________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧) યોગ-એ આસ્રવો છે ને કર્મબંધનું કારણ છે. પ્રત્યેકના ભેદ-પ્રભેદ તથા સ્વરૂપ જિનાગમમાં કહેલ છે. ભાવ તેમ જ દ્રવ્ય કર્મન્સવને કારણે જ જીવ સંસાર-અટવીમાં પરિભ્રમણ કરે છે. શુભાશુભ આસવને લીધે જીવ સંસારસાગરમાં ડૂબી જાય છે, માટે આસ્રવરૂપ કિયા મોક્ષનું કારણ નથી; જે શુભાસૂવરૂપ ક્રિયા જ્ઞાનીને હેયબુદ્ધિએ હોય છે તે પરંપરાએ મોક્ષનું કારણ વ્યવહારે કહેવાય છે. અશુભાસૂવરૂપ ક્રિયા તો મોક્ષનું કારણ છે જ નહિ, પરંતુ શુભાસવરૂપ ક્રિયા પણ મોક્ષનું કારણ નથી. આસ્રવરૂપ ક્રિયા દ્વારા નિર્વાણ થતું નથી. આસ્રવ સંસારગમનનું જ કારણ છે, માટે નિંદનીય છે. નિશ્ચયનયે જીવને કોઈપણ આસ્રવ નથી. તેથી આત્માને સદૈવ શુભાશુભ બંને પ્રકારના આસ્રવોથી રહિત ભાવવો જોઈએ.
સંવર-અનુપ્રેક્ષા : ચલ, મલિન અને અગાઢ દોષ ટળતાં નિર્મળ સમ્યકત્વરૂપી દઢ કમાડ દ્વારા મિથ્યાત્વરૂપી આસ્રવ બંધ થઈ જાય છે; પંચમહાવ્રતયુક્ત શુદ્ધ પરિણતિથી અવિરતિરૂપ આસ્રવનો નિયમથી નિરોધ થાય છે; અકષાયરૂપ શુદ્ધ પરિણતિથી કષાયરૂપ આગ્નવોનો અભાવ થાય છે અને અંતરંગ શુદ્ધિ સહિત શુભયોગની પ્રવૃત્તિ અશુભયોગનો સંવર કરે છે તથા શુદ્ધોપયોગ દ્વારા શુભયોગનો નિરોધ થઈ જાય છે; શુદ્ધોપયોગથી જીવને ધર્મેધ્યાન અને શુકલધ્યાન થાય છે, તેથી ધ્યાન સંવરનું કારણ છે.-એમ નિરંતર સંવરના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. પરમ નિશ્ચયનયે જીવને સંવર નથી, કેમ કે તે તો દ્રવ્યસ્વભાવે સદાશુદ્ધ છે. તેથી દ્રવ્યદૃષ્ટિએ આત્માને સદા સંવરભાવથી રહિત સદા પરિપૂર્ણ શુદ્ધ વિચારવો જોઈએ.
નિર્જરા-અનુપ્રેક્ષા : પૂર્વે બાંધેલાં કર્મોનું એકદેશ ખરી જવું તે નિર્જરા છે. જે કારણો સંવરનાં છે તે જ નિર્જરાનાં છે. નિર્જરાના બે ભેદ છે : (૧) સવિપાક અને (૨) અવિપાક. સવિપાક નિર્જરા, અર્થાત્ ઉદયકાળ આવતાં સ્વયં પાકીને કર્મો ખરી જાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com