Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 395
________________ શ્રી ધર્મધાષ મુનિ. ૩૮૯ અકસ્માત ારફેર થઇ ગયા, તેની સ્મરણુક્તિ વિકાશ પામી. સ્મરણુરાક્તિની અસરથી દૃષ્ટિ આગળ પૂર્વ ભવનાં સ્વરૂપ ખડાં થયાં, જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેની સાથે ચંદ્રકળા વિગેરેને પણ પાતપુતાના પૂર્વે ભવ દષ્ટિગત થયા. ગુરુદ્રે પણ પૂર્વ ભવને વૃત્તાંત રમરણ માર્ગે અવલો. સુગ્રીવ વિદ્યાધરની પુત્રી રત્નવતી જાતિસ્મરણુ થતાં પ્રેમથી શ્રીચંદ્રને વરી. શ્રીચક્રે વૈર યુદ્ધ છેડી, સર્વ વિધાધરાને ખમાગ્યા. ગુરૂની સાક્ષીએ રત્નચૂડે પોતાના અપરાધ જણાવી ખમાભ્યા. મણિચૂડ અને રત્નચૂડ પણ એક બીજાને ખમાવી તમી પડ્યા. પછી વિદ્યાધરાંત વિગેરે બધા ગુરૂને વદના કરી પોતાના નગરમાં ગયા. મણચૂડે વૈરબુદ્ધિ છેડી પોતાના વિરોધી વિદ્યાધરોને નગરપ્રવેશ કરાવ્યો. દક્ષિણ અને ઉત્તર શ્રેણીના વિદ્યાધરોના રાજાએ અઢળક દ્રવ્યની સાથે પેતાની પુત્રીને શ્રીચદ્રની સાથે પર ણાવી. રત્નચૂડા, રત્નવતી, મણિચુલા, મણિમાળા અને રત્નકાંતા વિગેરે ખીજી જે વિદ્યાધરની પુત્રીએ હતી, તે બધીને શ્રીચદ્ર પ્રેમપૂર્વક પરણ્યા. તેમના વિવાહમાં વિદ્યાધરાએ કરમેાચન સમયે ઘણું દ્રવ્ય અર્પણ કર્યું; તે સાથે આકાશગામિની અને કામરૂપિણી વિગેરે સિદ્ધ વિદ્યા પણ અર્પણ કરવામાં આવી. સુગ્રીવ વિગેરે એકસે ને દશ વિદ્યાધરાના રાજાએએ મળીને તે મહાત્સવ કર્યો હતો. શ્રીચંદ્રના પુણ્ય પ્રભાવથી અને તેના અનુપમ સામર્થ્યથી પ્રસન્ન થયેલા વિધાધરાએ તેને વિધાધરાનું ચક્રવર્તી પત્ર આપ્યું. વિદ્યાધરોની સામ્રાજ્ય લક્ષ્મીએ પ્રતાપના પ્ર તાપી કુમારને રાજ્યતિલક કર્યું. સર્વ સ્થળે જયધ્વની પ્રવર્તી રહ્યા. શ્રીચંદ્ર પોતાનાં માતાપિતા અને બીજો પરિવાર લઇ વિવિધ પ્રકારથી શાશ્વત ચૈત્યની યાત્રા કરી, અને વિદ્યાધરાની રાજધાનીની રમણીયતા પ્રેમપૂર્વક અવલેલકન કરી. યાત્રામાં ફરતા એવા રાજકુમારની આસપાસ વિદ્યાધરોની મહાન્ સમૃદ્ધિ પરિવૃત્ત થઇ સમુદ્રના જેવું વિદ્યાધરાનું સૈન્ય તેની સાથે વિચરતું હતું. વિદ્યાધર વીરાના વિચિત્ર રંગ એર`ગી પેશાકાથી અને શસ્ત્રાના ચળકાટથી ગગન ઉપર વિચિત્રતાની ભાત પડતી હતી. તેની અંદર વિજળીની જેમ ચમત્કારી ચળકાટ પડતા હતા. તેના નિશાનના ધ્વનિથી શત્રુ વર્ગ ત્રાસ પામતા હતા. ગજેંદ્રના ઝરતા મદથી પૃથ્વીપર સિ ંચન થતું હતુ. આકાશમાં ઉડતી ધેાળી ધ્વજાએ બગલીઓની જેમ દેખાતી હતી. આ વખતે કવિએ શ્રીચ'દ્રને મેલની ઉપમા આપતા હતા, અને તે ઉપમાની પૂર્ણતા નીચેની કવિતાથી દર્શાવતા હતાઃ—— - પ્રકાશતી હતી. ઉછળતા Jain Education International “ નીશાણુ ધ્વનિ ગીતથું, ગજે અરિજન ત્રાસ, મદ ઝરતા માતંગ શું, સિ ંચે ભૂતળ વાસ. For Personal & Private Use Only ૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438