Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 401
________________ સુવૃત્તાચાર્ય. ૩૯૫ એક વખતે અભિનવ મહારાજા શ્રીચંદ્ર રાજસભામાં બેઠો હતો, તેની આગળ ઉચ્ચ આસન ઉપર પ્રતાપસિંહ બીરાજતો હતો, મંત્રિ, સામંત વગેરે સર્વ પરિવાર ત્યાં હાજર હતા. આ વખતે એક યુવાન પુરૂષ દડો આવ્યો, અને દ્વારપાળની દ્વારા અંદર જવાની રજા મેળવી રાજસભામાં આવ્યો. ભૂમિપર મસ્તક નમાવી તે પુરૂષે વિનયથી કહ્યું–પૂજ્ય વૃદ્ધ મહારાજા અને વિદ્યાધર ચક્રવર્ત મહારાજાધિરાજ શ્રીચંદ્ર આજે આપણું ઉધાનમાં એક જ્ઞાની સૂરિશ્વર પધાર્યા છે. આ ખબર સાંભળી પ્રતાપસિંહ, શ્રીચંદ્ર અને તેને પરિવાર ખુશી થઈ ગયો. શેઠ લક્ષ્મીદત્ત પણ ત્યાં હતા, તે આ વૃત્તાંત જાણીને અતિ આનંદ પામ્યા. શ્રીચંદ્ર વધામણી કહેનારને સારું ઈનામ આપ્યું. પછી એ ખબર અંતઃપુરમાં પહોંચાડવામાં આવી, એટલે સૂર્યવતી, લક્ષ્મીવતી વિગેરે રાજમાતાઓ અને ચંદ્રકળા વિગેરે રાણીઓ ત્યાં આવી હાજર થઈ. કુશસ્થળીમાં ચારેતરફ આ ખબર ફેલાઈ ગઈ, એટલે બીજા ગૃહસ્થ પણ સૂરીશ્વરનાં દર્શન કરવાને ઉત્સુક થયા. મહારાજા શ્રી ચંદ્રની આજ્ઞાથી આચાર્યને વાંદવા જવાની મોટી તૈયારી થવા માંડી, મોટા આડંબરથી રાજ્યની તમામ રીયાસત સ્વારીરૂપે ગોઠવવામાં આવી. મહા જ્ઞાની સુવૃત્તાચાર્ય તે સમયે જગતમાં વિખ્યાત હતા, આહત મુનીશ્વરોમાં તેઓ જ્ઞાન સંપન્ન કહેવાતા હતા, તેમના ઉપદેશે આખા વિશ્વની ઉપર સારી અસર કરી હતી, ભારતવર્ષની આહંત પ્રજામાં તે આચાર્યની ધમકીર્તિ સર્વત્ર પ્રસાર થઈ હતી, મુનિ ધર્મનું પૂર્ણ સ્વરૂપ તેનામાં દેખાતું હતું, એ મહાન આચાર્ય ચરણ કરણના ગુણના રાગી હતા, જાણે મૂર્તિમાન ધર્મનો પુંજ હોય, એવા તે દેખાતા હતા. પાંચ મહા વ્રતને તેમણે ત્રિકરણ શુદ્ધિથી ધારણ કર્યા હતાં, દશ પ્રકારને યતિધર્મ, સત્તર પ્રકારને સંયમ, દશ પ્રકારનું વૈયાવચ્ચ, અને નવ પ્રકારનું બ્રહ્મચર્ય તેઓ એકનિષ્ઠાથી પાળતા હતા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણ રત્નોથી તેઓ પ્રકાશતા હતા, નિદાન (નિયાણું) કર્યા વગર બાર પ્રકારનું તપ આચરતા હતા, અને ક્રોધાદિ ચાર કષાયનો નિગ્રહ કરતા હતા. આ પ્રમાણે ચરણ સીત્તરીનું તેઓ સારી રીતે પ્રતિપાલન કરતા હતા, તેવી જ રીતે કરણ સીરીમાં પણ તેઓ સર્વદા તત્પર રહેતા હતા. આહાર, શયા, વસ્ત્ર અને પાત્ર, એ ચાર પ્રકારની પિંડ વિશુદ્ધિ તેઓ સારી રીતે સાચવતા હતા. પાંચ પ્રકારે સમિતિ, બાર ભાવના, બાર પ્રતિમા, પાંચ ઇન્દ્રિઓનો નિરોધ, પચીશ પ્રકારની પ્રતિલેખના, ત્રણ ગુપ્તિ અને ચાર અભિગ્રહ, આ કરણ સારીરૂપ કલ્પલતાને તેઓ સર્વદા આશ્રય લેતા હતા. આવા મહાન પ્રભાવિક વૃત્તાચાર્યને વાંદવાને કુશસ્થળી પતિ મેટા ઠાઠમાઠથી આવ્યો. ઉઘાનની પાસે આવી રાજા પ્રતાપસિંહ અને શ્રીચંદ્ર રાજ્યચિન્હ દૂર કરી, નમ્ર ભાવથી સૂરીશ્વરની પાસે આવ્યા. આચાર્યની અદભૂત તેજને ધારણ કરનારી અને શાંત રસના પ્રવાહને પ્રસાર કરનારી સુંદર મૂર્તિ જોઈ પ્રતાપ અને શ્રીચંદ્ર પરિવાર સહિત સાનંદાશ્ચર્ય પામી ગયા, તેમના હૃદયમાં ગુરૂભક્તિની પ્રજા પડી ગઈ. ગુરૂ દર્શનથી જીવનને કૃતાર્થ માનનારા તેઓએ આવી સૂરીશ્વરને પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી. ગુરૂની ભવ્ય મૂર્તિનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438