Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04 Author(s): Rajendra I Nanavati Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજેન્દ્ર નાણાવટી ઔચિત્ય.૧૭ પહેલા પ્રકારમાં ક્ષેમેન્દ્રને આ ઔચિત્યવિચાર ૧૪ આવી ગયું છે, જ્યારે બીજો પ્રકાર એક બાજુ આનંદવર્ધને વર્ણવેલા કવિઓઢોક્તિ કે કવરચિત પાત્રપ્રૌઢક્તિના ઔચિત્ય સાથે સંકળાય છે તો એને બીજો છેડો છેક આપણું કાળના કથાનકના Viewpoint ના વિચાર સુધી લંબાય છે. ક્ષેમેન્દ્ર ઔચિત્ય-સિદ્ધાંત સ્થાપવા પ્રયત્ન કર્યો અને તે સફળ ન થયો તેનાં કારણે વિચારતાં એવું લાગે છે કે ઔચિત્યને સંપ્રત્યય સાપેક્ષ છે, “શેને ઉચિત” એમ પૂછવું પડે એમાં જેને ઉચિત તેનું પ્રાધાન્ય આપોઆપ સ્થપાઈ જાય છે એટલે ઔચિત્ય કાવ્યને આત્મા નથી બની શકતું. બીજી બાજુ ચિત્ય અને સંવાદિતાના સંપ્રત્યયે લગભગ સરખા જણાતા હોવા છતાં ઔચિત્ય કેવળ એકમાર્ગી કેન્દ્રનિર્દેશી સિદ્ધાંત છે, જ્યારે સંવાદિતાને સંપ્રત્યય ઉભયમાર્ગી છે, એ પોતાના અર્થવ્યાપમાં કેન્દ્રને પણ સમાવી લેત અને કેન્દ્ર તથા અંગેના પરસ્પર સંબંધને વ્યાપક રીતે સમગ્રપણે નિર્દેશ કરતે સંપ્રત્યય છે એ ભેદ પણ ઘણો મહત્ત્વ છે. સંવાદિતાનું એક બીજું પાસું અવિરોધનું અથવા વિરાધત્યાગનું છે એમ પણ સંકુન કાવ્યશાસ્ત્રીઓએ બતાવ્યું છે. જેમ શ્રતિક ટુ પદયાજના એ દેવ છે છતાં રોદ્ર-બીભત્સ-ભયાનક જેવા રસોના આલેખનમાં એ દોષરૂપ મટીને, ગુણરૂપ બને છે, તેથી એ હંમેશા દેષરૂપ જ નથી, અનિત્ય દોષ છે.૧૫ તેવી જ રીતે કેટલાક સંજોગોમાં વિરોધી રસે પશુ વિરોધ ત્યજીને પરસ્પર સંવાદિતાપૂર્વક સહાવસ્થિતિ કરે છે, સાથે રહે છે. એનું બહુ જાણીતું ઉદાહરણ આ અપાય છે : क्षिप्तो हस्तावलग्नः प्रसभमभिहतोऽप्याददानींऽशुकान्तं गहन केशेष्वपास्तः चरणनिपतितो नेक्षितः संभ्रमेण । आलिङ्गन् योऽवधूतस्त्रिपुरयुबतिभिः साश्रुनेत्रोत्पलाभिः कामीवापिराधः स बहतु दुरितं शाम्भवो व: शराग्निः ॥ તરતના જ અપરાધી કામી જેવા જેને આંસુ ભરેલી ત્રિપુરની યુવતીઓએ હાથે વળગે તે ઝાટકી નાખે, વસ્ત્રને છેડે પકડવા ગયો તે જોરથી હડસેલી મૂક, કેશ ઝાલવા ગયે તે ઝાટકી નાખે, પગમાં પડે તે સંભ્રમને કારણે જો નહી, આલિંગવા ગયો તે ખંખેરી નાખે તે શંભુનાં બાણેને અગ્નિ તમારાં દુરિતને બાળી નાખા ". અહીં ખરેખર તે અગ્નિની જ્વાળાઓ અને ત્રિપુરની યુવતિઓની ચેષ્ટાઓમાં ભયાનક રસ છે, છતાં તેનું આલેખન શૃંગારરસના વિભાવાદિની મદદથી કર્યું છે. ભયાનક અને શૃંગાર વિરોધી રસો છે, છતાં એ બંને અહી શિવની ભક્તિના સાધનરૂપે પ્રયોજાયા હેવાથી અપ્રધાન ૧૩ એજન, ૧૫૪ યત્ર ગમતુ: વાળું શમતિનાશિના आच्छाद्यते स्वभावेन तदप्यौचित्यमुच्यते ॥ ૧૪ જુઓ એનું બૌવિજાવ. ૧૫ ગ્રોઃ ૨. ૧૧, For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 138