Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 406
________________ ૪૦૦ આનંદ મંદિર, સુવૃત્તાચાર્યની દેશનાએ કુશસ્થલીની પ્રજા ઉપર ભારે અસર કરી હતી, તેથી કેટલાએક ચારિત્રધારી, કેઈ બાર વ્રતધારી અને કઈ સમ્યકત્વના ધારક બન્યા હતા. તે પછી રાજા શ્રીચંદ્ર કુટુંબ સહિત હૃદયમાં ગુરૂભક્તિની ભાવના ભાવતે રાજદ્વારમાં આવે, અને તેણે પિતાના શાસનથી દેશમાં આહત ધર્મને વિજયવાવટો ફરકાવ્યો હતો. મહા મુનિ પ્રતાપસિંહ વિગેરેએ સત્તાની સાથે વિહાર કર્યો હતો. આચાર્ય એ નવા દીક્ષિત મુનિઓને મુનિ ધર્મને ઉપદેશ કર્યો હતો, ચારિત્રના ચળકાટને આપનારા મુનિના આચાર તેમને શીખડાવવામાં આવ્યા હતા. કોઈએ પૂર્વ મૃતનું અધ્યયન કર્યું, કઈ અગીયાર અંગમાં પારંગત થયા, કોઈએ વિનય શિક્ષાને સંપાદન કરી, આગમન સાંગપાંગ અભ્યાસ કર્યો, પાંચ સમિતિ, ત્રણ ગુદ્ધિગુપ્ત અને ચરણ કરણના ધામરૂપ બનેલા અને વિષય કષાયને નિવારતા તેઓ પૂર્ણ રીતે સંયમને સાધતા હતા. દ્રવ્ય અને ભાવ સંયમના ગુણથી તેઓ વિરાછત હતા, છઠ્ઠ અને અઠ્ઠમ તપને તેઓ આદરતા હતા, ઉગ્ર વિહાર કરી પરીષહીને સહન કરતા હતા, આતાપના વિગેરે આચરી બાર પ્રતિમાને વહેતા હતા, અભિગ્રહ ગ્રહણ કરી, બાર પ્રકારના તપને આચરતા તેઓ ગુણ સ્થાનનું આરોહણ કરતા હતા. પ્રકરણ ૭૦ મું. જયણાનું મહસ્ય.’ मुटु तवं कुणंतो जयणविहूणो न पावए सिद्धि । सुसड्डव्य लहइ दुक्खं किंपुण जीवो तवविहूणो ॥१॥ “જે જીવ સારી રીતે તપસ્યા કરે, પણ જે જણાથી રહિત હોય, તે તે સિદ્ધિને પામતે નથી; પણ તે સુસ (સુશ્રાદ્ધ) ની જેમ દુ:ખ પામે છે. ૧) યણ એ આહંત ધર્મનું ખરેખરું મૂળ છે, જયણા દયા ધર્મની માતા છે, જયણું એજ ધર્મનું પાલન છે, જયણાથી તપ અને જપની વૃદ્ધિ થાય છે, એટલું જ નહિ, પણ જાણુથી સત્વર મોક્ષ મળે છે. જયણાની સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્રને સંયોગ હોય તે, મનોહર મુક્તિસુંદરીને સત્વર મેળાપ થાય છે. કદિ જપ, તપ અને ધર્મક્રિયા પ્રબળ હેય, પણ જે જાણું ન હેય, તે તે બધાં આકાશ પુષ્પની જેમ નિષ્કળ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438