Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 404
________________ ૩૯૮ આનંદ મંદિર. અને મારી શક્તિ લઘુ ગણાય, તેવા અનેક ચક્રવર્તીઓ, અને મહારાજાઓએ આ લેક રાજ્યને છોડીને સંયમ રાજ્ય લીધેલું છે. આ અસાર સંસારનું સ્વરૂપ જાણી લઈ, પિતાના આત્માના ઉદ્ધારને માટે તેમણે ચારિત્રને મહાન માર્ગ લીધેલ છે. આ સંસાર, આ શરીર, આ વૈભવ, અને બધા દ્રશ્યમાન હક પદાર્થો અસ્થિર છે. આવા અસ્થિર પદાર્થો ઉપર મેહ રાખવો તે નિષ્ફળ છે. હવે તે સંયમ લઈ આ મનુષ્ય જીવનને કૃતાર્થ કરવું. આજ વિચાર રાજમાતા સૂર્યવતીના હદયમાં પણ થયો હતો, તે શિવાય - ક્ષ્મીદત્ત શેઠ, લક્ષ્મીવતી શેઠાણી, અને બીજા વૃદ્ધ પ્રધાને પણ સંયમ લેવાને ઉત્સુક થયા હતા, મહારાજા પ્રતાપસિંહ મહે વ્રત લેવાને શ્રી ચંદ્રની આગળ પિતાની તે ઈચ્છા બતાવી, અને આત્મ સાધના કરવાનો સંયમ સૂચવ્યો, એટલે પિતૃભક્ત શ્રીચંદ્ર કેટલીક વાર પિતૃભક્તિ દર્શાવી, અને પિતૃ વિયોગનું દુઃખ જણાવ્યું, પણ છેવટે તે ધર્મનું મહાશય પિતાના વિચારને સંગત થયે. શ્રીચંદ્ર પિતાના પિતા પ્રતાપસિંહનો દીક્ષા મહોત્સવ ઘણુ ઠાઠમાઠથી કર્યો, અઠ્ઠાઈ મહત્સવ કરી વિવિધ પ્રકારની પૂજા ભણાવવામાં આવી, પુષ્પરાવર્ત મેઘની જેમ અઢળક દાન આપવામાં આવ્યાં. હજાર પુરૂષો વહન કરે, તેવી શિબિકામાં પિતાને બેસારી મોટો વરઘડે કાઢવામાં આવ્યો. શુભ દિવસે અને શુભ લગ્ન જીવત્તાચાર્ય કુશસ્થળીના પૂર્વ મહારાજાને સંયમ રાજ્ય ઉપર સ્થાપિત કર્યો. તેમની સાથે જ સ્વતી, લક્ષ્મીદત્ત શેઠ, લક્ષ્મી. વતી અને બીજા વૃદ્ધ પ્રધાનોએ પણ વ્રત ગ્રહણ કર્યું હતું. આ વખતે બીજા કેટલાક સમ્યકત્વ અને કોઈએ દેશ વિરતિ વ્રત ગ્રહણ કર્યા હતાં. રાજા શ્રીચંદ્ર પણ પત્ની સહિત શ્રાવકના બાર વત ગ્રહણ કર્યા, તે સિવાય બીજા કેટલાએક અભિગ્રહ નિયમો તેણે લીધા હતા. ગુરૂની આગળ તેણે પ્રત્યાખ્યાન લઈ કબુલ કર્યું કે, સ્વામી ! આપના પસાયથી હું મારા સમ્યકત્વ વ્રતમાં સાવધાન રહીશ. આઠ આચાર અને ચાર આગાર એવા સમ્યકત્વને હું આદરપૂર્વક સેવીશ. મુનીંદ્ર ! તમે તારક છે, ભક્તના ઉદ્ધારક છે, તમારા જેવા દયાળને અવતાર અમારા જેવા અા પુરૂષોના ઉદ્ધાર માટે થાય છે. તમારા કહેવા પ્રમાણે અઢાર દૂષણ રહિત અરિહંત દેવ ત્રણ રને ધારણ કરનાર ગુરૂ, અને તમે કહ્યા તે શુદ્ધ ધર્મ, એ મારા સમકિતને સાર છે. તે દેવગુરૂ અને ધર્મ મને યાવજીવિત પ્રાપ્ત થાય. હમેશાં ત્રિકાળ જિન પૂજા, ષટ આવશ્યક અને બીજી વિવિધ પ્રકારની નિયમ ક્રિયાઓમાં હું ત્રિકરણ શુદ્ધિથી પ્રવર્તે, ત્રણસો કાઉસ્સગને સઝાય કરું, એક સહસ્ત્ર નકાર ગણું, પ્રત્યેક દિવસે એક લાખ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરું, દશ આશાતના અને બીજી ચેરાશી આશાતનાને ત્યાગ કરું, ચાર પ્રકારની શ્રદ્ધા, ત્રણ લિંગ, દશ પ્રકારના વિનય, ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ પ્રકારની જતના, છ આગાર, છ ભાવના અને છ સ્થાન, એ બધા ભેદ જાણી સમ્યકત્વને આદર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438