Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 26
________________ તારાદિત્રયદ્વત્રિશિકા/બ્લોક-૩ ટીકાર્ચ - શીવ ... ત્તિ શોચની ભાવના વડે=આત્માને પવિત્ર કરવા માટે કરવામાં આવતી શોચભાવના વડે, સ્વાંગની જુગુપ્સા-કારણના સ્વરૂપના પર્યાલોચન દ્વારા અર્થાત્ શરીરની નિષ્પત્તિનું જે કારણ અશુચિમય પદાર્થો છે, તેના પર્યાલોચન દ્વારા સ્વીકાયાની ધૃણા થાય છે. તે જુગુપ્સાનું સ્વરૂપ બતાવે છે – આ કાયા અશુચિવાળી છે. અહીં અશુચિવાળી આ કાયામાં, આગ્રહ= મમત્વ, કરવું જોઈએ નહીં.” રૂતિ’ શબ્દ કાયાની જુગુપ્સાના સ્વરૂપકથનની સમાપ્તિ માટે છે. વળી શૌચભાવનાથી અન્ય કયું ફળ થાય છે ? તે બતાવે છે – અને તે રીતે કારણના સ્વરૂપના પર્યાલોચનને કારણે કાયા પ્રત્યે જુગુપ્સા કરી તે રીતે, અવ્ય કાયાવાળા સાથે અસંગમ તેના સંપર્કનું પરિવર્જન, થાય છે. તેમાં યુક્તિ બતાવે છે – તે તે અવધના દર્શનથી કાયાના તે તે દોષોના દર્શનથી, ખરેખર ! પોતાની જ કાયાની જે જુગુપ્સા કરે છે, તે તેવા પ્રકારની પરકીય કાયા સાથે કેવી રીતે સંસર્ગને અનુભવે ? તે કહેવાયું છે=શૌચભાવનાથી શું થાય છે ? તે પાતંજલ યોગસૂત્ર ૨-૪૦માં કહેવાયું છે – શૌચથી સ્વઅંગમાં=પોતાની કાયામાં, જુગુપ્સા અને પરકાયા સાથે અસંસર્ગ થાય છે.” શૌચભાવનાથી અન્ય શું પ્રગટ થાય છે ? તે બતાવે છે – અને પ્રકાશસુખાત્મક સુસત્ત્વની શુદ્ધિ થાય છે=રજસ્ અને તમસ દ્વારા અર્થાત્ રાગદ્વેષ દ્વારા અભિભવ થાય છે. સૌમનસ્યઃખેદના અનુભવને કારણે અર્થાત્ શરીરની આળપંપાળકૃત શ્રમના અનુભવના કારણે માનસિક પ્રીતિ, એકાગ્ય=લિયત વિષયમાં ચિત્તનું સ્વૈર્ય, અક્ષોનો=ઈન્દ્રિયોનો, જય= વિષયોથી પરાક્ષુખ એવી ઇન્દ્રિયોનું સ્વઆત્મામાં અવસ્થાન અર્થાત્ ઇન્દ્રિયોનું પદાર્થના પરિચ્છેદનરૂપ પોતાના સ્વરૂપમાં અવસ્થાન, અને યોગ્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120