Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 402
________________ આનંદ મંદિર, દર્શન અને વિધિપૂર્વક વંદના કરતાં, તેઓના હૃદય અને શરીર ઉપર સાત્વિક ભાવ પ્રગટ થઈ આવ્યો, શરીર રોમાંચિત થઈ ગયું, કંઠ ગાદિત થઈ આવ્યું, અને નયનમાંથી આનંદાશ્રુના પ્રવાહ છુટવા લાગ્યા. જ્યારે સર્વ પરિવાર વંદના કરી ગ્ય સ્થાને બેઠો, એટલે પરોપકારી અને કરૂ સ્થાનિધિ સૂરીશ્વરે ધર્મલાભની આશિષ આપી ધર્મદેશના આરંભ કર્યો. ભવ્ય રાજેંદ્ર ? આ સંસારનું સ્વરૂપ વિચિત્ર છે, તે દુઃખરૂપ છતાં તેમાં સુખને આભાસ માનવામાં આવે છે, એ પુરેપુરી અજ્ઞાનતા છે. આવા અસાર અને દુઃખાત્મક સંસારમાં ધર્મ એકજ સાર છે, કે જે ધર્મ શ્રી સર્વાના મુખથી પ્રગટ થયો છે. ધર્મ એ એ ઉત્તમ પદાર્થ છે કે, જે પરિણામે કર્મના કીલ્લા તેડાવી, મોક્ષ સુખને સંપાદન કરાવે છે, એ ધર્મના સર્વ વિરતિ અને દેશ વિરતિ એવા બે પ્રકાર છે. દેશ વિરતિ એ સાગારિક–ગૃહસ્થને ધર્મ છે, અને સર્વ વિરતિ એ અનગાર-સાધુને ધર્મ છે. એ ધર્મમાં ત્રિવિધ કરણનો યોગ, પંચ મહાવ્રત ક્ષમા વિગેરે દશ પ્રકાર, પાંચ આચાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત વિગેરે અનેક ભેદે રહેલા છે, જેથી કરીને શિવગતિની પ્રાપ્ત થાય છે, એ ધર્મના પ્રકાર ચારિત્ર ધર્મની સાથે ઉત્તમ રીતે રહેલા છે. ગૃહસ્થ-સાગાર ધર્મમાં દેશ વિરતિ સમ્યકત્વને યોગ કહે છે, તેમાં વિરતિ ધની રૂચિ હૈય, પણ વિષય કષાયના સંપર્કથી વિરતી ધર્મ સર્વ અશે પ્રાપ્ત થતો નથી. નિઃશંક અને નિરતીચાર સમકિત ગુણનું તેમાં ધારણ થાય છે, બહુ પ્રકારની જિન પૂજાનું તેમાં આરાધન થાય છે, પૂજાના પ્રભાવથી ચિત્તની સમાધિ થાય છે, અને સમાધિ પામેલું ચિત્ત પ્રસન્નતા મેળવે છે. જ્યારે ચિત્ત પ્રસન્ન થાય, એટલે શુભ ધ્યાનની પ્રાપ્તિ થાય છે, અને શુભ ધ્યાનથી અનુપમ મેક્ષ સંપાદન થાય છે, જેમાં અસમાન સુખ અનુભવાય છે, જેને માટે જિનાગમમાં નીચેની ગાથા ગવાય છે. " पूयाए मणसंती मणसंतीए सुहावर झाणं । मुहझाणाओ मुख्खो मुख्खे सुख्खं अव्वाबाहं ॥१॥" પૂજાથી મનને શાંતિ થાય છે, મનની શાંતિથી શુભ ધ્યાન થાય છે, શુભ ધ્યાનથી મોક્ષ થાય છે, અને મેક્ષમાં નિરાબાધ સુખ પ્રાપ્ત થાય છે. ૧ ” તે પૂજાના બે પ્રકાર છે. દ્રવ્યપૂજા અને ભાવપૂ. દ્રવ્યપૂજાના અનેક ભેદ છે. જગતમાં જે જે સારરૂપ દ્રવ્ય છે, તે પૂજામાં ઉપયોગી થાય છે. દ્રવ્યપૂજાને પૂર્ણ રીતે કરનાર ભવ્ય મનુષ્ય અયુત કલ્પ સુધી જાય છે. અંગપૂજા અને અપૂજા એવા તેના ભેદ થઈ શકે છે. એ સર્વથી ભાવપૂજા ઉત્કૃષ્ટ છે. ભાવપૂજા સંયમ સાધવાથી થઈ શકે છે, જેથી પરિણામે મેલસુખ પ્રાપ્ત થાય છે. જિનપૂજાથી તીર્થંકરની પદવી પણ મેળવી શકાય છે. સમકિત અને દેશ વિરતિ વ્રતની શોભાથી શ્રાવક સંપૂર્ણ રીતે શોભાયમાન થાય છે. દેશ વિરતિ બાર વ્રતને ધારણ કરનાર શ્રાવક મુક્ત વધુને વરવાનો પૂર્ણ અધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438