગે માર્ગદર્શન ‘દિવ્યદર્શન’ સામાહિકમાં સંમેલનપૂર્વે આવેલું, એમાં દેરાસર સિવાય હોસ્પીટલ વગેરેમાં ખર્ચી શકાય નહીં વગેરે જણાવ્યું છે. ‘દેરાસર અંગેના કાર્યોમાં પણ ન વપરાય' એવું- ક્યાંય જણાવ્યું નથી. છતાં, મોટા મોટા અક્ષરોમાં એ લખાણ છપાવી, ‘સંમેલન પૂર્વે શું કહેતા હતા ને હવે શું કહે છે ?' વગેરે પ્રશ્નો ઉઠાવી એવો આભાસ ઊભો કરવા સામો પક્ષ મળ્યો કે હવે સંમેલન બાદ આ લોકોએ પોતાની માન્યતાઓ ને નિરૂપણો બદલી નાંખ્યા છે. ખરેખર તો સંમેલનના નિર્ણયને બાધ પહોંચે કે તેની સાથે વિરોધ આવે એવું કશું એમાં હતું નહીં.
(ઊ) એક શાસ્ત્રની પંક્તિ છે કે
""
--
૬૧
""
‘જમ્સ મણે નવકારો, સંસારો તસ્સ કિં કુણઈ ?'' આનું ગુજરાતી રૂપાંતર આ પ્રમાણે પ્રસિદ્ધ છે કે “જેના હૈયે શ્રીનવકાર, તેને શું કરશે સંસાર...' આમાં, ‘“નવકારનું સામર્થ્ય, સંસારના સામર્થ્ય કરતાં ઘણું વધારે છે, ને તેથી શ્રીનવકારને હૈયે ધરનારને સંસાર કશું કરી શકતો નથી’’આવું જણાવવાનો શાસ્ત્રકાર મહર્ષિનો અભિપ્રાય સ્પષ્ટ છે.
Jain Education International
સામાપક્ષવાળાઓએ આ શાસ્રવચન સાથે પણ અડપલું કર્યું ને એને સાવ વિપરીત કરી નાખી આ રીતે છપાવ્યું કે “જેના હૈયે છે સંસાર, તેને શું કરશે નવકાર..’’ એટલે કે ‘‘નવકાર કરતાં સંસારનું સામર્થ્ય ઘણું વધારે છે'' વગેરે દ્વારા સંસારને વધારે સામર્થ્યવાન્ જણાવ્યો. શંકા તો એ પડે છે કે આ લોકો નવકારના સેવક છે કે સંસારના ? જેથી સંસારનો મહિમા નવકાર કરતાં વધુ ગાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org