Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 105
________________ તારાદિત્રયાત્રિશિકા/શ્લોક-૨૮ ક પ્રવૃત્તિરપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે અવેદ્યસંવેદ્યપદમાં બોધ તો અપાયશક્તિવાળો છે, પરંતુ પ્રવૃત્તિ પણ અપાયશક્તિને ઉત્પન્ન કરાવનાર એવી મોહવાસનાને ઉત્પન્ન કરે છે. ટીકા - प्रवृत्तिरपीति-तत्रेति प्राक्तनमत्रानुषज्यते, तत्र मोहगर्भतो वैराग्यात् योगस्य प्रवृत्तिरपि सद्गुरुपारतन्त्र्याभावेऽपायजननीमुत्तरां मोहवासनां प्रसूते, मोहमूलानुष्ठानस्य मोहवासनाऽवन्ध्यबीजत्वात्, अतोऽत्र योगप्रवृत्तिरप्यकिञ्चित्करीति માવઃ ૨૮ાા ટીકાર્ય : તન્નતિ . માવ: | ‘તત્ર' શબ્દની પૂર્વશ્લોક-૨૭માંથી અહીં અનુવૃત્તિ છે. ત્યાં અવેધસંવેદ્યપદમાં, મોહગર્ભવાળા વૈરાગ્યથી યોગની પ્રવૃત્તિ પણ સદ્ગુરુના પાતંત્ર્યનો અભાવ હોતે છતે ઉત્તરમાં અપાયને ઉત્પન્ન કરાવનાર એવી મોહવાસનાને ઉત્પન્ન કરે છે; કેમ કે મોહમૂલવાળા અનુષ્ઠાનનું મોત છે મૂળમાં જેને એવા યોગના અનુષ્ઠાનનું, મોહવાસનાનું અવંધ્યબીજાણું છે. આથી=મોહમૂલક અનુષ્ઠાન મોહવાસનાનું અવંધ્ય બીજ છે આથી, અહીં=અવેવસંવેદ્યપદમાં પ્રથમની ચાર દષ્ટિવર્તી જીવોમાં વર્તતા અવેદ્યસંવેદ્યપદમાં, યોગની પ્રવૃત્તિ પણ અકિંચિત્કર છે, એ પ્રકારનો ભાવ છે. ૨૮. ભાવાર્થચાર દષ્ટિ સુધી અવેધસંવેધપદ હોવાને કારણે વૈરાગ્ય પણ મોહથી ગર્ભિત: યોગની પ્રથમ ચાર દૃષ્ટિ સુધી જીવમાં અવેદ્યસંવેદ્યપદ છે અને આ અવેદ્યસંવેદ્યપદ વર્તતું હોય તેવા સમયે આ દૃષ્ટિમાં સ્વદર્શનનો ઇષદ્ રાગ હોય છે, જે મોહનો પરિણામ છે. તેથી ભવના સ્વરૂપનું ચિંતવન કરીને ભવથી વિરક્ત થયેલા પ્રથમની ચાર દૃષ્ટિવાળા યોગીઓમાં જે વૈરાગ્ય છે, તે પણ મોહગર્ભ છે, પરંતુ જ્ઞાનગર્ભ નથી; અને આ મોહગર્ભ વૈરાગ્યવાળા જીવોને સદ્ગુરુનું પારતંત્ર ન મળે તો પોતાના મોહના પરિણામને અવસ્થિત રાખીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120