Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 87
________________ તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૩-૨૪ આનાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં તત્ત્વને જાણવા માટેનો તીવ્ર પક્ષપાત વર્તતો હોય, અને તત્ત્વાતત્ત્વના વિભાગમાં પરમ મધ્યસ્થભાવ વર્તતો હોય, અને તત્ત્વને બતાવનારા આપ્ત પુરુષના વચનના બળથી તત્ત્વનિર્ણય માટે યત્ન વર્તતો હોય, તો અનંતધર્માત્મક વસ્તુનો બોધ થાય છે, અને ત્યારે કર્મરૂપી ગ્રંથિનો ભેદ થાય છે. ગ્રંથિભેદથી થયેલા વેદ્યસંવેદ્યપદવાળા બોધમાં સૂક્ષ્મપણું છે અને આવું સૂક્ષ્મપણું દીપ્રાદ્યષ્ટિમાં નથી. દીપ્રાદ્યષ્ટિમાં આવું સૂક્ષ્મપણું કેમ નથી ? તે ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં બતાવે છે. I॥૨૩॥ અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે દીપ્રાદૅષ્ટિમાં સૂક્ષ્મબોધ નથી. તેથી અર્થથી પ્રથમની ચારે દૃષ્ટિઓમાં સૂક્ષ્મબોધ નથી એમ પ્રાપ્ત થયું. તેથી પ્રથમની ચારે દૃષ્ટિઓમાં બોધમાં સૂક્ષ્મપણું કેમ નથી ? તેમાં હેતુ બતાવવા અર્થે કહે છે - શ્લોક ઃ ૬૮ अवेद्यसंवेद्यपदं चतसृष्वासु दृष्टिषु । पक्षिच्छायाजलचरप्रवृत्त्याभं यदुल्बणम् ।।२४। અન્વયાર્થ: ય ચસ્મા=જે કારણથી આસુ ચતમૃત્યુ સૃષ્ટિg=આ ચાર દૃષ્ટિઓમાં= મિત્રાદિ ચાર દૃષ્ટિઓમાં પક્ષિઘ્ધાવાન પ્રવૃત્ત્વામં=પક્ષીની છાયામાં જલચરતી પ્રવૃત્તિની આભાવાળું=પક્ષીની છાયામાં ‘આ જલચર છે’ તેવી પ્રવૃત્તિના જેવી વેદ્યસંવેદ્યપદની આભા છે જેમાં એવું, નવામ્=અધિક ગવેદ્યસંવેદ્યપવું= અવેધસંવેદ્યપદ છે. ।।૨૪।। શ્લોકાર્થ : જે કારણથી આ મિત્રાદિ ચાર દષ્ટિઓમાં પક્ષીની છાયામાં ‘આ જલચર છે' તેવી પ્રવૃત્તિના જેવી વેધસંવેધપદની આભા છે જેમાં એવું અધિક અવેધસંવેધ પદ છે. IIર૪રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120