Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 419
________________ જયણાનું મહાત્મ્ય. ૪૩૩ છુંદર પેસવાથી તે અતિ દુ:ખી થશે. પછી તે ખુંધલી શ્રી પદ્મનાભ પ્રભુના સમવસરણુમાં આવી ચડશે, પ્રભુનાં દર્શન થતાંજ તેણીની બધી પીડા નારા પામી જશે. તેણી પ્રભુને પોતાના પૂર્વ ભવને માટે પુછશે, એટલે પ્રભુ તેણીને તેણીના બધા ભવન વૃત્તાંત કહેશે. પછી સુલક્ષણાના ભવમાં જે આલેયણા ન લીધેલ, તેનું કારણુ આ દુ:ખ છે, એમ જાણી તેણી પ્રભુ પાસે આલેયા લેશે, અને નિઃશલ્ય થઇને કર્મરૂપ મળને દૂર કરી દેશે. ત્યાર પછી તે દુ:ખી બાળા ચારિત્ર લઇને મેક્ષે જશે. શીલસન્નાહ મુનિ કહે છે, હું રૂપી સાધ્વી ! એ સુલક્ષણાને વૃત્તાંત જાણી તુ પશુ આલેયણા લઇ, શલ્યને દૂર કરજે. માયાથી કોઇ વાત છુપાવીશ નહીં, નહીં તેા તારૂ ચારિત્ર નિષ્ફળ થશે. આ પ્રમાણે મુનિએ સમજાવ્યુ, તે છતાં તે કપટી સાધ્વી સાચેસાચું માની નહીં, અને ખેલી કે, મે તમને શીલ પરીક્ષાને માટેજ ોયા છે, કામવિકારથી જોયા નથી. આવા દુરાગ્રહથી તેણીએ વેદ આંધ્યા, અને ત્યાંથી મૃત્યુ પામીને વિદ્યુત્સુમાર દેવતામાં નેાળીઆના વાહનવાળી દેવીરૂપે ઉત્પન્ન થઇ, ત્યાંથી ચીને નઠારી સ્થિતિવાળા બ્રાહ્મણની પુત્રી થઇ. તે અભાગણી તથા દુર્ગંધા થઇ, પીડાને તિર્યંચમાં આવી. પાછી માનુષી, વળી પાછી તિર્યંચણી થઇ, અને છેદાતી ભેદાતી બહુ દુ:ખ પામી. રૂપી આયાના ભવથી માંડીને તેણીએ એક લાખમાં ત્રણ ભવ છા કર્યા. પછી કમઁયેાગે અકામ નિર્જરા થતાં તે સહજ ધર્મગુણુ પામીને મનુષ્ય ભવમાં પાછી અવતરી, ત્યાં ચારિત્ર લઇ સૂરિપદની અધિકારિણી થઇ. પ્રવચનને અનુસારે ગચ્છને દીપાવી, પૂર્વ ભવની માયાનાં ખીજને લઇને તે ઇંદ્રની ઇંદ્રાણી થઇ. ત્યાંથી ચવીને અહીં શબુક નામના બ્રાહ્મણની સ્ત્રી થઇ, ત્યાં જાતિરમરણ થવાથી પ્રતિખાધ પાની, અને અત્યારે આ સુલભાધી થઇ, તે રૂપી સાધ્વી ભવ ભ્રમણ કરી, એ ગાવિદ બ્રહ્મણ થઇને સિદ્ધિપદને પ્રાપ્ત થઇ. ગાતમે પુનઃ પ્રભુને પુછ્યું, સ્વામી ! તે રૂપી સાધ્વી સાત આઠ ભવ મુકીને પાછી ભવના ભ્રમણમાં કેમ પડી ! પ્રભુ ખેલ્યા, ગૈાતમ ! શીલસન્નાહસૂરિએ ખાધ આપ્યાં છતાં તેણીના મનમાં કાંઇ મળ્યું નહીં. માયાના સ્વરૂપને સમજી નહીં, તેથી તેણીને લાખ ભવ કરવા પડયા હતા. માયા કેવી નઠારી છે ? તેને માટે નીચેનું પ્રાકૃત કાવ્ય પ્રખ્યાત છેઃ— માયા વિષવલ્લીની મૂલી, માયા ભવસ્થળ ધૂળી; માયા ચરણુ ધર્મની શી, ધન્ય જેણે માયા ઉન્મૂલી. Jain Education International જો રૂપીએ તેવી માયા ન કરી હોત, તે તે સાધ્વીપણામાંજ તેજ ભવમાં સિદ્ધિ પામત. પણુ ભવિતવ્યતાના યેાગે તેણીની મતિ મુઝાઇ ગઇ હતી. આ પ્રમાણે રૂપી સાધ્વીનુ ચરિત્ર દેખીને શીલસન્નાહ મુનિ પોતે નિઃશલ્ય થયા પછી ઉત્તર દિશાના ખૂણામાં આવી, ૧ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438