Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 101
________________ ૮૨ તારાદિત્રયદ્રાસિંશિકા/શ્લોક-૨૬-૨૭ માલિન્યવાળી નથી; આમ છતાં, ક્ષાયોપથમિક સમ્યકત્વથી પાત થાય તો ફરી અપાયશક્તિનું માલિચ આવી શકે છે. તેથી નિશ્ચયનય ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનવાળા જીવોમાં વેદ્યસંવેદ્યપદ સ્વીકારતો નથી. જે જીવોને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, તેઓ પ્રાયઃ પાપપ્રવૃત્તિ કરે નહીં, અને ક્વચિત્ પાપપ્રવૃત્તિ કરતા હોય તો સકંપ પણ હોય અને ચરમ પણ હોય. તેથી નૈશ્ચયિક સમ્યગ્દર્શનવાળા જીવોમાં નરકાદિ અપાયશક્તિનું માલિન્ય સર્વથા ગયેલું જ છે, પરંતુ ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનવાળા જીવોની જેમ ફરીથી પ્રાપ્ત થાય તેવું નથી. સારાંશ :(૧) દષ્ટિ બહારના જીવોમાં અપાયશક્તિનું માલિન્ય છે. (૨) પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોમાં અપાયશક્તિનું માલિન્ય ઓછું છે, તોપણ સર્વથા ગયું નથી. . (૩) લાયોપથમિક સમ્યગ્દર્શનવાળા જીવોમાં=વ્યાવહારિક વેદ્યસંવેદ્યપદવાળા જીવોમાં, ક્ષયોપશમ ભાવના સમ્યક્ત કાળમાં અપાયશક્તિનું માલિન્ય નહીં હોવા છતાં ફરી પ્રાપ્તિની યોગ્યતારૂપે અપાયશક્તિનું માલિન્ય વિદ્યમાન છે. (૪) ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોમાં=નૈશ્ચયિક વેધસંવેદ્યપદવાળા જીવોમાં, સર્વથા અપાયશક્તિનું માલિન્ય નથી. IIરા. અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે વેદસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધના વિઘાત કરનારું અપાયશક્તિનું માલિત્ય નથી. તેથી એ પ્રાપ્ત થયું કે દીપ્રાદષ્ટિમાં અપાયશક્તિનું માલિવ્ય હોવાને કારણે સૂક્ષ્મબોધ નથી. હવે દીપ્રાદષ્ટિના બોધમાં સૂક્ષ્મબોધ નથી, તેને સ્પષ્ટ કરવા માટે અવેધસંવેદ્યપદમાં અપાયશક્તિનું માલિચ કેમ છે ? તે બતાવે છે – શ્લોક - तच्छक्तिः स्थूलबोधस्य बीजमन्यत्र चाक्षतम् । तत्र यत्पुण्यबन्धोऽपि हन्तापायोत्तरः स्मृतः ।।२७।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120