Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 416
________________ ૪૧૦ આનંદ મંદિર, તેજ અગ્નિ તેની ચિતાને અગ્નિ થશે. સ્વયંવરમાં આવેલા રાજાએ તેના ડાઘુઓ થયા. આ બનાવથી સુલક્ષણને અને તેણીનાં માતાપિતાને ભારે શેક થઈ પડે. કેટલેક સમય વિત્યા પછી રાજા જંબુદાડિમે સુલક્ષણાને કહ્યું, બહેન ! અફસોસ કરીશ નહીં, જે કર્મ યોગે થવાનું હોય, તે થાય છે. હવે તે તારે આત્મસાધન કરવું, ત્રિકરણ શુદ્ધિથી જૈન ધર્મની આરાધના કરવી, દાન, શીળ, તપ અને ભાવ, એ ચતુર્વિધ ધર્મની તું સેવા કર, ઇચ્છા પ્રમાણે દાન કરી યાચકે ને સંતુષ્ટ કર, આ રાજ્યલક્ષ્મી તારી છે, જેટલો વ્યય કરવું હોય, તેટલે વ્યય કરી આહત ધર્મની ઉપાસના કર, તારું કર્તવ્ય શું છે ? તેને માટે હમેશાં નીચેની કવિતા સ્મરણમાં રાખ. વિધવા પ્રષિતપતિકા સતિને, ભણવું શાસ્ત્રનું સૂગવું; સંગતિ સુશીલ સમણીની કીજે, એહજ ચિત્તમાં સૂવુંછ. ” ૧ રાજાએ આ પ્રમાણે બોધ આપી, સુલક્ષણાને ધર્મ પરાયણ કરી દીધી. એક વખતે તે નગરના ઉદ્યાનમાં જિનભુષણ નામે જિનવર આવી ચડ્યા. દેવતાઓએ તેમનું સમવસરણ ર. ઉધાનપાળકે વધામણી આપી, એટલે રાજા જબુદાડિમ પિતાના પરિવાર સાથે ત્યાં પ્રભુને વાંદવા આવ્યો. રાજા નિર્મળ હૃદયથી પ્રભુની સ્તુતિ કરી, યોગ્ય આસને બેઠે. પ્રભુએ સંસારની અનિત્યતા ઉપર દેશના આપી. દેશનાના પ્રભાવથી રાજા, અને તેના પરિવારના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તરતજ રાજા પરિવાર સહિત દીક્ષા લેવાને ઉજમાળ થયા. કૃપાળુ પ્રભુએ રાજાને સપરિવાર દીક્ષા આપી, તે સાથે સુલક્ષણાએ પણ દીક્ષા લીધી. રાજા વિગેરેને સર્વ એક0 વીર મુનિને સોંપા, અને સુલક્ષણા એક સાધ્વીજીને સોંપી. તેઓ અનુક્રમે દિવિઘ શિક્ષા સંપાદન કરી, સંયમ ધર્મના નિયમોમાં પ્રવીણ થઈ ગયાં. એક વખતે સુલક્ષણા સાધ્વી પ્રવર્તણુના કહેવાથી વસતિની શુદ્ધિને માટે કાંઈક કાર્યને ઉદ્દેશીને અનુયાગ કરવાને બહેર ગઈ, ત્યાં કોઈ કર્મયોગે ચીડીઆ, અને ચક્રવાક પક્ષીઓનો સંગ તેણીના જોવામાં આવ્યું. તે સાથે તેમનાં બીજાં પ્રેમ વિલાસનાં ચિન્હો પણ જોવામાં આવ્યાં. તે જોતાં જ સુલક્ષણ નિર્લક્ષણા થઈ ગઈ, તેણીની મનેતૃત્તિમાં વિકાર ભાવ ઉત્પન્ન થયે, તેણીએ મનમાં આ પ્રમાણે ચિંતવ્યું“ આહા ! આ પ્રાણી કેવાં પુણ્યવાન છે ? તેઓ સ્વતંત્રપણે કેવો વિષયાનંદ ભોગવે છે ? આવો આનંદ મેં ભોગવ્ય જ નહીં. હું અભાગીયણ વૈધવ્યપણું પ્રાપ્ત કરી આવું વેરાગીપણાનું દુઃખ ભોગવું છું.” આ પ્રમાણે ચિંતવી સુલક્ષણે ક્ષણવાર વિચારમાં પડી. તે પછી થોડીક વારે ૧ જેનો પતિ વિદેશ ગયો હોય તે. ૨ સાધ્વી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438