Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 50
________________ તારાદિત્રયદ્રાસિંચિકા/શ્લોક-૧૧-૧૨ ૩૧ આશય એ છે કે અસત્ તૃષ્ણાનો ત્યાગ કરી વરારહિત થઈ આકાશના અનંતપણાને અને કાળના અનંતપણાને સામે રાખે, અને મનને લક્ષ્ય સાથે તે રીતે જોડે કે જેથી દુઃખના હેતુ એવા દેહ પ્રત્યે અહંકારનો અભાવ થાય, તો તેના કારણે ચિત્ત નિર્મમભાવવાળું બને, જેથી સ્થિરસુખાસન નિષ્પન્ન થાય. તાત્પર્ય એ છે કે મોટા ભાગના જીવોને દેહમાં અહંપણાની બુદ્ધિ હોય છે, તેથી સ્થિરતાથી યોગમાર્ગની પ્રવૃત્તિ થતી નથી, પરંતુ દેહની શાતામાં ને દેહની અશાતાના નિવર્તનમાં જ યત્ન થાય છે. જ્યારે ત્રીજી દૃષ્ટિમાં રહેલા યોગી અનંત આકાશ અને અનંત કાળને સામે રાખીને વિચારે કે “આ વિશાળ આકાશમાં આપણે સર્વત્ર રહેનારા છીએ અને સર્વ કાળમાં અસ્તિત્વ ધરાવનારા છીએ', આ પ્રકારે અત્યંત ભાવન કરે તો કિંચિત્કાળસ્થાયી અને કિંચિત્ આકાશમાં રહેનારા એવા દેહમાં અહંકારનો અભાવ થાય છે. આ રીતે અસત્ તૃષ્ણાનો અભાવ ત્વરાનો અભાવ અને અંગવિષયક યત્નની શિથિલતાપૂર્વક આસનમાં બેસીને યોગી આમંત્યમાં ચિત્તની સમાપત્તિ કરે તો દેહના અહંકાર વગરના થઈને યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિ કરવા સમર્થ બને છે. II૧૧ાા અવતરણિકા - બલાદષ્ટિમાં સ્થિર અને સુખકારક આસન પ્રગટ થાય છે. તે શેનાથી પ્રગટ થાય છે, તે પૂર્વશ્લોકમાં બતાવ્યું. હવે સ્થિર અને સુખકારક આસન પ્રગટ થયા પછી તેનાથી શું કાર્ય થાય છે ? તે બતાવે છે – શ્લોક : अतोऽन्तरायविजयो द्वन्द्वानभिहतिस्तथा: (ति: परा) । दृष्टदोषपरित्यागः प्रणिधानपुरःसरः ।।१२।। અન્વયાર્થ - અતિ =આનાથી યથોક્ત આસનથી સંતરાવિનયો=અંતરાયનો વિજય= પર આત્યંતિકી નિમિતિ: શીતોષ્ણાદિ દ્વોથી અભિહતિ=દુઃખની અપ્રાપ્તિ, થાનપુર:સર=પ્રણિધાનપુર:સરખોપરિત્યાર=દષ્ટ દોષોનો પરિત્યાગ. I૧૨ા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120