Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 30
________________ ૧૧ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૪ ટીકાર્ય : સન્તોષાત્ વત્તેશતનુવરાર્થક્વેતિ” [૨-૨] સુઅભ્યસ્ત એવા સંતોષથી યોગીઓને ઉત્તમ=અતિશયિત, સુખ થાય છે. બાહ્ય ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલું સુખ શતાંશથી પણ જેની સમાન નથી=સંતોષથી થયેલા સુખની સમાન નથી. તે કહે છેઃસંતોષથી થતા સુખને પાતંજલ યોગસૂત્ર-૨-૪૨માં કહે છે – “સંતોષથી અનુત્તમ સુખની પ્રાપ્તિ થાય છે.” સુઅભ્યસ્ત એવા સ્વાધ્યાયથી ઈષ્ટનું દર્શન જપ કરાતા મંત્રથી અભિપ્રેત એવા દેવતાનું દર્શન, થાય છે. તે કહે છેઃસ્વાધ્યાયથી થતાં ફળને પાતંજલ યોગસૂત્ર-૨-૪૪માં કહે છે – “સ્વાધ્યાયથી ઈષ્ટદેવતાનો સંપ્રયોગ થાય છે.” સુઅભ્યસ્ત એવા તપથી ફ્લેશારિરૂપ અશુચિતા ક્ષય દ્વારા અંગ અને અક્ષની=કાયા અને ઈન્દ્રિયોની સિદ્ધિ થાય છે. તે સિદ્ધિ બતાવે છે – ઈચ્છા પ્રમાણે કાયાને અણુપણાની, મહત્પણા આદિની પ્રાપ્તિ=પ્રાપ્તિ લક્ષણ ઉત્કર્ષ, થાય છે; અને ઇન્દ્રિયોમાં સૂક્ષ્મ સૂક્ષ્મ પદાર્થોના, વ્યવહિત= કોઈનું વચ્ચે વ્યવધાન હોય તેવા પદાર્થોના, વિપ્રકૃષ્ટ=અતિ દૂર રહેલા પદાર્થોના દર્શનના સામર્થરૂપ ઉત્કર્ષ થાય છે. જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે તપનું ફળ પાતંજલ યોગસૂત્ર૨-૪૩માં કહેવાયું છે – “તપથી અશુચિના ક્ષયના કારણે કાયા અને ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે." પ્રણિધાનથી=ઈશ્વરપ્રણિધાનથી સમાધિ થાય છે. ઈશ્વરના પ્રણિધાનથી સમાધિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરે છે – ઈશ્વરની ભક્તિ વડે પ્રસન્ન થયેલા ઈશ્વર, ખરેખર ! અંતરાયરૂપ ફ્લેશોને દૂર કરીને સમાધિનો ઉદ્બોધ કરે છે. તિ' શબ્દ સમાધિના સ્વરૂપ કથનની સમાપ્તિમાં છે. જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે દેવતાપ્રણિધાનનું ફળ પાતંજલ યોગસૂત્ર૨-૪૫માં કહેવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120