Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 75
________________ ૫૬ ભાવાર્થ : તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯ ભાવપ્રાણાયામના પ્રકાર ઃ (૧) બાહ્યભાવોના રેચનરૂપ પ્રાણાયામ :- ચોથી દૃષ્ટિમાં તત્ત્વનો નિર્ણય ક૨વાને અભિમુખ શ્રવણગુણ પ્રગટ્યો છે, શક્તિ અનુસાર તત્ત્વશ્રવણમાં યત્ન કરે છે, અને તેનાથી જે કંઈ બોધ થાય છે, તેને અનુરૂપ પોતાનામાં વર્તતા બાહ્ય ભાવોનો નિર્ણય કરીને રેચન કરે છે અર્થાત્ તે બાહ્ય ભાવોને કાઢવા માટે યત્ન કરે છે. જેમ પોતાને જે જે નિમિત્તોથી જ્યાં જ્યાં મમત્વ થતું હોય તેને સમ્યગ્ રીતે જાણીને, તે તે દુષ્કૃત પ્રત્યે વિમુખભાવ ઉત્પન્ન થાય તે રીતે દુષ્કૃતની નિંદા કરે તો પોતાનામાં વર્તતા બાહ્ય ભાવો ક્રમસ૨ ઓછા થાય છે, જે બાહ્ય ભાવોના રેચનરૂપ પ્રાણાયામ છે. (૨) અંતર્ભાવોના પૂરણરૂપ પ્રાણાયામ :- તત્ત્વશ્રવણને કારણે જે કંઈ વિવેક ઉત્પન્ન થાય તે વિવેકરૂપ અંતર્ભાવનું આત્મામાં સ્થાપન તે પૂરણ છે. જેમ મુનિના માનસનું સ્વરૂપ શાસ્ત્રવચનથી જાણે, અને ‘આવું મુનિનું સ્વરૂપ જ મારે પ્રાપ્ત કરવું છે’ તે પ્રકારે પુનઃ પુનઃ ચિંતવન કરે તે આત્મામાં અંતર્ભાવોના પૂરણરૂપ પ્રાણાયામ છે. (૩) નિીત અર્થના કુંભનરૂપ પ્રાણાયામ :- અંતર્ભાવોનું પૂરણ કર્યા પછી તે ભાવોને સ્થિર ક૨વા માટેનો યત્ન તે કુંભન છે. જેમ મુનિભાવનું પારમાર્થિક સ્વરૂપ જાણીને પુનઃ પુનઃ ચિંતવન કરીને આત્મામાં તે ભાવોને બોધરૂપે પ્રવેશ કરાવ્યા પછી આત્મામાં તે મુનિભાવને પ્રગટ કરવા માટે જે યત્ન કરવામાં આવે છે, તે નિર્ણીત અર્થના કુંભનરૂપ પ્રાણાયામ છે, અને તેનાથી પોતાનામાં મુનિભાવ સ્થિર થાય છે. આ ત્રણ પ્રકારનો ભાવપ્રાણાયામ છે અર્થાત્ બાહ્ય ભાવોને કાઢવાના પરિણામરૂપ અને અંતર્ભાવોને પૂરવાના પરિણામરૂપ અને અંદરમાં પૂરાયેલા ભાવોને તે રીતે આત્મામાં સ્થિર કરવાના યત્નરૂપ ત્રણ પ્રકારનો ભાવપ્રાણાયામ છે, અને આ ભાવપ્રાણાયામ અવ્યભિચારી યોગાંગ છે–ચિત્તનિરોધરૂપ યોગનું અંગ છે. ૧૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120