Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 412
________________ ૪૦૬ આનંદ મંદિર. શીળ પરમ સૈભાગ્ય છે. શીળ પરમ છે રૂપ; શીળ પરમ જીવિત છે, શીળ વશે સવિ ભૂ. સુપુરૂષને શીળ રાખવું, પ્રાણ તજી પણ એક પ્રાણ ધારણ સ્થીતિ વિશ્વને, [ પણ] સંતને શીળશું નેહ આ સુબોધક કવિતાનું સ્મરણ કરી શીલસન્નાહ કુમારે વળી વિચાર્યું કે, આ રૂપીની દ્રષ્ટિમાં પૂર્ણ વિકાર છે, વળી તેણીના હાથમાં રાજસત્તા છે, માટે આ વખતે અહીંથી ચાલ્યા જવું એગ્ય છે. આવું વિચારી તે સામંતકુમાર કાંઈ પણ બહાનું બતાવી ત્યાંથી ચાલ્યા ગયે, અને પિતાના પવિત્ર શીળનું ખંડન થવાના ભયથી તે નગરને છોડીને દેશાંતર તરફ રવાને થયો. કુમાર શીલસન્નાહ ત્યાંથી આગળ જતાં એક હિરણ્યકર નામના નગરમાં આવ્યો, તે નગરને વિચારસાર નામે રાજા હતો. સેવા કરવાની ઈચ્છાથી સામંતકુમાર તેની પાસે આવ્યું. રાજાએ તેને પોતાની સેવામાં રાખે. એક વખત રાજા વિચારસારે તેને પુછ્યું કે, તમે કયા નગરમાં રહે છે ? અને કોણ છે ? આજ સુધી તમે કોની સેવા કરી છે ? તમારું નામ શું છે ? તમારા હાથમાં આ શેની મુદ્રા છે ? આ પ્રમાણે રાજાએ પુછવાથી સામંતકુમારે તેના બધા ઉત્તરો આપ્યા, પણ હાથની મુદ્રા ઉપર જે નામ હતું, તે કહ્યું નહીં. ત્યારે રાજાએ પુછ્યું, એ મુદ્રા વિષે શું છે? તે કહા, સામત કુમાર બોલ્ય–સ્વામી ! આ મુદ્રામાં જે નામ છે, તે જમ્યા પહેલાં લેવાય તેવું નથી. જેનું નામ એ મુદ્રા ઉપર છે, તે માણસ નેત્ર વિકારી છે, અથવા ચક્ષુ કુશળ છે, તેવાનું નામ લેવાથી પાપ લાગે છે, તેમજ જે તે નામ ભજન કર્યા પહેલાં લીધું હોય, તે ત્રણ દિવસ સુધી ખાવાને આહાર પણ મળતું નથી, તે સાંભળી રાજાને આશ્ચર્ય થયું. તત્કાળ રસોઈને તૈયાર થાળ ત્યાં મંગાવ્યું, અને કુમારને કહ્યું – હું તેનું નામ લઈને પછી તુરત જમવા બેસીશ. જોઈએ મને શું થાય છે ? કુમાર બેલ્યો–રા કદિ તમને વિન્ન થાય તે શું કરવું ? રાજા બે – કુમાર ! જે આ વખતે ભોજનમાં વિઘ થાય; તે મારે પરિવાર સાથે ચારિત્ર લેવું. તત્કાળ સામંત કુમારે ધર્મનું ચિંતવન કરી, “ ચક્ષુ કુશીલ રૂપી ” એવું નામ લીધું, અને રાજાને પણ લેવરાવ્યું. તે વખતે શાસન દેવીએ ચિંતવ્યું કે, “ આ કુમારનું પણ રાખવું અને ધર્મને પ્રભાવ વધાર.” આવું ચિંતવી નગરની બહાર એક મેટું શત્રુનું સૈન્ય વિકુવ્યું. તત્કાળ એક અનુચરે આવી ખબર આપ્યા કે, મહારાજ ! આપણું નગરને દુશ્મનોએ ઘેરી લીધું છે. આ ખબર સાંભળતાં જ રાજ આશ્ચર્ય પામી ગયો, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438