Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 116
________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૩૨ અયોગ્ય જીવોમાં આગમવચનથી અવેધસંવેદ્યપદ જીતવા માટેના વ્યાપારની અસિદ્ધિ છે. ‘કૃતિ’ શબ્દ શ્લોકના કથનની સમાપ્તિમાં છે. 113211 * ‘અનુવાપરોડપ્યાનમ’ અહીં ‘પિ’ શબ્દ ‘વાર’ અર્થમાં છે. ભાવાર્થ: શ્લોક-૨૬ થી ૩૧ સુધી વર્ણન કર્યું એ પ્રમાણે અવેઘસંવેદ્યપદ દારુણ વિપાકવાળું છે. તેથી ગ્રંથકારશ્રી મોક્ષસુખને ઇચ્છનારા એવા પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને ઉદ્દેશીને કહે છે કે સત્પુરુષોનો વિશિષ્ટ સંગ કરીને અને આગમનો વિશિષ્ટ સંબંધ કરીને, દુર્ગતિને આપનારા અવેઘસંવેદ્યપદને જીતવું જોઈએ; કેમ કે આ સંસારમાં યોગમાર્ગમાં પ્રવૃત્ત એવા પણ પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને માટે, આ અવેઘસંવેદ્યપદ દુરંત સંસા૨નું કારણ છે. માટે મોક્ષના અર્થીએ મોક્ષમાર્ગમાં વિઘ્નભૂત એવા અવેઘસંવેદ્યપદને જીતવા માટે સત્પુરુષોનો સમાગમ કરવો જોઈએ; અને તે સમાગમ પણ માત્ર તેમના સાંનિધ્યથી સફળ થતો નથી, પરંતુ તેમના વચનના પરમાર્થને સમજીને તત્ત્વાતત્ત્વના નિર્ણય માટે ઉચિત યત્ન કરવાથી તેઓનો સંબંધ સફળ થાય છે; અને સત્શાસ્ત્રોનું પણ માત્ર વાંચન કરવાથી કે સાંભળવાથી સત્શાસ્ત્રો અવેઘસંવેદ્યપદને જીતવાનું કારણ બનતાં નથી, પરંતુ પરમ મધ્યસ્થતાને ધારણ કરીને, અનુભવને અનુરૂપ શાસ્ત્રવચનને જોડવા માટે યત્ન કરવામાં આવે, તો શાસ્ત્રોમાં બતાવાયેલ પારમાર્થિક તત્ત્વની પ્રાપ્તિ થાય છે, જેથી અવેધસંવેદ્યપદ નિવર્તન પામે છે. ૯૭ ગ્રંથકારશ્રી આ પ્રકારનો ઉપદેશ આપે છે, ત્યાં પ્રશ્ન થાય કે અવેઘસંવેદ્યપદ તો તત્ત્વના વિપરીત બોધરૂપ છે. તેથી સર્વ જીવોને માટે અહિતકારી છે. તેથી “સર્વ જીવોએ જીતવું જોઈએ”, એમ ગ્રંથકારે કહેવું જોઈએ. તેના બદલે “પરમાનંદને ઇચ્છતા જીવોએ જીતવું જોઈએ”, એમ કહીને યોગની પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોને ઉદ્દેશીને અવેઘસંવેદ્યપદને જીતવાનું કેમ કહ્યું ? તેથી કહે છે. “આ જ ભૂમિકામાં અવેઘસંવેદ્યપદ જીતી શકાય છે, અન્યદા જીતી શકાતું નથી.” આથી ગ્રંથકારશ્રી યોગની પ્રથમ ચાર દૃષ્ટિવાળા જીવોને અવેઘસંવેદ્યપદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120