Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 348
________________ ३४२ આનંદ મંદિર, મદના બેલી–માતા મને ચેન પડતું નથી, તેથી હું જમવા આવીશ નહીં. રત્નગા બેલી–બેટા ! શા માટે અફસોસ કરે છે ? તારાથી હું વધારે દુ:ખી છું. વિદ્યા સાધવાને ગયેલા મારા પતિને કોઈએ મૃત્યુ પમાડ્યા છે, તેથી કરીને મારે સ્થાન ભ્રષ્ટ થવું પડ્યું છે. હું જાણું છું કે, તું પણ તેવીજ રીતે દુખી છું, તારા દુઃખને છેડે થેડાજ દિવસમાં આવશે. તે વિશેની ચિંતા કરીશ નહીં. ચાલ બેઠી થા, ભોજન કરી લે. તું ભજન કરીશ નહીં, તે બીજા કોઈ ભોજન કરશે નહીં. તારે બીજાને અંતરાય કરે ન જોઈએ. આવાં તેનાં વચન સાંભળી અદશ્ય રહેલા શ્રીચ કે વિચાર્યું કે, જંગલમાં વિદ્યા સાધતાં જે વિદ્યાધરને મેં મારી નાખે, તેજ વિદ્યાધરની આ સ્ત્રી લાગે છે. તેણીની મદનાની ઉપર પ્રીતિ છે, અને તેને લઈને મારી ઉપર પણ પ્રીતિ લાગે છે. તેથી આ સ્થળે પ્રગટ થવામાં કાંઈ હરકત નથી. પછી શ્રીચંદ્ર અદશ્યરૂપે બહાર ગયે, પછી પિતાનું રૂપ પ્રગટ કરી, તે મહેલના દ્વાર આગળ આવ્યો. પોતાના નામની મુદ્રા આપી, દ્વારપાળને અંદર મોકલ્યા. દ્વારપાળે તે મુદ્રિકા સુવેગાને આપી. તે જોતાંજ સુવેગા સામી આવી, અને પ્રેમથી પૂર્ણ થઈ શ્રી ચંદ્રને મેહેલ ઉપર લઈ ગઈ. મદનાએ પણ પિતાના પતિને ઓળખી લીધે. તેણીના હદયમાંથી પ્રેમામૃતની ધારાઓ છુટવા લાગી. મદનાએ પિતાની સખીઓને શ્રીચંદ્ર ઓળખાવ્યો. આ વધામણી રત્નગાની પાસે આવી, એટલે તે ઘણી ખુશી થઈ. સર્વ સુંદરીઓમાં રહેલે શ્રીચંદ્ર તારાઓમાં જેમ ચંદ્ર શોભે તેમ શોભવા લાગે. રત્નગાની સંમતિથી મદનાની બીજી સખીઓએ શ્રીચંદ્રના કંઠમાં વરમાળા આરોપણ કરી. શ્રીચકે તેઓને પ્રેમદષ્ટિથી અવલોકન કરી તેમને સ્વીકાર કર્યો. સર્વનાં હદય આનંદમય થઈ ગયાં. સુંદરીઓના સંપાદનથી સંતુષ્ટ થયેલા શ્રીચંદ્ર સુંદર સ્વરથી જણાવ્યું–માતા ! તમારો આભાર માનું છું. મને જાણવાની ઇચ્છા થાય છે કે, તમે અહીં આવા સ્થળમાં ક્યાંથી આવી ચડયાં ? આવા ભૂમિગૃહમાં રહેવાની શી જરૂર પડી? જે કહી શકાય તેવું હોય તે, મારા જેવા જિજ્ઞાસુની જિજ્ઞાસા તૃપ્ત કરશો. શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી વિદ્યાધરી રત્નગાએ નીચે પ્રમાણે પિતાને વૃત્તાંત કહ્યા-- વૈતાઢ્ય પર્વત ઉપર મણિભુષણ નામે એક નગર છે, ત્યાં રચૂડ નામે વિદ્યાધર રાજા છે, અને તેને મણિચૂડ નામે યુવરાજ છે. રત્નગા તથા મહાગા નામે અમે બે તે રત્નચૂક રાજાની સ્ત્રીઓ છીએ, તેને રત્નચૂલ અને મણિચૂલ નામે બે પુત્ર તથા ચાર પુત્રીઓ છે. અમારા ગોત્રના એક સુગ્રીવ નામના વિદ્યાધરે ક્રૂરતાથી અમારું રાજ્ય જીતી લીધું, અને અમને બાહર કાઢી મુક્યાં, અને તે દુષ્ટ અમારા કુટુંબનું સર્વસ્વ લઈ લીધું. પછી અમે તેના ભયથી અહીં પાતાળમાં આવી રહ્યાં છીએ, પછી કેટલેક કાળે રત્નચૂડ પિતાના દેશને પાછો લેવા અટવીમાં વિદ્યા સાધવા ગયેલ, ત્યાં તેનું અચાનક મૃત્યુ થઈ ગયું. તેને કોણ મારી ગયું ? તે અમારા જાણવામાં આવ્યું નહીં. પિતાના પિતા રત્નચૂડના મરણથી દુઃખી થયેલ, તેનો પુત્ર રત્ન ધ્વજ તેના શત્રુની શોધ કરવાને વનમાં ફરે છે, તે રધ્વજ આ રત્નચૂલાને મોટો ભાઈ થાય છે. એક વખતે તેના જાણવામાં આવ્યું કે, મદનાનો પતિ તેના પતિ રત્નચૂડને મારનાર છે, તેથી તે મદનાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438