Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________
ગુણચંદને જાતિસ્મરણ
૩૭૯ અને માતા દીપવતી તમને જોઈ ઘણું જ ખુશી થશે. તમારા જેવા પરાક્રમી અને ગ્યવાન ભાણેજને જોઈ, મારા પિતૃગૃહમાં આનંદ ઉત્સવ થઇ રહેશે. તમને વધુ સહિત દેખી તમારાં મશાળીયાઓ ઘણુંજ પ્રસન્ન થશે. તમારા મશાળની સજધાની દીપશિખા નગરી એક ખરેખર આનંદનું ધામ થઈ પડશે. શાળાની માનીતી પ્રજા તમારું પવિત્ર દર્શન કરી પિતાના હદયને પ્રેમાર્ટ કરશે.
માતાનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર ક્ષણવાર વિચારમાં પડે. ક્ષણવારે તેણે નિશ્ચય કર્યો કે, માતાની ઈચ્છા પૂર્ણ કરવી જોઈએ. મહોપકારી માતાની મનોવૃત્તિને માન આપી અનુસરવું, એ આજ્ઞાંકિત પુત્રને ધર્મ છે. નવ માસ ઉદરમાં રાખી ઉપકાર કરનારી માતાના મરથ કો કુલીન પુત્ર પૂરા ન કરે? માતૃભક્તિથી અંકિત થયેલા પુત્રનું જીવન કૃતાર્થ છે. જેના હૃદયમાં માતૃભક્તિરૂપ પવિત્ર ગંગાને પ્રવાહ વહ્યા કરે છે, તે પુત્રની પુત્રતાને સહસ્ત્રવાર ધન્યવાદ છે. ઉપકારી માતાનાં વચન પ્રમાણે નહીં વર્તનાર અધમ પુત્રોના જન્મને ધિક્કાર છે. ભવિષ્યમાં યોગ્ય વયવાળા પુત્ર પાસેથી આત્મસેવાની આશા. રાખનારી માતાને નિરાશ કરનારા પુત્રો નરકનાજ અધિકારી છે.
આવું વિચારી રાજપુત્ર શ્રીચ કે પોતાની માતા સૂર્યવતીને વિનયથી જણાવ્યું, પૂજ્ય માતા ! આપની ઇચ્છા પ્રમાણે કરવાને હું તૈયાર છું, મને મારા મશાળમાં જવાની ઘણી હોંશ છે. માતુ ગૃહના મનગમતાં લાડ ભોગવવાની મારા હૃદયમાં અભિલાષા છે. દીપશિખા નગરીની રાજધાનીમાં રહી, મશાળનાં માન મેળવવાને મારે અંતરાત્મા ઉત્કંઠિત થયો છે.
પુત્રનાં આવાં વચન સાંભળી રાજમાતાના હૃદયમાં આનંદ ઉત્પન્ન થયો, અને આજ્ઞાંકિત પુત્રની માતૃભક્તિ જોઈ, તેણીના હૃદયમાં શાંતિ થઈ. પછી શ્રીચદ્ર સિંહપુરપતિની પાસે આગ્રહથી રજા માગી, અને દીપશિખા નગરી તરફ જવાની સર્વની ઇચ્છા જણાવી. શ્રીચંદ્ર, ચંદ્રકળા અને સ્વતી વિગેરેનું રાજકુટુંબથી જુદું પડવું, એ શુભગાંગ રાજાને ગમ્યું નહીં, પણ તેમના આગ્રહથી છેવટે તેને માંડ માંડ રજા આપવી પડી. ચંદ્રકળા જુદી પડશે, એમ સાંભળી ચંદ્રવતી રાણીને ઘણુંજ માઠું લાગ્યું. નેત્રમાં પ્રેમાશ્રને ધારણ કરતી ચંદ્રવતી ચંદ્રકળાને મળવા આવી. પરસ્પર પ્રેમાશ્રને વર્ષાવતાં બંને ગાઢ આલિંગન કરીને ભેટી પડ્યાં.
ચાલતી વખતે શુભગાંગ રાજાએ પોતાના જમાઈ શ્રીચંદ્રને સારો સત્કાર કર્યો. વિવાહને અંગે જેટલું આપવું જોઈએ, તેટલું સૈન્ય, વાહન, દાસ, દાસી, રીયાસત અને પોશાક વિગેરે તેણે આ પ્રસંગે આપ્યું. સર્વ પરિવાર સાથે લઈ, શ્રીચંદ્ર દીપશિખા નગરીને માર્ગ વિદાય થયે, અને ત્યાં જઇ તેણે મશાળ તરફનું મોટું સન્માન સંપાદન કર્યું. સૂર્યવતીના પિતા દીપચંદ્ર રાજાએ પિતાના ભાણેજને ઘણું પ્રેમથી આવકાર આપ્યો, અને તે પ્રસંગે પિતાની રાજધાનીમાં આનંદ ઉત્સવ પ્રવર્તાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438