Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 19
________________ સુવાસ ન અનુભવાય જે પુષ્પમાં, એને પુષ્પ માનવા મન તૈયાર થતું નથી. મીઠાશ ન અનુભવાય જે સાકરમાં, એને સાકર માનવા મન તૈયાર થતું નથી. આત્મીયતા ન અનુભવાય જે સંબંધમાં, એને સબંધ માનવા મન તૈયાર થતું નથી. પ્રશ્ન એ છે કે જે જ્ઞાન છે આપણી પાસે, જે બોધ છે આપણી પાસે, જે માહિતી છે આપણી પાસે એમાં સમાધિની સુગંધનો આપણને અનુભવ થઈ રહ્યો છે ખરો ? જો ના, તો ય આપણે એને જ્ઞાન માની રહ્યા છીએ ? મારા આપેલા બે રૂપિયાનો ભિખારીએ દુરુપયોગ ન જ કરવો જોઈએ એવો મારો સતત આગ્રહ રહે જ છે. જોકે પ્રભુ તરફથી મને મળેલ શરીરનો, સંપત્તિનો, શબ્દોનો અને સમયનો હું બેફામ દુરુપયોગ કરી જ રહ્યો છું પણ એ વાત અહીં યાદ રાખવી એ અસ્થાને છે એમ હું માનું છું.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102