Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 24
________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨-૩ તપ છે, દેવતાનું પ્રણિધાન=સર્વ ક્રિયાઓનું ફળનિરપેક્ષપણા વડે ઈશ્વરસમર્પણલક્ષણ ઈશ્વરપ્રણિધાન. આaઉપર્યુક્ત શૌચાદિ પાંચ પતંજલિ આદિ યોગાચાર્યો વડે નિયમો કહેવાયા છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૨/૩૨માં કહેવાયું છે – શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન નિયમો છે” - ‘તિ' શબ્દ પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રા ભાવાર્થ :નિયમોનું સ્વરૂપ : તારાદૃષ્ટિમાં રહેલા યોગીને પાંચ નિયમો પ્રગટ થાય છે. તે આ પ્રમાણે – (૧) શૌચ, (૨) સંતોષ, (૩) સ્વાધ્યાય, (૪) તપ અને (૫) દેવતાપ્રણિધાન. યમના પાલનમાં હિંસાદિ બાહ્ય આરંભોની નિવૃત્તિ હતી, જ્યારે નિયમોમાં તે હિંસાદિ આરંભોની નિવૃત્તિમાં અતિશયતા કરાવે તેવી પ્રવૃત્તિ છે. (૧) શૌચ :- શૌચ બે પ્રકારે છે : ૧. બાહ્યશૌચ અને ૨. અત્યંતરશૌચ. ૧. બાહ્યશૌચ :- યોગમાર્ગને અતિશય કરવા અર્થે માટી, પાણી આદિથી કાયાનું પ્રક્ષાલન કરીને શુદ્ધિ કરવામાં આવે તો તે બાહ્યશૌચ છે, જે કરીને યોગી અન્ય સ્વાધ્યાયાદિ અનુષ્ઠાનમાં દૃઢ યત્ન કરી શકે છે. આથી જ શ્રાવક દ્રવ્ય શૌચપૂર્વક ભવગર્ભક્તિ કરે છે. ૨. અત્યંતરશૌચ - મૈત્યાદિ ભાવનાઓથી આત્માને વાસિત કરવામાં આવે તે અત્યંતર શૌચ છે. શેષ નિયમો સ્પષ્ટાર્થવાળા છે. પરા અવતરણિકા - પૂર્વશ્લોકમાં શૌચાદિ પાંચ નિયમો બતાવ્યા. તેમાં દ્રવ્ય અને ભાવશૌચતું બાહ્ય અને અત્યંતરશોચનું સ્વરૂપ બતાવ્યું. હવે શૌચભાવના કરવાથી પણ શૌચનિયમ ગુણ પ્રગટે છે. તેથી શૌચભાવનાનું સ્વરૂપ બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120