Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 373
________________ વધામણું, રહ્યા. જ્યારે મધ્યાહ કાળ થશે, એટલે રાજમાતા સૂર્યવતીને ચિંતા થઈ કે, રાજકુમાર અદ્યાપિ સભામાંથી કેમ આવ્યા નહીં હેય ? તે દયાળુ માતાએ તરતજ એક દૂતને પત્રિકા લઈ મોકલ્યો, અને મુખેથી કહેવરાવ્યું કે, રાજકુમાર ! ઘણી વિલંબ થઈ ગઈ છે, દેવ પૂજા અને ભજનને કાળાતિક્રમ થઇ ગયો છે, માટે સત્વર પધારે. અહીંનું સર્વ રાજમંડળ ભજનની રાહ જોઈ બેઠું છે. આપણે જેને ઘેર મિજમાન થઈ આવ્યા છીએ, તેને આપણા તરફથી જરા પણ દુઃખ ન થવું જોઈએ. જેના જવાથી ગૃહપતિ ખુશી થાય, અને તેનું કુટુંબ રાજી રહે, તેનું નામ જ ઉત્તમ અતિથિ કહેવાય છે. આપણું નિમિત્તથી જિતશત્રુ રાજાના દરબારમાં બધું રાજકીય મંડળ ક્ષુધાથી પીડાય છે. સુધા કેવી ખરાબ છે, તે તમે જાણો છો, તે છતાં તેનું પુનઃ સ્મરણ આપવાને એકલાવેલી પત્રિકાની અંદર જે સંસ્કૃત કવિતા છે, તેનું વાંચીને બરાબર મનન કરજે. દૂતે આવી રાજમાતાની પત્રિકા કુમારના હાથમાં મુકી, અને માતાએ જે સં. દેશે કહ્યો હતો, તે બધો રાજકુમારના શ્રવણમાં સ્થાપિત કર્યો. પિતાની માયાળુ માતાને સ દેશે સાંભળી સ્મિત હાસ્ય કરતાં કુમારે તે પત્રિકા ઉખેળાને વાંચી. જેમાં નીચે પ્રમાણે સંસ્કૃત કાવ્ય લખેલું હતું – या सद्रुपविनाशिनी श्रुतहरी पंचेंद्रियोत्कर्षिणी चक्षुः श्रोत्रललाटदैन्यकरणी वैराग्य मुत्पादिनी । बधूनां त्यजनी विदेशगमनी चारित्रविध्वंसिनी सेयं बापति पंचभूतदमनी प्राणापहारा क्षुधा ॥१॥ છે જે સારા રૂપને નાશ કરનારી છે, સાંભળેલાને ભુલાવનારી છે, પાંચ ઈદ્રિઓને ખેંચનારી છે, નેત્ર, કર્ણ, અને લલાટને દીનતા આપનારી છે, વૈરાગ્યને ઉત્પન્ન કરનારી છે, બંધુઓને ત્યાગ કરનારી છે, વિદેશમાં લઈ જનારી છે, ચારિત્રનો નાશ કરનારી છે, અને પાંચ ભૂતને દમન કરનારી છે, તેવી તે પ્રાણહારિણી સુધા, અતિશય પીડા કરે છે.” આ પત્રિકા વાંચી રાજકુમાર વિચારમાં પડ્યા, તરતજ તેમણે મંત્રીને એકલી માતુશ્રીને જણાવ્યું કે, માજી ! જ્યાં સુધી આ બીડું કોઇ લેશે નહીં, ત્યાં સુધી મારે જમવાને અભિગ્રહ છે; બીજાઓને મારા સોગન આપી જમાડજે, જ્યારે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે, ત્યારે જ હું તે જમવાને છું. મંત્રીએ આવી રાજમાતાને એ ખબર આપ્યા. તરતજ રાજમાતાએ બીજા રાજકીય માણસને જમવાને આગ્રહ કર્યો. માત્ર તેિજ “પુત્ર વિના જમવું નહીં ” એવો નિશ્ચય કરી બેઠાં. રાજકુમારને આ દ્રઢ નિશ્ચય છે, તેમના પ્રિય મિત્ર ગુણચંદ્ર નમ્રતાથી જણાવ્યું, મહારાજ ! આ અભિગ્રહ કર્યો, તે સાહસ છે. એ ચેરની ચેરી ચમત્કારી છે. કઈ પણ સમર્થ વીર તેની શોધ કરી શકે નથી, અને કરી શકે તેમ પણ નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438