Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 414
________________ ૪૦. આનંદ મદિર. વીરપ્રભુ ખેલ્યા, ગાતમ ! એ સામંતકુમાર પૂર્વ ભવે મુનિ હતા. મણિ અને તૃણુ તથા સુવર્ણ અને પાષાણ તેને સરખાં હતાં. નિરાબાધ સંયમને તે પાળતા હતા. એક વખતે તે મુનિએ અનાભાગથી વચનના દંડ કર્યો, આથી તેણે પ્રચંડ અભિગ્રહ લઇને એવુ પ્રાયશ્ચિત કર્યું કે, યાજ્જીવિત સુધી માન વ્રત ગ્રહણ રાખવુ, એવી રીતે સયમની આ રાધના કરતાં તેણે કાળ કર્યું, અને તે પ્રથમ કલ્પમાં દેવતા થયા, ત્યાંથી ચવીને આ સામતકુમાર શીલસન્નાહ થયા, અને પૂર્વના સયમ બળથી તે સુલભ એધિ તથા જાતિસ્મરણ જ્ઞાનવાળા થયા. હે ગૈતમ ! આ પ્રમાણે તેના પૂર્વ ભવને વૃત્તાંત છે. હવે તે શીલસન્નાહ મહા મુનિએ અવધિ જ્ઞાનથી પોતાનું અલ્પ આયુષ્ય જાણીને અજિત વિગેરે તીર્થંકરાએ પવિત્ર કરેલા સમેતશિખર તીર્થ તરફ જવાને વિહાર કર્યાં. ત્યાં માર્ગમાં ક્ષિતિપ્રતિષ્ટિત નગર આવ્યું. મહામુનિ શીલસન્નાહ ત્યાં સમાસના, એ ખબર રૂપી રાજાને પડી, એ. ટલે તે પરિવાર સહિત નાની મુનીશ્વરને વાંદવા આવી. ઉપકારી મુનિરાજે તે પ્રસ ંગે ધર્મ દેશના આપી. દેશના એટલી બધી અસરકારક આપી, કે જેથી રૂપી રાજાની મનેત્તિ બદલાઇ ગઇ. તેણે શીલસન્નાહ મુનિને વંદના કરી, અને મહા વ્રત લેવાને માટે પ્રાર્થના કરી. મુનિવરે તેણીને પરિવાર સાથે દીક્ષા આપી રૂપી સાધ્વી થઇ ગુરૂનાં વચન ઉપર રાગી થઇ, પાંચ આચારને પાળવા લાગી. મુનિરાજ શીલસન્નાહે બધા પરિવાર લઇ, સમેતશિખર તર વિહાર કર્યો. અનુક્રમે તેઓ ત્યાં આવી પહેાંચ્યા. અજિતનાથ વિગેરે પ્રભુએ સ્પર્શથી પવિત્ર કરેલા એ તીર્થરાજને ત્રિકરણ શુદ્ધિથી વંદના કરી, પછી એક શિલાપટ ઉપર તેએ આરૂઢ થયા. ત્યાં મુનિઓના પરિવાર સાથે મુનીશ્વરે સલેખના લીધા, તે પ્રસ ંગે રૂપી સાધ્વીએ વિનયથી શિલસન્નાહ મુનિને વિનંતી કરી કે, ભગવન્ ! કૃપા કરી મને પણ સલેખના આપે. ગુરૂ પ્રેમથી ખેલ્યા—સાધ્વી ! તમારે જો સલેખના લેવી હેાય, તે પૂર્વનાં પાપરૂપ પકને ધાવા આલેયા લઇને શુદ્ધ થાશે.. આ પ્રમાણે કહી, તે મહાનુભાવ નીચેની ગાથા ખેલ્યાઃ— શુદ્ધ ભીંતે જેમ શૈાભિએ, ચિત્રતણી જેમ રેખ, તેમ નિઃશલ્ય થયા પછી, જે કીજે તે વિશેષ. સલેખણા તે જોષણા, એ જિન શાસન સાર, કર્મ કષાયની સલેખા, જોષણા શરીર આહાર. ૨ આ પ્રમાણે ગાથાના ઉચ્ચાર કરી, તે મટ્ઠા મુનિએ બધા ગુણુદ્દાર વિષે વિવેચન કરી બતાવ્યુ, અને મનુષ્ય ભવનાં દશ દ્રષ્ટાંતા આપી, માનવ જીવનની દુર્લભતા કહી સંભળાવી. Jain Education International ૧ આ બધું સાંભળ્યા પછી રૂપી સાધ્વીએ આક્ષેપ કરી કહ્યું, સ્વામી ! આપ સને આલાયક્શા આપે છે, પણ મારે આપને એક કહેવાનું છે, પૂર્વે જે આપને મેં For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438